________________
મારે પંજાબને પ્રવાસ
[ રર૫ અને ખ્રિસ્તી પંથના લેક પૂરતા જ વિદ્યા અને ધર્મના અખાડાઓ હતા. આજે એમાં દષ્ટિકોણ બદલાયો છે. અમુક વર્ગ સાંપ્રદાયિક કે ધાર્મિક કલહમાં જરા પણ નથી માનતો. ઊલટું એમ માને છે કે રાષ્ટ્રકાર્ય સામે સંપ્રદાય, ધર્મ અને જાતિભેદોને અભરાઈ પર મૂકવા જોઈએ. આર્યસમાજની પહેલાં જેવી ઉગ્રતા નથી રહી. મુસલમાન સાથે તેઓનું વૈમનસ્ય વધ્યું છે, પણ સનાતનીઓ સાથે ઘટયું છે. પહેલાં જે શિક્ષિત તરુણોનું અને ઘણે સ્થળે તે કોલેજિયન યુવકેનું ધ્યાન સાંપ્રદાયિક ભાવ તરફ હતું તે આજે માત્ર રાષ્ટ્રીય ભાવ તરફ વળ્યું છે. સાદાઈ અને ખાદીનું તત્વ પ્રમાણમાં
ડું છતાં મજબૂત રીતે પંજાબમાં પણ દાખલ થયું છે. કેટલાક શિક્ષિત યુવક થોડામાં ઘેડો પગાર લઈ ખાદી–ઉત્પત્તિ અને ખાદી–પ્રચારનું કામ કરી રહેલા જોવામાં આવે છે. ધાર્મિક કલહ પંજાબની પ્રકૃતિમાંથી સહેજે ભૂલાવા કઠણ છે, છતાં તેની પ્રતિષ્ઠા તો બહુ જ ઓછી થઈ ગઈ છે.
હવે સમાપ્તિમાં એ સ્પષ્ટ કહી દેવું જોઈએ કે ટૂંક વખતમાં ધૂળ અવલોકન કે નિરીક્ષણ ઉપરથી બાંધેલા અભિપ્રાય કાંઈ છેવટના જ હોય એમ ન કહી શકાય. વધારે અનુભવ અને વધારે માહિતી મળતાં ઘણું ઊલટું પણ દેખાય; છતાં મારે સ્વલ્પ અનુભવ આગળ કોઈને આ દિશામાં પ્રેરવા સહાયક થશે તે આ કથન માત્ર પ્રતીકનું સ્થાન નહિ રહે.
–પ્રસ્થાન, પુત્ર ૨, અં ૪, પ, પુત્ર ૩, અં. ૧, ૨.
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org