________________
કર
સંગ્રહ ૩ લેકે એમ માને છે કે આત્મા એક જ છે. પણ એમ જે હોય તે રામ મ ગયા તે બધાને મેક્ષ થવો જોઈતું હતું. આત્માનું જ્ઞાન એક જાતનું છે, પણ આત્મા જુદા જુદા છે. અનંત ગુણ હોય પણ આત્મા એક કહેવાય. વૈરાગ્યઉપશમ હોય તે સમજાય કે શું કહેવું છે, અને જાણવાની જિજ્ઞાસા વધે. વિશેષ જાણતાં એવી બેટી ભ્રતિ ટળી જાય. જ્યાં સુધી ભ્રાંતિ છે ત્યાંસુધી સમજાય નહીં.
મુમુક્ષુ –“વચનામૃતમાંથી પત્ર કે “મોક્ષમાળાના પાડ વાંચતાં આ તે મેં વાંચ્યું છે, ફરી ફરી શું વાંચવું, એમ સામાન્ય થઈ જાય છે અને વિચાર નથી આવતા તેને માટે શું કરવું ?
પૂજ્યશ્રી પુરુષના એક એક વાક્યમાં, એક એક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે ” (૬૬). મને સમજાતું નથી, પણ જ્ઞાનીએ જે કહ્યું છે તે સાચું છે. મેક્ષમાળા' તે બહુ વિચારવા જેવી છે. મોઢે કરવા જેવી છે, માટે મોઢે કરવી.
આપણે આત્મસ્વરૂપ છીએ. કર્મને લઈને ભૂલા પડ્યા છીએ. દેડ છે તે આત્મા નથી. જે પ્રકારનાં કર્મ ઉદય આવે તેમાં સમભાવ રાખી વર્તવું એ જ્ઞાની પુરુષને માર્ગ છે. ગુરુ કૃપા કરે તો સમભાવ થાય, બધું થાય. ગમે તેવું કર્મ ઉદયમાં આવે તે પણ તે વખતે મુમુક્ષુપણું ન છેડવું. આત્માને સ્વભાવ જાણવાને છે. ઘણી અનુકૂળતા વખતે સમભાવ ન રહે, પણ મારે સમભાવ રાખે છે. એવી ભાવના રાખવી. કરવા યોગ્ય સમભાવ છે, બીજી ઈચ્છા ન કરવી. કોઈ કેઈનાં કર્મ લઈ શકે એમ નથી. પોતપોતાનાં ભેગવ્યા વિના છૂટક નથી. બધાં કર્મ છૂટે છે. જ્ઞાની પુરુષે કદી અન્યથા કરે નહીં, કહે નહીં. કૃપાળુદેવ લખે છે કે આ મા સિવાય બીજામાં ચિત્ત જતું નથી. પિતાનું રૂપ મૂકીને બીજામાં સુખ હોય જ નહીં. કર્મના ગમે ત્યાં જાય, પણ ત્યાં જ્ઞાની પુરુષને કંઈ ગમે નહીં. પહેલા જે કર્મ બાંધ્યાં છે એટલા પૂરતું જ ત્યાં જવું પડે છે. બાંધેલું છે તે છૂટી જાય એવી ભાવના રાખવી.
- એક ભાઈઆઠ દષ્ટિની સાયમાં પાંચમી સ્થિરાદષ્ટિ છે, તેમાં “એ ગુણ વીરતણે ન વિસારું” છે, એના બદલે અહીં “નિત્યકમ માં “એ ગુણ રાજતણે ન વિસારું ? એમ બોલાય છે તેથી લેકો કહે છે કે ભગવાન મહાવીરને ઉઠાવી રાજચંદ્રજીનું નામ અંદર કેમ બોલાય છે ?
પૂજ્યશ્રી–જેની ભક્તિ કરતાં ઉલ્લાસ આવે તેનું નામ લેવું. લેકોને દેખાડવા ભક્તિ નથી કરવી, આત્મહિત માટે કરવી છે. સમજ સમજમાં પણ કેટલેય ફેર છે.
“સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય.” એ દશા આલ્વે સમજાય એવું છે. મહાવીર મહાવીર એમ બધા કહે, પણ મહાવીરને ઓળખનારા વિરલા છે. ગુરુભક્તિ એ જ સર્વોત્કૃષ્ટ છે.
પ્રથમ નમું ગુરુરાજને, જેણે આપ્યું જ્ઞાન;
જ્ઞાને વીરને ઓળખ્યા, ટળ્યું દેહ-અભિમાન.” -મંગલાચરણમાં પણ કહ્યું છે કે—
ગુરુભક્તિસે લહે તીર્થપતિપદ શાસ્ત્રમે વિસ્તાર હૈ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org