________________
૭૪
બેધામૃત આજ્ઞા મળી, તેથી બધું થઈ ગયું. જેવા ભાવ હોય તેવું મળે. જે આત્મભાવ વધે તો કેવળ જ્ઞાન પાસે જ છે. એક વખત પુરુષને દઢ આશ્રય થયે તે ભવોભવમાં થાય. એ આશ્રય થયા પછી બીજા ભવમાં જાય, તો પણ એ વિના એને બીજું ગમે નહીં. સાચું મળે ત્યારે જ શાંતિ થાય. બધાય શાસ્ત્રોને સાર એ છે કે વૃત્તિઓને ક્ષય કરવી. મહાપુરુષે પહેલાં પિતે કરીને કહ્યું છે. એને પગલે પગલે આપણે ચાલીએ તે આપણુ વૃત્તિઓ પણ ક્ષય થાય. આ કાળમાં જેમ જેમ સત્સંગ વિશેષ હોય તેમ તેમ વૃત્તિઓને વિશેષ વિશેષ ક્ષય થાય. ભીલને સત્સંગને વેગ મળે અને સ્થિરતા રાખી તે મોક્ષે જશે. આ કાળમાં પણ સત્સંગના વેગથી એવું થઈ શકે છે.
કાળ એ આવી ગયું છે કે ભગવાનનું નામ પણ સાંભળવાને ન મળે. માટે આપણે સત્સંગ કરે. સત્સંગ પણ પુણ્ય હેય તે મળે. સત્સંગને વેગ ન હોય તે નિશ્ચય કરે કે મારે વૃત્તિઓને ક્ષય કરે જ છે, અને પછી ભક્તિ, સ્વાધ્યાય આદિ કરીને વૃત્તિ રેકવી. કરવા મંડી પડે તે થાય. આ કાળમાં મોક્ષ નથી એમ કરીને બેસી જાય તે ક્યાંથી થાય? ભગવાને કહ્યું કે પુરુષાર્થમાં પાછું ન પડવું. જેને સંસારમાં પડવાનો ભય નથી એવા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવને પણ પુરુષાર્થ કરવાનું કહે છે, કેમકે સમ્યગ્દષ્ટિને પુરુષાર્થ કરતાં દેખે તે બીજાને પણ કરવાનું મન થાય. દરેક જીવ એકબીજા ઉપર અસર કરે છે. એકના એવા વિચારે જોઈને બીજાને પણ અસર થાય છે. પુરુષાર્થ કરે તે મેક્ષ સુલભ છે. મંડી પડ્યું તે થઈ જશે. આત્મજ્ઞાન થયા પછી મોક્ષ સિવાય બીજી ઇચ્છા ન રહે. આત્માથી હોય તેને પણ માત્ર એક્ષઅભિલાષ”, મેક્ષ સિવાય બીજી ઈચ્છા હોય નહીં, એક મેક્ષ જ ઇષ્ટ લાગે. પૂર્વે બાંધેલું હોય તે ભોગવે છે, પણ સંસારમાં રુચિ થતી નથી. મનમાં રહ્યા કરે કે ક્યારે આ કાર્યથી છૂટા થઈએ. એ કામ તરત પતે તે સારું એમ જ્ઞાની પુરુષોને વર્યા કરે છે. - આત્માનું ખરું સ્વરૂપ સમભાવ છે. સમભાવ એ જ મોક્ષ છે. હેમચંદ્રાચાર્ય લખે છે કે દેવલેક તો આગળ છે અને મેક્ષ તેનાથી પણ બહુ આગળ છે, પરંતુ સમભાવમાં રહે તે અહીં જ મેક્ષ છે. સમભાવ એ કર્મ છોડવાનું કારણ છે. સમભાવથી જેટલી નિર્જર થાય, તેટલી કઈ ક્રિયાથી ન થાય. ઉદય વેદતાં સમભાવ રાખવાને છે. ગૃહસ્થાશ્રમમાં રહી સમભાવ રાખે તો મુનિ કરતાં ઘણું નિર્જરા થાય છે, કેમકે ગૃહસ્થાશ્રમમાં વધારે પુરુષાર્થ કરે ત્યારે સમભાવ રહે છે. અને જેટલું વધારે પુરુષા કરે તેટલી વધારે નિર્જરા થાય. મુનિપણમાં અવકાશ બહુ હોય છે તેથી થેડે પુરુષાર્થ કરે તે પણ સમભાવ રહી શકે છે. સમભાવ એટલે ઉદાસીનતા, ક્યાંય રુચિ ન રહે. કૃપાળુદેવ આખા મુંબઈને સ્મશાન સમાન દેખતા હતા. કૃપાળુદેવે કેટલી મુશ્કેલીથી આત્મકાર્ય કર્યું છે, તે એમનાં વચનો ઉપરથી સમજાય છે. નિર્જરાથી મોક્ષ થાય છે.
આત્મપરિણામની કંઈ પણ ચપળ પરિણતિ થવી તેને શ્રી તીર્થકર કર્મ કહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org