SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ o બેધામૃત અરૂપી છે. જડ અને ચેતન બે વસ્તુ છે જે જાણે તે ચેતન જે ન જાણે તે અચેતન, જડ. પુદ્ગલમાં હર્ષ–શેક, મેહ ઈત્યાદિ કરીને જીવ પોતાને સુખી-દુઃખી માને છે તે ભૂલ છે. એ ભૂલ નીકળે તો પછી ગભરામણ, મૂંઝવણ કંઈ ન થાય. જેને મેહ ઓછો થયો છે તેને મૂંઝવણ ન થાય. આ દેડ મારે છે એમ થઈ ગયું છે. આખી જિંદગી મારે દેહ, મારે દેહ’ એમ કરે, પણ પિતાને ન થાય. “મારે દેહ, મારે દેહ” એમ કરે છે એ બ્રાંતિ છે. સદ્ગુરુનો એગ થાય તે એ ભ્રાંતિ દાય. “ દેહાદિથી ભિન્ન આતમા રે” એનું નામ જ્ઞાન છે. જેવું છે તેવું જાણે તે મોહ થાય નહીં. કોઈ વસ્તુમાં મોહ કરવા જેવું નથી. શરીરમાં બધે ગંદવાડો છે. હાડમાંસથી ભરેલું છે, ક્રાંતિને લીધે જીવ એને પવિત્ર માને છે. પિતાનું નહીં તેને પિતાનું માની રહ્યો છે, એ જ ભ્રાંતિ છે, જીવતાં મરાય તે ફરી મરવું ન પડે. દેહ એ આત્મકલ્યાણ કરવાનું સાધન છે, પણ એમાં મેહ કરવા જેવું નથી. જ્ઞાની પુરુષ અને જ્ઞાની પુરુષને આશ્રિત બેય મોક્ષમાર્ગમાં છે. સદગુરુ કહે તે માને એટલું થયું તે મોક્ષ થઈ જાય એવું છે. જ્ઞાનીને એક આત્માનું જ શરણ હોય છે અને આશ્રિતને જ્ઞાનીનું શરણ હોય છે, તેથી તેને પણ મોક્ષ થાય છે. જ્ઞાની પુરુષનું ઓળખાણ થાય તે પિતાનું પણ એળખાણ થાય. નિજરવરૂપને જે જાણે છે તેને દેહમાં મમતા હોતી નથી. દેહને જેમ છે તેમ જાણે તે મમત્વ ટળે અને આત્મજ્ઞાન થાય. આત્મજ્ઞાન થવાથી આત્મસ્વરૂપમાં સ્થિરતા થાય. તેથી તેને દેહ છૂટતાં મેક્ષ થાય. દેહનું મમ વ ગયું તે ફરીથી દેહ પ્રાપ્ત ન થાય. કૃપાળુદેવ નડિયાદમાં હતા ત્યારે એક વખતે પિતાને કેટ ઉતારીને એક ભાઈને આ અને કહ્યું કે જેવી રીતે અમે આ કોટ આપીએ છીએ, તેવી રીતે આ દેહ છોડીને જવાના છીએ. આત્મા દેહથી ભિન્ન છે, એવું જેને થયું છે તેને દેહ છોડતાં કેટ ઉતાર્યા જેવું લાગે છે. મેહ ઓછો કરવાને છે, માટે પ્રમાદ ન કરે. શાતામાં મેહ એ કરવાને અભ્યાસ ન કર્યો હોય તે અશાતામાં વિચાર કરીને પણ ઓછો કરવો. એમ પણ ન થયું હોય તો મરણકાળે તીવ્ર વેદના વખતે હું દેડથી ભિન્ન છું એ ભુલાય નહીં એવું કરવું. સમાધિમરણ કરવા માટે મનુષ્યભવ મળે છે. માટે પ્રમાદ ન કરે. Vદેહ છે તે એક ધર્મશાળા જે છે વૈરાગ્યમાં વૃત્તિ વાળવી. બીજાને દેહ છૂટી જવાથી હું બંદ કરી રહ્યો છું પણ મેં તે કશી તૈયારી કરી નથી. મારે માથે પણ મરણ તે છે, માટે હું દેડથી ભિન્ન છું એવું દઢ કરવા દે. એમ તે વખતે વિચાર કરે. કઈ અમરપટ્ટો લઈને આવ્યું નથી. મરણની તૈયારી કરી રાખવી. ગાડીમાં જવું હોય તે પહેલાં તૈયારી કરવાની જરૂર છે. સમાધિમરણ માટે કેમ કરવું ? એ સમજવા “ભગવતી આરાધના વગેરે પુસ્તક છે. કષાય ઓછા કરવાના છે. કષાય ઓછા થાય ત્યારે સમાધિમરણ થાય. સમાધિમરણ કરાવે એવા પુરુષને સમાગમ થ બહુ દુર્લભ છે. સમક્તિનું કેટલું મહામ્ય છે તે જવના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy