________________
૮ ગુડિવાડા, માગશર વદ ૦)), ૨૦૦૮ ચિત્રપટની સ્થાપના કરી છે તે જ ભક્તિ કરજે. રોજ સાંજે વધારે ન બને તે થોડું પણ વાચન રાખવું. “નિત્યક્રમ પુસ્તકમાંથી બને તેટલું આલેચના, આઠ દષ્ટિની સઝાય, વગેરે બોલવું. રોજ કંઈને કંઈ સ્વાધ્યાય, ભક્તિ કરવી. ભક્તિ કર્યા પછી વાંચવું. વધુ ન બને તે રેજ મેક્ષમાળાને એક પાઠ તે વાંચવે જ છે એ નિયમ રાખવો. આપણે ભક્તિ કરી છે, હવે વાંચવાની શી જરૂર છે એમ ઉપેક્ષા ન કરવી. વચનામૃતની નવી આવૃત્તિમાંથી ક્રમે ક્રમે રોજ વાંચવાનું રાખવું. તે વાંચવાથી જ્ઞાની પુરુષોને શું કહેવું છે, તે સમજાય છે.
જ્ઞાન અને ભક્તિ બને જોઈએ. ભક્તિનું ફળ જ્ઞાન છે. દયા, સંતેષ, ક્ષમા, સમતા એ બધા આત્માના ધર્મો છે તે પ્રગટ થાય, જન્મમરણ ટળી જાય, એ મોટો લાભ છે. જુવાની છે ત્યાં સુધીમાં કરી લેવું, પછી કંઈ ન થાય. પછી વૃદ્ધાવસ્થા આવે, શરીર રેગીલું થઈ જાય, ખાટલામાં પડ્યા રહેવું પડે. એમ બધાય દિવસ પ્રમાદમાં વહ્યા જાય. જુવાનીમાં જેટલી સ્મરણશક્તિ હોય છે તેટલી ઘડપણમાં નથી હોતી. જુવાનીનું કમાયેલું ઘડપણમાં ખાય તેમ જેને યુવાવયમાં સમક્તિ થઈ ગયું તેને પછી વૃદ્ધાવસ્થા આવે તે પણ એક્ષમાર્ગમાં સહજે પ્રવર્તન થાય. ભક્તિ, વાચન, સ્વાધ્યાય આદિ બધુંય કરીને અસંગ થવાનું છે. સંગના વેગે આ જીવ સહજ સ્થિતિને ભૂલ્યા છે, માટે અસંગ થવાનું છે.
છૂટે દેહાધ્યાસ તે, નહીં કર્તા તું કર્મ,
નહીં ભક્તા તું તેહને, એ જ ધર્મનો મર્મ.” બધુંય કરીને છેવટે દેહાધ્યાસ છોડવાનું છે. દેહ છતાં જેની દશા, વતે દેહાતીત એ જ મોક્ષ છે. સર્વ વિભાવથી હું મુક્ત છું એવું કરવાની જરૂર છે. જગત બધું નાશવંત છે. જે નાશવંત છે તે આપણું નહીં. જે અમર છે તે આપણું છે. કલ્પના એ જ દુખ છે.
“જહાં કલપના, જલપના, તહાં માનું દુઃખ છાંઈ;
મિટે કલપના, જલપના, તબ વસ્તુ તિન પાઈ.” જ્યારે કલ્પના જાય ત્યારે દુઃખ મટે અને સુખ પણ પ્રાપ્ત થાય. જગત બધુંય સ્વમ જેવું છે. હમણાં દિવસ દેખાય છે અને થોડીક વારમાં રાત પડી જશે. એવું આ જગતનું સ્વરૂપ ફરતું દેખાય છે. જે દેખાય છે તે ક્ષણે ક્ષણે નાશ પામે છે. એક આત્મા નાશ નથી પામતે. આત્મા જડથી ભિન્ન છે, અજર અમર છે. આ કાળમાં કૃપાળદેવ એક અપવાદરૂપ પુરુષ થયા છે. જે વેગ ચોથા આરામાં દુર્લભ તે આપણને થયો છે. જગત બધું એંઠવાડા જેવું છે, “સકલ જગત તે એઠવત્, અથવા સ્વમ સમાન.” કૃપાળદેવને જગત બધું એંઠવાડા જેવું લાગતું હતું, એ વૈરાગ્ય હતો.
પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન, ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઊપજવા પૂર્વિત ભાગ્ય, તેમ નહીં તે કંઈ સત્સંગ, તેમ નહી તો કંઈ દુઃખરંગ.” (૧૦૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org