________________
સંગ્રહ ૩
૬ શ્રવણબેલગેલ, માગશર સુદ ૮, ૨૦૦૮ ભેદજ્ઞાન થયા પછી પણ ચારિત્રમેહ રહે છે. આત્મજ્ઞાન થયા પછી આત્મા સિવાય બીજે વૃત્તિ જાય તે સમક્તિ જતું રહે. ચારિત્રહ હોય ત્યાંસુધી પુરુષાર્થ કરવાને છે. જાગૃતિ રાખવાની જરૂર છે.
ત્યાગવૈરાગ્યમાં વિશેષ રહેવું. જ્ઞાની પુરુષને આત્માનું ઓળખાણ થયું છે, તેને આધારે આપણને આત્મસ્વરૂપનું ઓળખાણ થાય છે. પૂર્વ કર્મને લઈને પરવસ્તુને સંગ થયે છે. આત્મજ્ઞાન થયા પછી પણ કેટલે બધે પુરુષાર્થ કરવાનો છે ! તે પછી માર્ગને અજાણું હોય તેને માટે તે કહેવું પણ શું? પુણ્ય ઉપર વિશ્વાસ રાખીને બેસી જવાનું નથી. ચેતતા રહેવાની જરૂર છે, નહીં તો ક્યાંય તાણું જાય એવું મન છે. સદગુરુનું અવલંબન મોટું છે. સદ્ગુરુ ઉપર પ્રેમ આવવાથી અને તેની આજ્ઞાએ વર્તવાથી જીવને સમકિત પ્રાપ્ત થાય છે. ત્યારપછી પણ ઘણે પુરુષાર્થ કરવાનું છે. મુનિ બે ઘડીથી વધારે પ્રમત્તમાં ન રહે. બે ઘડી પછી અપ્રમત્ત થઈ જ જાય. જેમ બને તેમ નિવૃત્તિની ઈચ્છા રાખવી અને નિવૃત્તિ કરવી. બધાને આધાર પ્રેમ છે.
પર પ્રેમપ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર બસેં;
વહ કેવલ કે બીજ જ્ઞાની કહે, નિજકે અનુભૌ બતલાઈ દિયે.” એ પ્રેમ ઓળખાયે નથી. સંસાર ભણી પ્રેમ છે, તે ઊઠી મેક્ષ ભણું થાય તે મેક્ષ થાય. સાચી ભક્તિ હોય તેની સાથે જ્ઞાન હોય છે અથવા તે જ્ઞાન તરફ લક્ષ હોય છે. જ્ઞાન તરફ લક્ષ રહે ત્યાં આત્માની ભક્તિ થાય છે. જ્ઞાન થવા માટે ભક્તિ અવલંબન છે. અવલંબન હોવાથી કામ સરલ થાય છે. પુરુષાર્થ કરવાનું છે. સંગને લઈને આ જીવ પિતાને ભૂલી ગયેલ છે. સંગની નિવૃત્તિ કરવી વિકટ છે. સત્સંગે સંગની નિવૃત્તિ થાય છે. સત્સંગમાં પણ જીવે ઘણું પુરુષાર્થ કરવાને છે.
સંસારને ભય લાગ્યો હોય ત્યારે મેક્ષ ભાણ વળે. જ્યાં મીઠાશ લાગે ત્યાં જીવની વૃત્તિ જાય છે. જેને સંસારને ભય લાગ્યો છે તે જ ધર્મઆરાધના કરી શકે છે. જે વસ્તુને આ જીવને પરિચય છે તે એને ગમે છે. ગરજ જાગે ત્યારે છૂટવાને રસ્તે ગમે. ક્યારે મને સત્સંગ મળે, ક્યારે ભક્તિ મળે ?’ એવી અંતરથી ભાવના રાખવી. સમ્યગ્દષ્ટિને આત્મા સંસારથી કંટાળ્યું હોય છે અને પૂર્વકર્મને લઈને ઉપાધિ આવી પડી હોય તે પણ મનમાં તે આ ઉપાધિથી ઝટ છુટાય તે સારું એમ રહે છે. વ્યવહારમાં તે જીવ વિચાર કરે છે, પણ પરમાર્થમાં નથી કરતે. જેને આત્માનું જ્ઞાન છે, તેને પરપદાર્થોનું માહામ્ય ન લાગે. જ્ઞાની પુરુષના અવલંબને આત્મજ્ઞાન થાય છે. માટે એમના અવલંબને રહેવું. એ યોગ ન હોય તે સત્સંગ કે સન્શાસ્ત્રના અવલંબને રહેવું, પણ ભાવના તે જ્ઞાની પુરુષના યેગની જ રાખવી. પરમાં પ્રવૃત્તિ હોય તે ઘટાડી સત્સંગ કરે. એ જ જીવને હિતકારી છે. પુરુષના ગે બીજી વસ્તુને ભૂલીને જીવને પિતાનું સ્વરૂપ જાણવાની ભાવના થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org