________________
સંગ્રહ. ૩
પિતાને અને પરને હિતકારી થાય તેનું નામ જ્ઞાન છે. બીજા જીવને દૂભવે તે જ્ઞાન નહીં. આહારદાનમાં પણ સામા જીવને પ્રમાદ ન થાય એ આકાર આપો સામા જીવની અને પિતાની બન્નેની મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ થાય એવો આહાર આપ. મને પુરુષની જરૂર છે એવું જીવને લાગ્યું નથી. મોક્ષમાર્ગ બતાવનાર સદ્દગુરુ જ છે.
પ્રત્યક્ષ સરુ સમ નહીં, પરોક્ષ જિન-ઉપકાર;
એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર.” જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જીવની યોગ્યતા જોઈએ. એગ્યતા એટલે જિજ્ઞાસા વિશ્વાસ જોઈએ. જ્ઞાની પુરુષ દિવસ હોય અને રાત કહે તે પણ માને. પિતાની બુદ્ધિની મંદતા કરે અને જ્ઞાની કહે તે ખરું છે એમ માને ત્યારે વિશ્વાસ આ કહેવાય. હું કંઈન જાણું એવું થાય તે યોગ્યતા ય આવે, બધું આવે. પિોતાની બુદ્ધિ મૂકવી અઘરી છે. માથું મૂકે પણ પોતાની બુદ્ધિ નડુિં મૂકે. બુદ્ધિમાં આવે એવી વાત નથી. બુદ્ધિથી આગળ વાત છે. ખરેખરું જે સ્વરૂપ છે તેની ભક્તિ કરવા જેવી છે. ભક્તિ કરવાવાળાના ભાવ બીજા હવા જોઈએ. સહજાત્માસ્વરૂપને ભૂલીને જે કંઈ કરીએ તે બધું નિષ્ફળ થાય. સમજણ જોઈએ.
“સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય.” એ વસ્તુને જે પામેલ હોય તે જ પમાડી શકે. જેને તરતાં આવડતું હોય તે જ તારી શકે. જેની પાસેથી ધર્મ માગવે, તે પામ્યાની પૂર્ણ ચેકસી કરવી. (૪).
બીજુ કંઈ શેધ મા. માત્ર એક પુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વત્યે જા.” (૭૬) જે વસ્તુ પામ્યા છે એવા પુરુષની પ્રાપ્તિ કરવી. એ ન થવાથી અનાદિથી પરિભ્રમણ થયું છે. પુરુષને વેગ અને જીવની યોગ્યતા બને છે ત્યારે કલ્યાણ થાય. કર્મનું મૂળ કારણ અજ્ઞાન છે. એ ટાળવા માટે પુરુષની જરૂર છે. જીવને પુરુષને વેગ પણ ઘણી વાર મળે, પણ જીવ ચે નહીં. તેથી પરિભ્રમણ ન ટળ્યું.
પ્રશ્ન—સંસારને ક્ષય કેમ થાય? ક્રિયા કરતાં તે પાર ન આવે. માટે વખત વધારે ન લાગે અને લાભ થાય એ કયે રસ્તો છે ?
પૂજ્યશ્રી–સત્સંગને વેગ એવો છે કે જીવના ભાવ ફરતાં વાર નથી લાગતી. છેડા વખતમાં ઘણું કામ થઈ જાય. કમઠની પાસે પાર્શ્વનાથ ગયા. ત્યાં સાપ નીક.. સાપને ભગવાનના દર્શન થયાં, સ્મરણ મળ્યું, તેથી ધરણેન્દ્ર થયો. એ બધાનું કારણ સત્સંગ. અલ્પકાળમાં ઘણું કામ થઈ જાય એવો આ સત્સંગ છે. ચિત્તની એકાગ્રતા પણ સત્સંગમાં થાય છે. ભાવ ફેરવવાને ઉપાય સત્સંગ છે. ભરત ચક્રવતી ઋષભદેવ ભગવાનને વંદન કરવા જતા હતા ત્યારે તેમના હાથીના પગ નીચે જે છ કચરાયા તે ભરત ચક્રવર્તીના પત્રો થયા અને મેક્ષે ગયા. મરુદેવા માતા પણ ઝાડમાંથી આવ્યાં અને મોક્ષે ગયાં. સાચી વસ્તુને વિશ્વાસ આવે તે કામ થઈ જાય. આ કાળમાં એવા પુરુષ થયા છે, પણ લેકેને વિશ્વાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org