SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ બેધામૃત હેર, માગશર સુદ ૬, ૨૦૦૮ પ્રશ્ન–વૈરાગ્ય શાથી રહે? પૂજ્યશ્રી–આખો લેક બળી રહ્યો છે એમ લાગે ત્યારે રહે. જગતમાં કેઈ સુખી નથી. પુણ્યથી સુખી દેખાય છે, પણ સુખ નથી, દુઃખ જ છે. ચારે ગતિના છ દુઃખી જ છે. રાગદ્વેષ છે ત્યાં દુઃખ જ છે. આત્મા અનંતસુખનું ધામ છે, એમ જેને સમજાય તેનું મન બીજામાં ન જાય. આ કાળમાં વિરલા સન્દુરુષે છે. પરમાર્થને માર્ગ મળ દુર્લભ છે. સાચે સત્સંગ જેને થયે હોય તેને રખડવું ન પડે. જન્મમરણ છૂટી જાય એવું છે. કેઈ વખતે પુરુષ મળ્યા તે પોતે જ નહીં અને કોઈ વખત પોતે જાગે તે પુરુષ મળ્યા નહીં. અનાદિકાળથી એમ ખાંડુ-બાંડું થતું આવ્યું છે. પુરુષ મળે પણ આજ્ઞા આરાધવાની રુચિ જાગે તે કામ થાય. જીવને સત્સંગ એ વિશ્રાંતિરૂપ છે. તે પ્રાપ્ત થવો બહુ દુર્લભ છે. સની ભાવના જ જગત કરવા દેતું નથી. સંસારદશા એવી છે કે સત્સંગની ભાવના થવી પણ દુર્લભ છે. ચારે બાજુ અસમાં જ જીવ ભાવના કરી રહ્યો છે જગતમાંનું એક પરમાણુ પણ મારે નથી જોઈતું એવું થાય ત્યારે આત્મામાં રહેવાય. સત્ એટલે આત્મા. મૂળ સ્વભાવ ભણી વૃત્તિ જવી મુશ્કેલ છે. બધું કલ્પિત લાગે ત્યારે સાચા ભણું વળે. પ્રશ્ન–સર્વસંગ એટલે શું? પૂજ્યશ્રી–આત્મધ્યાન કે બોધ અખંડપણે રહેવા ન દે, તેમાં વિહ્મરૂપ થાય તે સર્વ સંગ છે. આત્મામાં જ રહેવું એ સર્વસંગ-પરિત્યાગ છે. જ્ઞાની પુરુષોએ જે વસ્તુ જાણું છે તેમાં અખંડપણે રહેવા માટે સર્વસંગ પરિત્યાગ કરે છે. જ્ઞાનીની સમજણ અને અજ્ઞાનીની સમજણ બન્ને જુદી છે. અજ્ઞાનીને દેહની કિંમત છે અને જ્ઞાનીને આત્માની કિંમત છે. જ્ઞાની પુરુષને સાતમી નરક કરતાં પણ મેહથી વધારે દુઃખ લાગે છે. કૃપાળુદેવ લખે છે કે “હે નાથ! સાતમી તમતમપ્રભા નરકની વેદના મળી હોત તો વખતે સમ્મત કરત, પણ જગતની માહિતી સમ્મત થતી નથી.” (૮૫) અંતરને બાળનાર મહ છે. મેહમાં પડયાથી જીવ ન કરવા જેવું કરી બેસે છે, માટે જેમ બને તેમ સદ્દવિચારમાં વૃત્તિ રાખવી સદ્વિચારમાં વૃત્તિ રહે તે કર્મ ઓછાં બંધાય. જ્યાં સુધી સંસારથી મૂંઝવણ ન આવે, ત્યાં સુધી આત્માને લક્ષ ન થાય. પૂર્વકર્મને લઈને ઉપાધિ આવી પડે તે મૂંઝાવાનું નથી. પણ સદ્દવિચારમાં વૃત્તિ રાખવી. એ લક્ષ રાખવાનું જ્ઞાનીઓએ કહ્યું છે. સવિચારમાં રહેવું, જ્ઞાનીએ કહ્યું હોય તે કરવું. જે કર્મ ઉદય આવે, તેને સમભાવે ભેગવવાં એ જ્ઞાનીને માર્ગ છે. કંટાળ્યાથી કંઈ કર્મ છોડે એમ નથી. સંસારના પ્રસંગે દુઃખદાયી છે. કંટાળી જવું એ વૈરાગ્ય નથી, પણ શ્રેષ છે. દુઃખર્ભિત વૈરાગ્ય તે વૈરાગ્ય નથી, એક પ્રકારનું આર્તધ્યાન છે. ઉદયમાં આવે તે સમભાવે સહન કરવું, એ ઉપાય છે. સમભાવ આવે તે કર્મ ન બંધાય, કર્મ તે જવાનાં છે. સમજણ હોય તે સમભાવ રહે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy