SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૬ ] દર્શન અને ચિંતન બહિર્લક્ષી અનુકરણને આભારી હોય છે. તેથી જ એવા કેળવણીકારે વાચન, વિચાર અને કલ્પનાથી સમૃદ્ધ હેય તોય આગવી અંદરની જોઈતી સુઝને અભાવે કાં તે ચાલેલે ચીલે ચાલે છે, અને બહુ તો બીજાનું જોઈ જોઈ કેટલેક ઉપરનો ફેરફાર કરે છે. એવા કેળવણીકારમાં ધરમૂળથી ફેરફાર કરવાની સૂઝ ભાગ્યે જ હોય છે, અને કાંઈક હેય તેય તેઓ એક કે બીજે કારણે કેળવણીના ખામાં, એની પદ્ધતિમાં અને એના સ્વરૂપમાં મૌલિક ફેરફાર કરવાની હિંમત ભાગ્યે જ દાખવી શકે છે. તેથી જ આપણે જોઈએ છીએ કે મોટા મનાતા કેટલાય કેળવણીકારે ચાલુ પદ્ધતિની ટીકા પિતે જ કરતા હોય છે, અને કેળવણીખાતાના કેટલાય અગ્રણીઓ ચાલુ પદ્ધતિની ત્રુટિઓ વર્ણવે છે, છતાં તેમને કોઈ નો માર્ગ શોધતો કે સ્થાપિત નથી અને એ જ આડબરી, ખર્ચાળ, તેતિંગ તેની ગુલામી ચાલુ રહે છે! સાચા કેળવણીકારનું કાઠું જુદું જ હોય છે. તેને જ્યારે અને જે ક્ષણે પિતાના તંત્રમાં ખામી અને એબ દેખાય ત્યારે અને તે જ ક્ષણે એ અકળાઈ ઊઠે છે, અને તેમાંથી કોઈક ને કોઈક ન માગ શેડ્યા વિના એ જંપતો જ નથી. એ કેળવણીકાર કોઈ એક જ ચીલાનો કે એક જ પ્રકારના અનુકરણનો અવિચારી દાસ રહી શકતો નથી. તેની સ્વાભાવિક પ્રજ્ઞા અને સહજ સૂઝ એને વધારે અને વધારે લોકહિતાવહ કેળવણીની દિશા શોધવા, એના અખતરા કરવા અને એમાં આવી પડતાં બધાં જ જોખમો સામે ટટાર ઊભવાની પ્રેરણા આપ્યા જ કરે છે. આ જે કોઈ કેળવણીકાર હોય તેને સાચા કેળવણીકાર તરીકે ઓળખીએ એ આવશ્યક છે. અને એ જે નવા ચીલા પાડે તે લાંબા વખત લગી બહુ ઉપયોગી પણ રહે છે. - આ સ્થળે વયોવૃદ્ધ અને વિદ્યાવૃદ્ધ પ્રા. બ. ક. ઠા. ના પતેરમે” નામના વ્યાખ્યાનસંગ્રહમાંથી થોડીક અતિમહત્ત્વની પંક્તિઓ ઉતારું છું, જે મારા વક્તવ્યનું સ્પષ્ટ ભાષ્ય બની રહે છે. પેઢી ઉપર પેઢી, ન જાને કેટકેટલી, જાની ઘરેડને વળગી રહેવામાં શ્રેયસ્સર્વસ્વ માને-મનાવે છે, જન્મ છે. નવી પેઢીને ઉછેરે છે, નથી ઉછેરતી ને પોતે મરી જાય છે, જન્મે છે ને મરે છે. પરંતુ એમાં કઈ કઈ બુદ્ધિપ્રધાન જીવ પોતાની બંડખાર વિચારણામાં શ્રદ્ધાએ કુદી પરંપરાપૂત ઘરેડમાંથી નીકળી જાય છે, અવર્ણનીય દુખે અને કષ્ટ વેઠત વેઠત પણ નવી કેડી પાડે છે અને તેની પાછળ આવતા જનાને પગલે પગલે એવી નવી કેડીની પણ પરંપરા બંધાય છે, અને મોટી ઘરેડ બની રહે છે. બુદ્ધિપ્રધાન બંડખોરે આવી અવનવી ઘરેડ ઉપજાવતા જાય છે. તેનું નામ જ માનવી કારવાનને પ્રગતિપંથ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy