SearchBrowseAboutContactDonate
Page Preview
Page 780
Loading...
Download File
Download File
Page Text
________________ અમારે પ્રવાસ [ ૨૪૧ પૂરતી લાયકાત હોય. જે પ્રાચીન કારીગરીવાળા એકાદ પથ્થરના ટુકડાનું અગર ઘસાયેલ–ભૂંસાયેલ એક બે અક્ષરવાળા લેખનું પણ મહત્ત્વ સમજતા હોય, લેખોની નકલો કરતાં જાણતા હોય, ફેટે લેતાં શીખ્યો હોય અને તીર્થોના ઈતિહાસનો સાચો અભ્યાસી હોય. આજે સરકારી સંસ્થાઓમાંથી આવું શિક્ષણ પામેલ માણસ મેળવવા એ મુશ્કેલ નથી, માત્ર કાર્યકર્તાની દૃષ્ટિ ખૂલવી જોઈએ. એથી મંદિરની પ્રાચીનતા અને તેને ઇતિહાસ સચવાવા ઉપરાંત કેળવાયેલ દેશી-વિદેશી વિદ્વાનોનું આકર્ષણ વધવાથી તીર્થ ઉપર આવતા પ્રત્યાયને દૂર કરવાનું કામ બહુ સરળ થશે. સાધુગણુને વિનંતી –કાર્યની દિશા અનિશ્ચિત અને જીવનનું વ્યાવહારિક ધ્યેય અસ્પષ્ટ હેવાથી આટલો મોટે સાધુસમુદાય છતાં સામાજિક હિતના કામ માટે સેવકની માગણી હમેશાં ચાલુ જ રહે છે અને સેવકેના અભાવની ફરિયાદ મટતી જ નથી. ઉપરાંત વિક્ષેપકારી સાધુઓને લીધે આખી સાધુસંસ્થાને અનાવશ્યકતાની ચર્ચા વધતી જાય છે. એક બાજુ પરોપકારી ગણુતો માટે વર્ગ હોય અને બીજી બાજુ કાર્યકર્તાને અભાવે અનેક ઉપયોગી કાર્યો ન થતાં હોય કે નાશ પામતાં હોય તે વખતે દૂરદશી સાધુપુરુષોનું કર્તવ્ય છે કે સંગઠન કરી તૈયાર થઈ અને કામની યોગ્ય વહેંચણી કરી લે. સાધુ સમક્ષ નીચેનાં કામો ઓછામાં ઓછા છે જ, () પુસ્તક ભંડારોની યોગ્ય વ્યવસ્થા અને વ્યવસ્થિત સૂચિઓ, તેમ જ તેનો ઇતિહાસ તૈયાર કરવાનું કામ. | (g) તદ્દન છેલ્લી અને નવી ઉપયોગી પદ્ધતિએ મૂળ પુસ્તક છપાવવાનું કામ. (1) પસંદ કરેલ ખાસ પુસ્તકમાં લોકભાષામાં પ્રમાણિક અનુવાદ કરવાનું કામ, (૪) પ્રાચીન અને અર્વાચીન સાહિત્યના ઊંડા અભ્યાસથી મહત્વપૂર્ણ નવ સાહિત્ય રચવાનું કામ. () દરેક તીર્થ અને મંદિરને લગતો સર્વાંગિણ ઈતિહાસ લખવાનું કામ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy