SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ખરે કેળવણીકાર [ ૮૧ જે ઉપરની વિચારસરણીમાં તથાંશ હોય તે ખરા કેળવણીકારની કેટિમાં કોને કેને મૂકવા, વળી એ ગણતરીમાં નાનાભાઈનું કાંઈ સ્થાન ખરું કે નહિ, તેનો નિર્ણય કેળવણીકાર અને સ્વતંત્ર વિચારકે પિતે જ કરે. ઘડતર અને ચણતર'ના મથાળાથી ક્રમે ક્રમે પ્રસિદ્ધ થતી લેખમાળા જોકે તે જ વખતે મેં રસપૂર્વક સાંભળેલી, પણ આ વખતના જ તેના. સળંગ શ્રવણે અને તે ઉપર વિચાર કરવાની મળેલી તકે મને અનેક રીતે ઊંડાણથી વિચાર કરતા કરી મૂક્યો, પણ અહીં તો હું બને તેટલું ટૂંકાવીને જ સૂચના પૂરતું લખવા ધારું છું. “ઘડતર અને ચણતરનું લખાણ એ અનભવસિદ્ધ સાચી વાણી છે. તે લેખકમાં આવિર્ભાવ પામેલ શ્રત, શીલ અને પ્રાના વિકાસનું સળંગ અને સુરેખ ચિત્ર રજૂ કરે છે. એમાં આનવંશિક સંસ્કાર કેટલે ભાગ ભજવ્યો છે, કેટલે સ્વપ્રયત્ન, કેટલે સસહવાસે અને કેટલે ધાર્મિકતાએ, એ બધું જોવા મળે છે. જે આ લખાણમાં નાનાભાઈએ પિતૃવંશ અને માતૃવંશનું આવશ્યક રેખાદર્શન કરાવ્યું ન હોત; જે જ્ઞાતિજનો, ગેઠિયાઓ અને પ્રથમ પત્ની શિવબાઈ વિશે લખ્યું છે તેટલું ઓછામાં ઓછું પણ ન લખ્યું હતું, તે વાચક નાનાભાઈના “ઘડતર અને ચણતર ની પાયાની અને મહત્ત્વની વાતો જ જાણી ન શકત. એટલું જ નહિ પણ જીવનવિકાસમાં આનુવંશિક સંસ્કાર કેવી રીતે અજ્ઞાતપણે ઊતરી આવે છે તેની ઝાંખી થઈ ન શક્ત. એ કુળ અને કુટુંબકથામાં ધ્યાન ખેંચે એવાં કેટલાંક પાત્રો આ રહ્યાં. ભાવનગર મહારાજે વગરમાગ્યે ખેતરપાદરનું દાનપત્ર કરી આપ્યું ત્યારે તેને અસ્વીકાર કરતાં તમારે મારાં છોકરાંને બ્રાહ્મણ રહેવા દેવા નથી ના ? મારે ખેતર શાં ને પાદર શાં? તમે મને વટલાવવા માગે છે ?” આવા ઉદગારે કાઢનાર ત્રિકમબાપા; ગગા ઓઝાએ દક્ષિણમાં રેશમી કેરનું આપેલ ધોતિયું એ જ વેપારીને ત્યાં પાછું વેચી પચીસ રૂપિયા લાવનાર, પણ તરત જ ધોતિય વેચી પિસા ઉપજાવવાના લેભની ઝાંખી થવાથી તરતમાં પોતાનું મૃત્યુ કળનાર છોટાભટ્ટ; ખોઈમાં બાળકને લઈ ઘાસ કાપવા જતી માતા આદિ મિત્રો-કુમિત્રો તરફન બહિર્મુખપણાથી આર્યનારીને શોભે એવા કાન્તાસંમિત ઉ૫દેશથી પતિને ગૃહાભિમુખ કરનાર પ્રથમ પત્ની શિવબાઈ અને પહેગામનું ડિલીવાળું પ્રશ્નોરામંડળ ઈત્યાદિ. અગ્નિ-ઉપાસના નિમિત્તે મળતા સાલિયાણ માટે, થતી કુટુંબની તાણાતાણી અને સાલિયાણું બંધ પડતાં ઉપાસના પણ બંધ. એ પ્રસંગને ઉશી પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy