SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ બેધામૃત જીવ ભૂલી જાય છે. અહંભાવમાં જીવ તલ્લીન થઈ જાય છે. અહંભાવ હોય ત્યાં સુધી કલ્યાણ ન થાય. માન સંસારમાં સર્વત્ર નજરે આવે છે. ખાતાં, પીતાં, ચાલતાં, બેસતાં જીવ માન સાથે રાખીને ફરે છે. વિચારે કે મેં શું કર્યું? અભિમાન કરવા જેવું તે શું છે નહીં. પણ વિભાવ અને અહંભાવને લઈને જીવને એવા વિચાર નથી આવતા. અમૃતચંદ્રાચાર્યે “તત્વાર્થસાર” ગ્રંથમાં છેવટે લખ્યું છે: “મેં કશું કર્યું નથી; ધાતુને લઈને શબ્દ થયા, શબ્દથી વાક્ય બન્યાં અને વાક્યોથી આ ગ્રંથ બને. એમાં મેં શું કર્યું? કશુંય કર્યું નથી.” સમજણ હતી તેથી અભિમાન ન થયું. સાચ ગ્રહણ થતું નથી. ભવને આધારે સંસાર અને ભાવને આધારે મેક્ષ છે. અજ્ઞાનથી જે જવ ભાવ કરે છે તે લૌકિકભાવ છે અને જ્ઞાની પુરુષની આજ્ઞાએ જે ભાવ કરે છે તે અલૌકિકભાવ છે. ઇન્દ્રિયને વશ કરવી તે ઉપગ સ્થિર રહેવાનું કારણ છે. પંચ ઇઢિયે પણ વશ કરી લે તેય કલ્યાણ તે પુરુષના આશ્રયે જ થાય છે. સત્સંગમાં વિન્ન કરનાર પાંચ ઇન્દ્રિયેના વિષયે છે. પૂર્વે ઘણીવાર સત્સંગ મળ્યા છતાં પાંચ ઇન્દ્રિયના વિષમાં વૃત્તિ રહેવાથી નિષ્ફળ થયા છે. પાંચ ઈન્દ્રિયના વિમાંથી પાછા ખસે તે જ્ઞાનીનું કહેલું સમજાય. એ પહેલું પગથિયું છે. આત્મા મારે પ્રાપ્ત કરે જ છે એ લક્ષ તે અંતરલક્ષ છે. અંતરવૃત્તિ થાય તે આત્માને શું થઈ રહ્યું છે તેની ખબર પડે. જ્ઞાની પુરુષને લક્ષ રહે તે કલ્યાણ થાય, જ્ઞાની પુરુષના યેગે જ બધાં સાધને સફળ થાય છે. શરીરના રેગ જુદા છે અને આમાના રેગ જુદા છે. જન્મમરણ એ આત્માના મુખ્ય રોગ છે. લેમ છે એ પણ રોગ છે. ઉપાય કર્યા વિના લેભ ન જાય; પણ જીવને દર્દી લાગે તે દવા કરે. સંસાર દુઃખરૂપ લાગે તો છડે. આ સંસાર લેમને લઈને છે. બધાં દુઓનું મૂળ કારણ ઇરછા છે. હે છવ, ક્યા ઈચ્છત હવે, હે ઈચ્છા દુઃખમૂલ.” દરદ સમજે તે કાઢવાને પુરુષાર્થ કરે. વિચારે તે ખબર પડે કે મને ક્યાં ક્યાં લેભ થાય છે? દુઃખરૂપ લાગે તે છોડે. લેભ જાય તે નવરો થાય અને સદ્વિચાર આવે. માં પડે ત્યારે ડોકટરને શોધે છે, તેમ જ લે છે તે મને મેટો રોગ છે એમ લાગે તે લેભ જાય એવા ઉપાય શોધે. જેમ જેમ ઇચ્છા વધારે તેમ તેમ જીવ નીચી ગતિમાં જાય છે. સમ્યકત્વ ન થવા દે એ લેભ છે, આત્મા ભણું ન વળવા દે એવો છે. દોષો જાય તે જ્ઞાન પ્રગટે. મારે દે છેડવા જ છે એવી અંતરમાં લાગણી થાય તે દે છૂટે. જ્ઞાની પુરુએ ઘણું કહ્યું છે પણ જે કરવું બાકી રાખ્યું છે. જીવને જે અપૂર્વતા લાગે તે જ્ઞાની પુરુષનું કહેલું વારંવાર એને સાંભરે. લેભ ઓછો કર્યા વિના સમકિત ન થાય જે જે કરવું છે તે બધું જ છોડવા માટે કરવું છે. જીવ જ્ઞાની પુરુષનાં વચન માનતે નથી. બીજભૂત લાગણી થાય તો પાછો પડે નહિ. આત્મા લેભને કાઢવા પાછળ પડે તે કાઢી શકે. દેષ કાઢવાની વૃત્તિ થઈ તે દોષ કાઢીને જ્ઞાન, દર્શન, મેક્ષ બધું પ્રાપ્ત કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy