SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ બેધામૃત છે કે હવે મારે મેક્ષ જ મેળવવો છે. તપાસવાને કેમ કરે તે ઉપગ રહે. સંસારનું સ્વરૂપ જન્મમરણ કરાવે એવું છે. માટે જ્ઞાની પુરુષ મરતાં સુધી આત્માને વીસરતા નથી. હુબલી, કાતિક વદ ૦)), ૨૦૦૮ સંસારનું સ્વરૂપ વિચારે તે વૈરાગ્ય થાય એવું છે. સંસારમાં જેટલી આસક્તિ છે, તેટલે જીવથી મિક્ષ દૂર છે. કે માણસને કોઈ રાજાએ ફાંસીએ ચઢાવવાને હુકમ આપ્યો હોય કે અમુક દિવસે તને ફાંસીએ ચઢાવવામાં આવશે અને પછી તે માણસને સારા મહેલમાં રાખે, સારું ભજન આપે, સારું પહેરવા આપે તે તેને એ ગમે? ન ગમે, કેમકે તે જાણે છે કે મારે હવે મરવાનું છે, એ ભય રહે છે, તેથી તેને કંઈ ન ગમે. એવું આ બધાને માથે મરણ છે, તે ફાંસીના હુકમ જેવું છે. કોણ જાણે ક્યારે મરણ આવશે. ફાંસીએ ચઢાવે ત્યારે તે અમુક દિવસ નક્કી કરેલ હોય અને આ મરણ તે રાતદિવસ માથે જ ભમી રહ્યું છે. છતાં મેહને લઈને એને વિચાર નથી આવતું. મરણ એકલું હોય તેય કંઈ નહીં, પણ પાછું જન્મવું, ફરી મરવું, એમ અનાદિકાળથી થઈ રહ્યું છે. સંસાર કેદખાના જેવું છે. એમાં સુખ માને છે તે મૂર્ખતા છે. હું સુખી છું કે દુઃખી? શું કરવાથી સુખી થાઉં? એને વિચાર અવકાશ હોય તે થાય. વિચાર નથી. આ જીવની પાસે કેવળજ્ઞાન છે, તેને કમેં ઢાંકી દીધું છે અને ઇન્દ્રિ દ્વારા થોડું દેખવાનું, સૂંઘવાનું, સાંભળવાનું, સ્પર્શવાનું, ચાખવાનું મળ્યું છે, તેમાં સુખ માની રહ્યો છે. પાંચ ઈન્દ્રિયેના વિષયમાં પડ્યો છે તેથી આત્મામાં સુખ છે એને ખ્યાલ આવતું નથી. વિરલા પુરુષે જાગ્યા છે. સંસાર દુઃખરૂપ છે એમ નથી લાગ્યું. વૈરાગ્ય હશે ત્યારે સમજાશે. મહાવીર ભગવાનની છૂટવાની ભાવના હતી, તેમને એક અંશ પણ નથી. ભગવાનને સંસારનું દુઃખ લાગ્યું હતું તેટલું નથી લાગ્યું. મહાવીર ભગવાનને શરીર, પાંચ ઇન્દ્રિ, વૈભવ બધું મળ્યું હતું, છતાં છોડીને ચાલી નીકળ્યા. તીર્થકર છતાં પણ કેટલું બધું પુરુષાર્થ કર્યો છે! ખાધુંય નહીં, પીધુંય નહીં, જંગલમાં ઘોર તપ કર્યું. એવા પુરુષને નમસ્કાર છે. સંસારમાં રહી રાગદ્વેષ ન કરવા એ બહુ વિષમ છે. વિષમતા છોડવી હોય તે સમભાવ રાખ. સમભાવ એ મેક્ષ છે. જ્યાં સુધી સંસારને ત્રાસ ન લાગે ત્યાં સુધી જ્ઞાનીના વચનમાં રસ ન આવે. બધું જગત સ્વપ્ના જેવું છે. સંસારમાં એકધારું સુખ કે દુખ નથી હોતું. સંસાર વિષમ છે. સંસાર એટલે રાગદ્વેષ અને રાગદ્વેષ તે સંસાર છે. રાગદ્વેષ ન ગમે ત્યારે મેક્ષ ગમે. સંસારની રુચિ પલટાયા વિના ન થાય. છૂટવાની ભાવના થવી દુર્લભ છે. જીવ ઘણીવાર ભૂલ્ય છે. “અનાદિ કાળના પરિભ્રમણમાં અનંત વાર શાસ્ત્રશ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ, અનંત વાર જિનદીક્ષા, અનંત વાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે.” (૧૬૬) પણ તેથી જન્મ-મરણ ટળ્યાં નહીં. શાસ્ત્રને પહેલીવાર સાંભળે છે એમ નથી. જીવમાં પરિભ્રમણ વધારવાની શક્તિ છે અને ઘટાડવાની પણ શક્તિ છે. આત્મામાં શ્રદ્ધા નામને ગુણ છે. તે શ્રદ્ધા જે સંસાર પ્રત્યે હોય તે તેનું ફળ સંસાર આવે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy