________________
અમારા પ્રવાસ
[૨૩ ત્રાસ પમનાર દરેક યાત્રી માત્ર મનથી જ નહિ પણ મોઢા સુદ્ધાંથી દાંતા સ્ટેટની વ્યવસ્થાને શ્રાપ આપે છે અને પાછા તીર્થની શ્રદ્ધામાં કે હિંદુસ્થા નના સર્વ સામાન્ય ગંભીર અજ્ઞાનમાં કે આપણે શું કરી શકીએ ? એવી. વારસાગત નિર્બળતામાં અને છેવટે સમષ્ટિહિતની પરંપરાગત બેપરવાઈમાં એવા ત્રાસને ભૂલી જાય છે અને ખમી જાય છે. એ ત્રાસના અનુભવનારા અનેક યાત્રીઓના મુખથી નીકળતી શ્રાપુપરંપરા સાંભળી મને વિચારે. આવ્યું કે વિરમગામની લાઈનદોરી સામે જે હિલચાલ લેકેએ ઉપાડી છે તે કરતાં પણ વધારે સખત હિલચાલ ગુજરાતના હિંદુ વર્ગે દાંતા સ્ટેટસામે ઉપાડવી જોઈએ અને અંબાભક્તોના માર્ગને સરળ બનાવવો જોઈએ. હિલચાલમાં જૈનોએ પણ ઉત્સાહભેર ભાગ લેવા જોઈએ. ગુજરાતના. શિક્ષિત ધનાઢય અને સ્વમાનપ્રિય વગે આ હિલચાલ ગમે ત્યારે ઉઠાવવી જ પડશે. એમાં એક બાજુ ભૂતયા છે, મનુષ્યત્વને પ્રેમ છે અને બીજી બાજુ અંધશ્રદ્ધાને શુદ્ધ કરવાનો વિચારી પ્રયાસ છે. જેનો પાલિતાણાના મૂંડકાવેરાની બાબતમાં સ્ટેટ સામે કેમ લડી રહ્યા છે એનું રહસ્યદર્શન મને એ યાત્રામાં થયું. એક વાર મૂંડકાવેરામાં નમતું આપવાથી અને લેકની તીર્થશ્રદ્ધા રૂપ કામધેનુ ગાયને મરજી પ્રમાણે દેહી તે દૂધ ઉપર (કહો કે લેકના લેહીબિંદુ ઉપર) એશઆરામની ઈમારત ઊભી કરનાર રાજાઓના અધિકાર. કબૂલ રાખવાથી યાત્રી તેમ જ સત્તાધારીની કેવી નૈતિક પડતી થાય છે તેનું સ્પષ્ટ દર્શન આ યાત્રામાં થયું. કેાઈ રાજદ્વારી પુરુષે કરવા જોઈતા આ ત્રાસના. વર્ણનને વધારે લંબાવવું મારે માટે અત્યારે અનધિકાર ચર્ચા છે.
અંબાજીનાં બીજાં દુ-અંબાજીના રસ્તામાં વચ્ચે વચ્ચે. અનેકવાર એક જ નદી કે વહેળા આવે છે અને બીજાં પણ ઝરણાં ચાલતાં દેખાય છે. પાણી થોડું અને વૃક્ષો પણ બહુ ન કહેવાય, છતાં આગળ વધતાં આનંદપ્રદ વૃક્ષઘટાઓ અને ટેકરીઓનાં સુંદર દશ્યો આવે છે. અંબાજી એ નાનકડું ગામ છે. તેમાં વસ્તી મુખ્યપણે બ્રાહ્મણોની છે. અંબાજીના. પૂજારીઓ બ્રાહ્મણ અને તેના ઉપર નભતા પણ બ્રાહ્મણો; એટલે બ્રાહ્મણોની જ સંખ્યા અન્ય હિંદુતીર્થોની પેઠે અહીં પણ વધારે હોય તે સ્વાભાવિક છે. અંબાજીનું મૂળ સ્થાન અને મંદિર જૈનોનું હેવાનાં અનેક ચિહને અત્યારે પણ મેજુદ છે. અંબાજીમાં વસતા બ્રાહ્મણોને લાડુ વિનાના દિવસો ભાગ્યે જ જાય છે. માનતા નિમિત્તે જમાડનાર મળી જ આવે. કેઈ અમારા જેવો નાસ્તિક જાય તે પણ ત્યાંના લાડુપ્રિય બ્રાહ્મણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org