________________
સંગ્રહ ૩
લાગતું નથી. એટલા માટે જ સત્સંગની જરૂર છે. સત્સંગમાં હું કરું છું તે ઠીક છે કે જ્ઞાની કહે તે ઠીક છે તેની ખબર પડે છે. વિચારની ખામી છે. સત્સંગ વગર સુવિચાર જાગવા મુશ્કેલ છે.
આત્મસિદ્ધિશાસ્ત્રને વૈરાગ્ય ઉપશમની વૃત્તિ કરીને વાંચીએ તે ઘણે લાભ થાય. આત્માર્થીપણું આવવું જોઈએ, તે જ જ્ઞાનીનું કહેવું સમજાય. નહીં તે જ્ઞાની કહે કંઈ અને પિતે સમજે કંઈ આરંભપરિગ્રડ ઓછા થાય તો વૈરાગ્યઉપશમની વૃત્તિ થાય.
[બેઝવાડાથી પોષ સુદ ૫ ના રવાના થઈ શ્રી ભાંકતીર્થ તથા શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ જઈ આવી પૂજ્યશ્રી બ્રહ્મચારીજી વગેરે ધૂળિયા રોકાઈ અંજડ પધાર્યા. અંજડમાં ત્યાંના મુમને ત્યાં સ્થાપના કરી પોષ સુદ પૂનમે રવાના થઈ બરવાણી પાસે બાવનગજાજી રાત રોકાઈ બીજે દિવસે સાંજે ઈદેર પધાર્યા. ત્યાંથી બનેડિયાજી, મસીજી, ઉજજૈન, માંડવગઢ, સિદવરકૂટ વગેરે સ્થળોએ ઘણા મુમુક્ષુઓ સાથે યાત્રાર્થે ગયા હતા. ઇંદોરથી મહા સુદ ૬ ને રવાના થઈ અજમેર, ખ્યાવર રહી શિવગંજ ચાર દિવસ રોકાયા. ત્યાંથી મહા સુદ પૂનમના રવાના થઈ સાંજે આહાર પધાર્યા.].
૧૫ શ્રી રાજમંદિર આહાર, મહા વદ ૧, ૨૦૦૮ ધર્મનું મૂળ વૈરાગ્ય છે. “ત્યાગવિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન” ત્યાગવૈરાગ્ય ન હોય તે આ કાને સાંભળે અને આ કાને કાઢે. દુઃખરૂપ સંસાર છે. સંસારનું સ્વરૂપ વિચારે તે વૈરાગ્ય થાય. ભગવાને કેવળજ્ઞાનથી જોઈને સંસાર કેદખાના જે અને અનંત ખેદમય કહ્યો છે. આનંદ નથી ત્યાં સુધી દુઃખી છે. ખેદ હોય તેને દુઃખ જ હોય છે. આત્મા સ્વભાવમાં ન રહે ત્યાં સુધી ખેદ છે, દુઃખ છે, ઠેકાણું વગરનું છે. એકસરખી પ્રવૃત્તિ રહે એવું નથી. એક રૂપે રહે એ સંસાર નથી. અનિત્ય છે, નાશવંત છે. એવા સંસારમાં સુખ માને છે, એ વિપરીતતા છે, મિથ્યાત્વનું કામ છે. લેકેને ભડકાવવા કહ્યું નથી. એવું જ છે. આખા સંસારનું સ્વરૂપ વિચારે તે કેટલાકને આધિ, કેટલાકને વ્યાધિ અને કેટલાકને ઉપાધિ લેવામાં આવે. કેદખાના જેવું છે. એકેક જીવે અનંતકાળ થયાં કેટલું બધું પરિભ્રમણ કર્યું છે! હું કોણ છું? તેનું ભાન નથી. પિતાના અનંત જ્ઞાન અને અનંત વીયને ભૂલી ગયેલ છે. મેક્ષથી આ ગયે છે.
“ક્ષણ ક્ષણ ભયંકર ભાવભરણે, કાં અહો રાચી રહો !” ભાવમરણ થયા કરે છે, જન્મકાળમાં તે દુઃખ જ છે. પરિભ્રમણ થાય છે, તે મોટો રેગ લાગુ પડ્યો છે. જીવ મેહમાં પડ્યો છે તેથી વિચાર નથી આવતું. જ્ઞાનીઓ મોહથી મૂંઝાય છે અને એને આનંદ આવે છે. સંસાર ઉપર ઉપરથી સારે લાગે પણ દુખમય છે. એની ભયંકર દશા જ્ઞાની જ જાણે છે. જીવે જગત જ દીઠું છે, બીજું કાંઈ જોયું નથી. આત્માનું સુખ કેવું છે તેને વિચાર પણ આવતું નથી. ખાવું પીવું એ જ સુખ છે, એમ માને છે. દેખાય એવું વિચારે છે. એની બિચારાની શી ભૂલ! એને વાંક નથી. પણ સુખી કેમ થવાય ? ત્યાં ભૂલે પડ્યા છે, અજ્ઞાન એ જ વાંક છે. વિપરીતતા એ જ દુખ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org