________________
સંગ્રહ ૩
હુબલી, કાર્તિક વદ ૧૪, ૨૦૦૮ મહાપુરુષનાં વચને કાનમાં પડે તે પણ બહુ લાભ થાય. આ અવસર્પિણી કાળમાં એવા પુરુષ (કૃપાળુદેવ) થયા છે. તેનાં વચને લક્ષ રાખીને સાંભળવાં. જીવને મિથ્યાત્વની ખબર નથી પડતી. મિથ્યાત્વ હોય ત્યાં સુધી હું જાણું છું એ ભાવ મટે નહીં.
રેકે જીવ સ્વચ્છેદ તે, પામે અવશ્ય મેક્ષ.” જ્ઞાની પુરુષના આશ્રયે મેક્ષમાર્ગ સિદ્ધ છે. આત્મસ્થિરતા એ મોક્ષનું કારણ છે. સંપૂર્ણ આત્મસ્થિરતા થાય ત્યારે મોક્ષ થાય છે. જીવે જ્ઞાની પુરુષને આશ્રય લીધે નથી. જ્યારે ત્યારે જીવ પારકી પંચાત છોડશે, ત્યારે મેક્ષ થશે, ત્યાંસુધી મેક્ષ ન થાય. આત્મસ્થિરતા એ મેક્ષ છે. એ સ્થિરતા નથી થતી એનું કારણ શું? તે કે જ્યાં સુધી જીવને બીજે આકર્ષણ છે ત્યાંસુધી સ્થિરતા ન થાય. બીજે પ્રેમ છે તે મટાડવાનું કારણ સત્પરુષ છે. જ્યાં જ્યાં જીવે મેડ કર્યો છે ત્યાં ત્યાં એને સારું લાગે છે. જ્યારે પુરુષને વેગ થાય, ત્યારે લાગે કે આ તે બધું નાશવંત છે. ઘર, કુટુંબ, સ્ત્રી, પુત્ર બધું જ અહીં પડ્યું રહેશે, મારી સાથે આવવાનું નથી. આત્માનું ખરું ઘર મેક્ષ છે. આત્માની સ્થિરતા તે મેક્ષ છે. “સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ મેક્ષ કહે છે.” (૬૦૯)
જેણે એ વસ્તુ જાણું છે, તે પુરુષના સંગે એની ઉત્તમતા લાગે. વિચાર વિના આત્મસ્થિરતા થાય નહીં. મને સાતમું કે છછું ગુણઠાણું છે એમ માની લીધે કંઈ થાય નહીં. એવી દશા આવે ત્યારે છાની ન રહે. બધા મહાપુરુષોએ જગતની વિસ્મૃતિ કરવા અને સ્મરણમાં ચિત્ત રાખવા કહ્યું છે. વૃત્તિ સ્થિર ન રહે ત્યાં સુધી કલ્યાણ ન થાય. એક લક્ષ હેય તે થાય. જેવી ભાવના હોય તેવું ફળ થાય. ભાવના ફેરવવાની છે તે એકદમ ન ફરે, કમે કમે ફરે. જેને વહાણ મળ્યું હોય તેને પાણીને ભય ન રહે. એમ પરમાર્થ પામવા માટે સાધનની જરૂર છે, તે સાધન જ્ઞાની પુરુષ છે. તેના આશ્રયે આશ્રયે કામ થાય. જાણે – અજાણે પુરુષને વેગ થાય તો પણ લાભ થાય. ભાવમાં બધી વસ્તુ છે.
ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન;
ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળજ્ઞાન.” એ ભાવનામાં સત્પરુષે સહાયક થાય છે, શ્રેણિકના જીવને ભીલના ભાવમાં જરાક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org