SearchBrowseAboutContactDonate
Page Preview
Page 778
Loading...
Download File
Download File
Page Text
________________ અમારા પ્રવાસ [ ૨૩૯ વસ્તુઓને વધારે લાભપ્રદ ઉપયાગ કરી શકાય તેમ છે. પણ આ માટે તે ભગીરથા જ જોઈ એ. જો કે બે વર્ષ થયાં પાડા આદિના પ્રથમથી થતે વધ હવે ત્યાં અટકો પણ સૂક્ષ્મ દૃષ્ટિથી જોનારને હજીયે લાગશે કે દેવીના તીર્થામાં પ્રજાની શક્તિ અને મુદ્ધિરૂપ ગાયના સતત હાનિકારક રીતે વધ જ થઈ રહ્યો છે. સ્થૂળ દૃષ્ટિ પ્રાણનાશમાં વધ જુએ છે ખરી પણ સૂક્ષ્મ દૃષ્ટિ શક્તિ માત્રના અનુપયાગ અને દુરુપયોગને વધુ જ ગણે છે. અસ્તુ. આપણે એટલું જ ઇચ્છીએ કે આપણા દેશનાં દરેક તીર્થં આપણા અહિક કલ્યાણમાં પણ બુદ્ધિગમ્ય કાળા આપે. ભારિ કુંભારિયાની યાત્રા—હવે અમારા મુખ્ય ગંતવ્ય અને દૃષ્ટવ્ય સ્થાન કુંભારિયા તરફ વળીશું. પડાવ અંબાજીમાં રાખી ચારે દિવસ સવારથી જ કુંભારિયાજી જવાનું અને સાંજ સુધી રહેવાનું રાખેલું. યાજીનાં જૂના પાંચ અખડ દેરાસરા તેની કારીગરી અને બાંધણીની ઉત્કૃષ્ટતા, સાંના આરસપહાણની ખાણા, આરસપહાણનું કામ, તેને ઇતિહાસ અને તે સંબંધમાં ચાલતી કિંવદન્તીએ એ બધા માટે અહીં સ્થાન ન રાકતાં વાચકાને પ્રાચીન લેખ સંગ્રહ ભાગ ૨(જીવિજય સંપાદિત ) જોઈ લેવા સાગ્રહ સૂચવું છું. અને તે સંબંધમાં હવે પછી તેઓશ્રી તરફથી પ્રસિદ્ધ થનાર ઐતિહાસિક માહિતીવાળા ત્યાંના લેખસંગ્રહની થાડા વખત ધીરજપૂર્વક રાહ જોતા રહેવા વીનવુ છું. પ્રસ્તુત વર્ણનમાં મુખ્યત્વે ત્યાં થયેલ કામકાજની જ નોંધ આપવા યેાગ્ય ધારું છું અને પ્રસંગે પ્રસ ંગે એ સ્થાનમાં આવેલા વૈયક્તિક વિચાર રજૂ કરવાની ઇચ્છા રાખું છું. દેવકુલીકાઓનું પુનઃ સમારકામ ચાલતું હોવાથી પબાસને છૂટાં હતાં અને તેથી તે ઉપરના બધા લેખે ખુલ્લા હોવાને કારણે વાંચવા શક્ય હતા. આ અનુકૂળતા જોઈ રા. મેાહનલાલનું મન ઉતારી શકાય તેટલા શીલાલેખા ઉતારી લેવાનું થયુ. આચાર્ય શ્રીમાન્ જીનવિજયજીના અનુકૂળ વિચારે એમના મતને પ્રેત્સાહન આપ્યું. તુરત જ કામ શરૂ થયું. એક બાજુ લેખા સાફ કરવાનું કામ ચાલ્યું અને બીજી બાજુ તે વાંચવાનું અને લખી લેવાતું. આચાર્ય શ્રી જિનવિજયજીની સત્વર વાચનપટુતા અને શક્તિ તેમ જ રા. માહનલાલની ઝડપી લેખનશકિત અને ગ્રહણપટુતા એ બંનેના યોગે થોડા જ વખતમાં ધાર્યા કરતાં વધારે લેખાની નકલા થઈ ગઈ અને સાંજે પાછા ફર્યા અને થાડા વખતમાં વધારે થયેલ કામના સંતાષજન્ય લેાબે એક જ દિવસ રહેવાના નિશ્ચયને વેગળા મૂકાવ્યા અને ખીજો દિવસ રહેવા પ્રેરાયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy