SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ્રહું લૌકિક ભાવમાં જાય છે તેથી પોતે પિતાને છેતરે છે, ઠગે છે. જીવ અહંભાવ કરે છે કે હું જાણું છું, સમજું છું, તેથી ઠગાય છે. અચિન્ત તુજ માહાસ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ.” એમ રહેવું જોઈએ. જીવને સામાન્યપણું થઈ જાય છે તે વંચનાબુદ્ધિ છે. જેને માર્ગની ખબર નથી તે અજ્ઞાનદશામાં શું કરી શકે? પણ સપુરુષના યોગે સારું થાય છે. સત્સાધનની જરૂર છે. આ જીવ અજાને આંધળો છે. સત્સંગનું માહાસ્ય લાગશે ત્યારે માર્ગ હાથ આવશે. જ્ઞાની પુરુષના યોગે પણ અભિમાન ન ટળે તે ક્યારે ટળે? પિતાની લઘુતા અને સત્સંગનું માહાભ્ય લાગશે ત્યારે કલ્યાણ થશે. ચિદાનંદજીએ પણ ગાયું છેઃ લઘુતા મેરે મન માની, યહી ગુગમ જ્ઞાન નિશાની.” સત્સંગ પણ લઘુતા હશે ત્યારે ફળશે. ૭ શ્રવણબેલગોલ, માગશર સુદ ૯, ૨૦૦૮ દે છે અને આત્મા છે. બન્ને જુદા છે. દેડ છે તેને પિતાનો માન્ય છે, તેથી વેદના થાય ત્યારે શરીરની ચિંતા કરે છે ત્યાં મુમુક્ષુતા નથી. મુમુક્ષુને તે તે વખતે આવા વિચાર થાય કે દેહ કેદખાના જેવું છે, વહેલું છુટાય તે સારું જે થવાનું હતું તે થયું, ભલું થયું. જ્યાં સુધી સમભાવમાં વૃત્તિ ન રહે ત્યાંસુધી મુમુક્ષતામાં ખામી છે. મુમુક્ષુ એટલે મૂકવાની ઈચ્છાવાળે. હજી સંસારના દુઃખથી કંટાળ્યું નથી. દુઃખનાં કારણેમાં ગભરામણ થતી હોય તે જાણવું કે મારામાં મુમુક્ષુતા નથી. બધેથી છૂટવાનું છે. કર્મ બાંધ્યાં છે, તે તે ભગવ્યાથી છૂટશે. “થાય ભેગથી દૂર.” જ્ઞાની પુરુષ આત્માને દેહથી ભિન્ન જાણે છે. દેહમાં સુખ ભોગવવાની ઇચ્છા, દેહને સારે રાખવાની ઇચ્છા હોય ત્યાં મુમુક્ષતા નથી, અજ્ઞાન છે. આત્માનું અને દેહનું સ્વરૂપ જાયું નથી તે અજ્ઞાન. આત્મા તો પરમાનંદરૂપ જ છે. કૃપાળુદેવે લખ્યું છે કે “તમે પરિપૂર્ણ સુખી છે એમ માને.” (૧૪૩). મુમુક્ષુ છૂટવાને માટે જ જીવે છે. જીવ દેહાધ્યાસથી દુઃખી થાય છે. હું દેહથી ભિન્ન છું, એમ ભાવના કરવી. આત્મા તરફ દષ્ટિ કરે તે અનંત સુખનું ધામ એ આત્મા દેખાય. આપણે જે પૂર્વે કર્મ બાંધ્યાં છે, તે તે ભેગવવા પડશે. જીવે ધીરજ રાખવી. “ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે.” સપુરુષના અવલંબને ધીરજ રહી તે સમાધિમરણ થાય. દેહ છે ત્યાં સુધી વેદનાની અસર રહે છે. પણ આત્માને કંઈ થવાનું નથી. ગભરાવું નહીં. દુઃખ તે સારું છે. કેઈ જીવ અહીંથી સમતિ લઈ દેવલેકમાં જાય તે ઈ પણ આવે, પણ સમકિત લઈ નરકે જાય તે સમકિત વમે નહીં. વેદનાથી આત્માના ગુણનો ઘાત થતો નથી. શારીરિક સુખ આત્માનું નથી. કેટલીય વાર વેદના આવી હશે અને આવશે પણ આત્માને વાળ વાંકે થ નથી, અને થવાનું નથી. માટે ધીરજ રાખવી; ગભરાવું નહીં. દેહ છે તે હાડમાંસનું પૂતળું છે. દેહ સારી વસ્તુ નથી, પણ એનાથી પરમાર્થ સાથે તે મેક્ષ થઈ શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy