SearchBrowseAboutContactDonate
Page Preview
Page 775
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬] દર્શન અને ચિંતન ધર્મગુરુઓની પેઠે એ નાસ્તિકતાને નસાડવા જરાપણ આળસ કરે તેવા નથી. ગયા, કાશી, મથુરાના પંડાઓ કરતાં અંબાજીના બ્રાહ્મણોની એક વિશેષતા છે અને તે પ્રાંતિક. ગુજરાતને મનુષ્યોમાં યુ.પી. મનુષ્ય જેટલી કરતા નથી હિતી. પ્રમાણમાં નરમાશ વધારે હોય છે એ વસ્તુનું દર્શન અંબાજીના પૂજારીઓ અને ત્યાંના બીજા બ્રાહ્મણમાં થયું. માગે, ના પાડે તોયે માગે, વારંવાર દાતાને સચેત કરે, પણ કાશી આદિના પંડાની પેઠે હુજત ન કરે. અંબાજીમાં કોઈ એકલી સ્ત્રી પણ જઈ શકે અને નિર્ભય રહે. એમ બનવું કાશી આદિમાં અસંભવ નહિ તે મુશ્કેલ તો ખરું જ. અંબાજીમાં ધર્મ શાળાઓ અનેક છે અને ખાનપાનાદિની બીજી પણ સગવડ છે. અમારે મુખ્ય ધ્યેય કુંભારિયાજી રહેવાને હતો, પણ એકિયાતને ત્રાસને કારણે જ અંબાજીમાં રહ્યા. દહેરું જોયું. સવાર-સાંજ અને ભિન્ન ભિન્ન દિવસે અંબાજીનાં જુદાં જુદાં રૂપ દેખાય છે. શ્રદ્ધાળુ યાત્રીઓ રૂપવિવિધતાને દેવીને ચમત્કાર માને છે. પણ ચમત્કાર માત્રનું ચામડું ઊખેડી ફેંકનાર પશ્ચિમ કેળવણીના ઉપાસકે એવી શ્રદ્ધા નથી ધરાવતા અને -નાસ્તિક કહેવડાવવાનો શોખ ઉત્પન્ન કરી એ ચમત્કાર વિષે પૂજારીને પૂછ– પરછ કરે છે. રા. ર. મેહનલાલભાઈ વકીલ અને સત્યજિજ્ઞાસુ તેથી એમને પણ ચમત્કારનું મૂળ જાણવાનો શોખ પ્રગટયો અને પૂજારીને પૂછયું કે * અંબામાતાની મૂર્તિનાં ભિન્ન ભિન્ન રૂપ અને વાહનોની ભિન્નતા માટે ખુલાસો કરે.” પણ પૂજારીઓ આજના શિક્ષિત તર્કવાદી જમાનાને પ્રથમથી જ જાણી ગયા હોય અને તે માટે એક સૂત્રાત્મક ઉત્તર ઘડી રાખ્યો હોય તેમ લાગ્યું. પૂજારીઓએ કહ્યું, “માતા જગદંબા છે, તે જ સૃષ્ટિની કર્તાહર્તા છે, તેની અકળગતિ કેણ જાણી શકે ? બ્રહ્મા વગેરે દેવે પણ એનો પાર નથી પામ્યા.” પ્રશ્નકર્તાએ ખૂબ જિજ્ઞાસા બતાવી પણ પૂજારીઓનો ઉત્તર છેવટે એ જ હતું. એમાં બુદ્ધિ ન ચાલે “જે છે તે જોઈ લે. અમે એ બાબત કશું જ કહેવા માગતા નથી ઈત્યાદિ. કાશી, ગયા, વૃંદાવન આદિ -તીર્થોનાં અજબ માહાતમ્ય તે તે તીર્થવાસી પાસેથી સાંભળેલાં અને પુરાણોમાં -વાંચેલાં તેથી અંબાજીના પૂજારીઓના ઉત્તરથી મને જરાયે વિસ્મય ન થયું. દાંતા રાજ્યની બીજી હકીત—કુંભારિયાજીના મુખ્ય વર્ણન ‘ઉપર આવું તે પહેલાં દાંતા સ્ટેટ વિષે થર્ડ કહી લઉં. એ એક નાનકડું સ્ટેટ છે. તેની આવક અંબાજીનો લાગે બાદ કરીએ તો બહુ જ પડી છે. માત્ર અંબાતીર્થની જ આવક બે લાખ કરતાં વધારે સાંભળી છે. એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy