________________
૨૪૦ ]
દર્શન અને ચિંતન અને બીજા દિવસના કાર્યસતિષે ત્રીજો દિવસ પણ રેકાયા. એકંદર પાંચ મંદિરમાં હતા તેટલા લગભગ બધાએ લેખ એ બંને કાર્યશીલ મહાનુભાવોએ મળી આવેલા પથ્થરે ઉપરના શક્ય લેખો ઉતારી લીધા. આ બધા લેખે બહુ મહત્વના છે. તેમાંના થોડા લેખો અને તે પણ બહુધા અપૂર્ણપણે પ્રાચીન જન લેખ સંગ્રહ બીજા ભાગમાં છપાયેલા છે. આ વખતે ઉતારી લીધેલા લેખોની સંખ્યા જેમ મેટી છે તેમ તેની પૂર્ણ નકલ એ પણ ખાસ મહત્વની બાબત છે. એ બધા શીલાલેખ ગ્ય રીતે માસિકમાં અગર સ્વતંત્ર પુસ્તક રૂપે તેના મર્મજ્ઞ શ્રી જનવિજયજી તરફથી પ્રસિદ્ધ થવાના હોવાથી તે સંબંધમાં અહીં સ્થાન રોકવું વૃથા છે; છતાં એટલું તે સૂચવી. દઉં કે એ લેખોમાં ઘણી નવી અને મહત્વની બીના જાણવાની મળશે અને એતિહાસિક માટે એક રસ–પ્રદ પ્રકરણ ઉપસ્થિત થશે.
મારે સાચી જ રીતે કબૂલ કરવું જોઈએ કે લેખની નકલે લેવા આદિ જે કુશળ કર્મનું ઉપર ટૂંક વર્ણન કર્યું છે, તેમાં ભારે નામને પણ હિસે નથી. હું માત્ર તટસ્થ પ્રેક્ષક અને એ કુશળકમથી આનંદિત થનાર અને જિજ્ઞાસા સમાવનારે અને બહુ તે આ વર્ણન લખી સંતોષ પકડનારે છું. જ્યારે આ શ્રી જીવનવિજ્યજી અને રા. મેહનલાલ સમાહિત મને લેખની નકલ કરવાનું કામ કરી રહ્યા હતા ત્યારના દૃશ્યની છાપ મારા મન ઉપરથી ભૂંસાય તેવી નથી. પણ એ વાત જવા દઈ તે વખતે આવેલા વિચારોમાંથી કેટલાક લખી દઉં.
- શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીની કર્તવ્ય દશા–જે તીર્થસ્થાને અને મંદિર જુનાં તેમ જ બાંધકામ, કારીગરી અને ઈતિહાસની દષ્ટિએ અતિ મહત્ત્વનાં છે. (૧) તેનું સંપૂર્ણ સર્વસ્વ કાયમ રાખવા અને તેને યોગ્ય રૂપમાં પ્રસિદ્ધિમાં આણવા માટે જરૂરનું છે કે આખા દેશમાં મહત્વનું સ્થાન ભોગવતી આણંદજી કલ્યાણજીની સંસ્થા તે માટે ખાસ પ્રબંધ કરે. (૨) જે તે પિતાને ખાસ ઉપયોગી થાય તેવા પ્રાચીન તેમ જ અર્વાચીન સ્થાપત્ય અને શિલ્પ-કળા અભ્યાસીઓનો એક વર્ગ તૈયાર ન કરી શકે તો ખાસ ખાસ તીર્થસ્થાનમાં એક એક એવા માણસની નિમણૂક કરે તે જે પ્રાચીન ભારતીય સ્થાપત્ય અને શિલ્પકળામાં નિષ્ણાત હોય અને ઈતિહાસ રસિક તેમ જ કલાત્ત હોય. (૩) જ્યાં એવા ખાસ માણસની નિમણૂક શક્ય ન હોય ત્યાં વહીવટી માણસ જ એવો રેકો જોઈએ કે જેમાં ઓછામાં ઓછી જૈન ઇતિહાસ જાણવા અને સાચવવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org