SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ્રહ ૩ થઈ છે, એવા પુરુષ પ્રત્યે રાગ તે મોક્ષનું કારણ છે. વીતરાગ પ્રત્યે રાગ તે પ્રશસ્ત ૨૫ છે. શું કરવું? શું કરવાથી હું સુખી થાઉં? કરવાથી હું દુઃખી થાઉં ? સમ્યક્ વ કરવું હોય તે એની જ કરવી. આત્માની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે. વ્યવહાર એ પરમાર્થનું કારણ છે. મોક્ષ મેળવવાનાં સાચાં કારણે મળ્યાં છે, પણ પોતે સાચો થાય તે મોક્ષ થાય. જગતની વિસ્મૃતિ કરવાથી પાંસરું થશે. સંસાર અને મેક્ષ એ બેય રસ્તા જુદા છે. સંસારનો માર્ગ છે એમાં ગ્રાણ કરવાનું છે અને મેક્ષનો માર્ગ છે તેમાં ત્યાગ કરવાને છે. અસંગપણમાં જ સુખ છે એ ધ્યેય થાય તે મોક્ષમાર્ગમાં એ મદદ કરે. બીજી આશાઓ મૂકવી પડે. આત્માથી થાય તે બધું બને. એ થયા પછી જે કંઈ કરે તે સવળું થાય. આત્માથી ન હોય ત્યાં સુધી મમત્વ હોય છે, અને મમત્વને લઈને મેક્ષ ન થાય. મમત્વને લઈને આ સંસાર છે. મન વશ થાય તે બધું થાય. મનને લઈને સંસાર અને મનને લઈને મેક્ષ છે. મનનું સ્વરૂપ પુરુષ પાસે સમજવાનું છે. શાસ્ત્રોમાં મનના બે ભેદ પાડ્યા છે : એક દ્રવ્યમન અને બીજું ભાવમન. સંક૯૫ વિકલ૫ આત્માના ભાવથી થાય તે ભાવમન. દ્રવ્યમન વિચાર કરવાનું સાધન છે મન સમજવું ઘણું અઘરું છે. ઘણું બંધ થાય ત્યારે સમજાય છે પિતાનાં પરિણામ તપાસવ. મનને લઈને શું શું થાય છે? આ વાત ઘણા કાળના બેધે સમજાય છે. મન એ તપાસવા જેવું છે. “મન”, “તેને લઈને”, “આ બધું અને તેને નિર્ણય– આ ચાર વરતુઓ ઘણું કાળના બધે સમજાય છે. એ સિદ્ધાન્ત પુરુષ પાસેથી સમજવો જોઈએ મનને યથાર્થ નિર્ણય તે સમ્યગ્દર્શન થાય ત્યારે થાય. ઘણા કાળના બધે સમજાય એવું છે. જેને છૂટવું છે, જેને મોક્ષે જવાની ઈચ્છા છે, તેનું મન બીજે જાય નહીં. યથાર્થ જ્ઞાન થયા પછી વૃત્તિ આત્મા તરફ જ વહ્યા કરે છે. મન કેમ વશ થાય ? આ વાત ઘણા કાળના બેધથી સમજાય છે, અને સમજાય છે એટલે મન વશ થાય છે. વિચાર કરશે તે સમજાશે. જ્ઞાની પુરુષને દેહ બે કારણને લઈને વર્તે છે ઃ એક તે પ્રારબ્ધ કર્મ ભેગવવાને અર્થે, અને બીજું, બીજા ના કલ્યાણ અર્થે જ્ઞાનીને એવું હોતું નથી કે જેનું કલ્યાણ કરવું. પ્રારબ્ધને લઈને ઉદાસપણે ઉદયાધીન વર્તે છે. જ્ઞાની પુરુષની મન-વચન-કાયાની ચેષ્ટા આશ્ચર્યકારી હોય છે. એ જે જીવને સમજાય તે નિજ થાય. જ્ઞાની પુરુષ “આ જીવને એ ઉપદેશ આપવો અને બીજા જીવને એ ઉપદેશ આપ’ એમ કરતા નથી. સહુજ સ્વભાવે ઉદય આવે તે ઉપદેશ આપે. ધ્યાન કરું, વિદ્યા ભણું તેના કરતાં જ્ઞાનીનાં વચનનો વિચાર કરે એ વધારે હિતકારી છે. લેકસંજ્ઞામાં વૃત્તિ ન જાય, જ્ઞાનીએ કહ્યું તે જ મારું માનવું છે, એ નિશ્ચય જોઈએ. વૃત્તિ જે શાસ્ત્રસજ્ઞા પર જતી હોય તે તે બ્રાન્તિ છે. સાપુરુષના એક એક વાકયમાં, એક એક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે. જ્ઞાનીનું એક વચન પણ વિચારવાથી મોક્ષ થાય એવું છે. મુનિએ ચિલાતીપુત્રને ઉપશમ વિવેક સંવર એમ ત્રણ શબ્દ કહ્યા. પછી મુનિ ત્યાંથી ચાલ્યા ગયા. ચિલાતીપુત્ર પછી વિચાર કરવા મંડ્યો. મારે શું કરવાનું છે? વિવેક શું છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy