SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ બધામૃત ઉપશમ શું છે? અને છેવટે સંવરને વિચાર કરતાં કેવળજ્ઞાન પામી મેક્ષે ગયા. ઉપાધિ છૂટે તે સમાધિભાવ થાય. ઉપાધિ ન છૂટતી હોય તે પણ ભાવના તે છોડવાની રાખવી. મારું આટલું જીવન સત્સંગમાં જ ગાળવું છે, એમ રાખવું. આજીવિકા જેટલું ન હોય તે અમુક કાળ સુધી રળીને મારું જીવન રાસંગમ. ગાળીશ, એમ હોય તો વાંધો નહીં. આજીવિકા જેટલું થાય તો પછી અવકાશ મળે તે સત્સંગમાં ગાળવે. એમ લાગે તે સંતેષ આવે. તેથી મજશેખ આદિ બીજી ઈચ્છા હોય તે મટી જાય છે અને સંગમાં વધારે રસ આવે છે. જે કંઈ મારે કરવું છે તે છૂટવાને માટે જ કરવું છે, એ લક્ષ રાખવા. એ લક્ષ વિના સંસારને પાર આવે તેમ નથી. મોટે નિશ્ચય એ કરવાને છે કે સત્સંગ જેવું કંઈ આત્મસાધન નથી. સંસારનું વિસ્મ ણ કવાનું છે. આત્મા આમભાવ પામે તે આત્મા પોતે જ ધર્મરૂપ છે. જ્ઞાની પુરુષ પાસેથી પિતાનું સ્વરૂપ સંભળી શ્રદ્ધા કરે તે ધર્મ છે. કલ્પના કરીને જીવ અનાદિ કાળથી રખડ્યો છે. કલ્પનાથી શ તિ થાય નહીં. જ્ઞાની દ્વારા આત્માનું ખરું સ્વરૂપ સમજાય તે કલ્પનાઓ માટે, અને શાંતિ થાય. બેઝવાડા, પિોષ સુદ ૫. ૨૦૦૮ પૂજ્યશ્રી–સંકલ્પ વિકલ્પ રેકવા એ બહુ મુશ્કેલ છે, મન વશ કરવું એ બહુ મુકેલ છે. એ કરવા માટે ત્યાગવૈરાગ્ય વિશેષ જોઈએ. ઘણા કાળના બધે એ સમજાય છે. જ્ઞાનીની અપૂર્વતા લાગે ત્યારે મન ત્યાં રહે. બધ વડે મન વશ થાય છે, મનને કંઈ ને કંઈ કામ જોઈએ છે. એને વિચારમાં રેકે તે બીજે ન જાય. એને ખોરાક આપીએ તે બીજે ન જાય. માગ એ કહ્યો કે–જ્ઞાની પુરુષને વેગ અને તેની પ્રતીતિ. ઉપશમભાવ આવે, વિતરગતા પ્રગટે, એવા પુરુષની જ રાખવી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એ ચારની અનુકૂળતા જોઈએ. આ કાળમાં પ્રવૃત્તિ વધી ગઈ છે, જરૂરીઆત કરતાં વધારે થઈ ગઈ છે. લેભવૃત્તિ વધતી જાય છે. જ્યાં સુખ નથી ત્યાં સુખ શોધ શોધ કરે છે. એક ડોશી હતી, તે કપડું સીવતી હતી. એવામાં તેની સંય ખોવાઈ ગઈ. ઘરમાં અંધારું હતું. પછી કેઈએ કહ્યું, ડોશીમા! અજવાળે છે. તેથી તે ડોશી બહાર અજવાળે જઈને શેધવા લાગી, પણ ક્યાંથી મળે? ઘરમાં સોય ખોવાઈ અને બહાર શોધવાથી કંઈ મળે? એમ આ જીવ બીજામાં સુખ છે નહીં, ત્યાં સુખ શોધવા જાય છે. કેટલાય ભવ થયા પણ સમાધિસુખ પ્રાપ્ત થયું નથી. જ્યાં સુખ છે ત્યાં તો શોધતું નથી અને જ્યાં નથી ત્યાં શેધે છે. જવના બધા પ્રયત્નો નિષ્ફળ જાય છે તેનું એ જ કારણ છે. અશાતાને ઉદય આવે છે ત્યારે તેને ટાળવાના ઉપાયે કરે છે, બહુ ફાંફાં મારે છે; પણ ખરો ઉપાય કરતું નથી. સમજણ નથી. અશાતા વેદની ન જોઈતી હોય તો નવું પાપકર્મ ન બંધાય એવું કરવું. એને જોઈએ છે તે સાચું સુખ જડતું નથી. જોઈએ છે બીજું અને કરે છે બીજું, સમજણ વગર જીવ દુઃખી થાય છે. પાપનું ફળ દુઃખ આવે છે. અને ફરી ખોટા ઉપાય કરીને પાપ બાંધ બાંધ કરે છે. મને અજ્ઞાન છે તેથી હું દુઃખી છું, એમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy