SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ધામૃત નથી આવતું. મોક્ષની વાતનાં ગપ્પાં માર્યાથી કંઈ કામ થાય નહીં. એ તે જેને અનુભવ છે તે જ જાણે છે. અનુભવ વિના ન જાણી શકાય. મારે શું કરવું કે જેથી સુખ મળે?' એવી મૂંઝવણ થાય, ત્યારે માર્ગ મળે. જ્યાં સુધી ભગવાનનું શાસન છે ત્યાં સુધી કઈ ને કેઈ મહાપુરુષ તે હોય છે જ. ગરજ જાગવી જોઈએ. ૧૦ ગુડિવાડા, પોષ સુદ ૨, ૨૦૦૮ કૃપાળુદેવ પિતાની દશા જણાવે છે કે આત્માને મૂકીને બીજે ક્યાંય ચિત્ત જતું નથી. “અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ.” (૨૫૫). વરાગ્યનું સ્વરૂપ કેવું છે, તે જેની પરમાર્થમાં વૃત્તિ લીન છે તેને સમજાય છે. નિરંતર આત્મસ્વરૂપમાં વૃત્તિ સ્થિર રહે એવું કરવાની જરૂર છે. જ્ઞાની પુરુષોને પૂર્વકર્મને લઈને કેઈ કાર્ય આવી પડે તે તેઓ ઉદાસીનતા રાખીને તે કાર્ય કરે છે. જ્ઞાનીને ઓળખે, ભજે અને ઇચ્છે તે ઉત્તમ મુમુક્ષુ છે. ગવાસિષ્ઠમાં વૈરાગ્યનું સારું વર્ણન છે, તે મુમુક્ષુ જીવે વિચારવા યોગ્ય છે. શ્રી રામચંદ્રજી તીર્થયાત્રા કરી આવ્યા ત્યારે બહુ વૈરાય હતે, દશા ફરી ગઈ હતી. ખાવું, પીવું, પહેરવું, રાજ્ય કરવું, નાટક જેવાં કંઈ ન ગમે. માથે મરણ છે, માટે આત્માનું કલ્યાણ કરી લેવું, એમ લાગ્યું હતું ઉદાસ પરિણામ ભજવાયેગ્ય છે, વિચારવાયેગ્ય છે. જે જમ્યા છે તે મરવાના છે, પણ જીવ ભૂલી જાય છે. મરણ યાદ રહે તે વૈરાગ્ય થાય. મહાપુરુષનાં વચને જીવને અસર કરે છે. મરણને વિચાર જીવને સૂઝતું નથી. આ અનિત્ય દેહ છે તે બધાને છોડવે પડશે. મરણ આવે ત્યારે ગમે તેવી દવા આપે તો પણ તે લઈ જાય છે. અનિત્ય વસ્તુની જીવ ચિંતા કરે છે, પણ નિત્ય એ જે આત્મા તેની ચિંતા નથી કરતે. નિત્ય એવા આત્માને વિષે વૃત્તિ જતી નથી એ ખેદકારક છે. શાશ્વત પદાર્થમાં વૃત્તિ રાખવી કેઈનું મરણ થયું હોય ત્યારે વિલાપ કરીને રડે તે કર્મ બંધાય. તે વખતે વૃત્તિ વૈરાગ્યમાં વાળવી. કૃપાળુદેવ લખે છે કે “દેહ છોડવાને છે તે અમે ભૂલતા નથી. પૂર્વે જે કર્મ બાંધ્યાં છે તે ઉદય આવે છે, તેમાં આ દુઃખ છે માટે ખરાબ છે, આ સુખ છે માટે સારું છે, એમ ન કરવું. કર્મની રચનામાં જીવ ખેંચી ગયે છે તેથી ન કરવા ગ્ય કાર્ય કરી બેસે છે. ગુડિવાડા, પિષ સુદ ૩, ર૦૦૮ કેવલજ્ઞાનનું સ્વરૂપ જાણવું દુર્લભ છે. જિન ભગવાનનું કહેલું વચન સમજવું મુશ્કેલ છે. “જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સશુરુ, સુગમ અને સુખખાણ.” (૯૫૪) ભગવાનને કહેલે આશય સમજે એક બાજુ પડ્યો રહ્યો છે તેથી અંતરંગ ફેરફાર કરવાનું કે ભૂલી ગયા છે. ભગવાને શું કહ્યું છે? એ વિચારવાવાળા થડા છે. બીજા જીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy