________________
પ્રવાસના કેટલાક અનુભવ
[૪] ચિરપરિચિત કાશીનું સ્મરણ તાજું કરવાની લાંબા વખતની તીવ્ર ઈચ્છા અને મારા પૂજ્ય વિદ્યાગુરુને મળવાની લાલચ એ બે ન હોત તો મિત્રોને ઘણે આગ્રહ અને મારી પિતાની વૃત્તિ છતાં આ વખતે કલકત્તા જવાનો વિચાર અમલમાં મૂકી શક્યો ન હતો. માર્ચની સોળમી તારીખે કલકત્તા જવા નીકળ્યો. રેલવેનું વર્ણન હવે પુનરુકિત જેવું લાગે છે. છતાં એ ત્રણ દિવસને અનુભવ તદન ફેંકી દેવા જેવો તો નથી જ. ચાલતી ગાડીએ બીજી પાસે પુસ્તકો વંચાવી સાંભળવાં એ સહેલું નથી અને કાંઈ પણ માનસિક ખોરાક મેળવ્યા સિવાય વખત બરબાદ કરવો એ ઓછું કષ્ટદાયક નથી, તેથી એ વખતને ઉપયોગ કરી લેવાની વૃત્તિ સ્વાભાવિક રીતે જ મને હતી. બીજા પ્રસંગો જતા કરી આપણું જર્જર સમાજને ખ્યાલ આપે એવા એકાદ વાસ્તવિક સામાજિક પ્રસંગનું જ વર્ણન આપી દઉં એટલે પુનરુક્તિ વિના રેલવેના ત્રણ દિવસનું સ્વ૫ વર્ણન આવી જાય. | મારા એક નેહી અને હિંદી પત્ર પત્રિકાઓના જાણીતા લેખક કનુમલ્લજી એમ.એ.એ થોડા દિવસ પહેલાં લગ્ન કર્યું. એ વાત મેં છાપાં દ્વારા જાણ હતી. મને થયું કે આવા શિક્ષિત અને ધવલપુરના ન્યાયાધીશ તેમજ શિક્ષણ વિભાગના એક વડા અધિકારીએ પચાસ વર્ષે (પાછળથી માલૂમ પડ્યું કે તેમની ઉમર પ૭ વર્ષની હતી) લગ્ન કર્યું એ હિંદુ સમાજનું કેવું દુર્ભાગ્ય ! (દુર્ભાગ્ય એટલા માટે જ કે કન્યા ભાગ્યે જ પંદર વર્ષની હોય અને વળી પુનર્લગ્નનો સખત પ્રતિબંધ; ઉપરાંત પડદાની પ્રથા.) પરંતુ ખુશીની વાત એટલી જ કે એ શિક્ષિત મહાશયે લગ્ન કર્યા છતાં જ્યારે કેટલાક મિત્રોએ તેમને પૂછ્યું ત્યારે તેમણે જરા પણ બચાવ કર્યા વિના પિતાની નબળાઈ સ્વીકારી અને માત્ર વાસના ખાતર એક કન્યાને આજન્મ કારાગૃહમાં નાખવાની પોતાની ભૂલ શરમપૂર્વક કબૂલ કરી. પણ મેં જે એક કિસ્સો રેલવેમાં અનુભવ્યો તે આથી તદ્દન જુદો છે. એક સિધ્ધપુરના ઔદિચ્ય બ્રાહ્મણ ઘણાં વર્ષો થયાં કલકત્તામાં રહે છે અને વ્યાપાર કરે છે. પૈસેટકે સુખી છે, પહેલી સ્ત્રી હયાત છે, બીજી વરસેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org