SearchBrowseAboutContactDonate
Page Preview
Page 763
Loading...
Download File
Download File
Page Text
________________ રર૪] દર્શન અને ચિંતન નથી. જળની પ્રચૂરતા, સ્થળની વિશાળતા અને વનસ્પતિની વિપુલતા. આ પ્રાકૃતિક રમણીયતા બહારની આગંતુક જાતિઓને ત્યાં રાખવાને લલચાવવા બસ હતી. ત્યાંની ફળદ્રુપતા પણ કાયમના વસવાટનું મુખ્ય પ્રલોભન થઈ પડયું. પંજાબની પાંચ મોટી નદીઓ અને તેની પ્રાચીન કાળમાં ચાલતી નહેર જાણીતી છે. દૂર દૂરના અંતર ઉપર નહિ આવેલી આ, વિશાળ નદીઓ ઉપર નભતી ખેતીને લીધે પંજાબ દેશને નદીમાત્રિક દેશ તરીકે કિરાતકાવ્યમાં યુધિષ્ઠરના દૂત વનચરે (ભીલે) ઓળખાવ્યો છે. પંજાબ એ મારવાડ, કાઠિયાવાડ કે કચ્છ. વાગડ જેવો દેવમાત્રિક (વરસાદ ઉપર નભનાર) દેશ નથી. તે તે સતત વહેતી નદીઓ ઉપર નભે છે. એટલે જ્યારે દુષ્કાળ પડે ત્યારે પણ પંજાબીઓ કદી વાગડ, મારવાડ કે ઝાલાવાડના લોકોની પેઠે પિતાનાં ઘરબાર છોડી દેશાવરમાં ભટકતા નથી જણાતા. આ બધી પ્રાકૃતિક વિભૂતિ પંજાબને એટલા બધા પ્રમાણમાં મળી છે કે ત્યાં વસવા માટે કઈ પણ લલચાઈ જાય. એટલે માત્ર આર્ય જતિ જ નહિ, પણ અતિહાસિક યુગની બહારથી આવેલી બધી જાતિઓએ પંજાબમાં રહેવું પસંદ કર્યું અને ત્યાં રહી તેઓએ શારીરિક વિકાસ પણ સા. બહારથી આવનારી જાતિઓના જુદા જુદા રંગો કે કદે પંજાબની પિષક ભૂમિમાં એકરંગી અને એકસરખાં બની ગયાં. આજે પંજાબમાં વસ્તી અને ક્યારેક દૂર દૂરના ભાગમાંથી આવેલી જાતિઓ લગભગ બધી પંચઠ્ઠી કાઠું જ ધરાવે છે. જે પૈબરઘાટના વિકટ માર્ગમાંથી પસાર થઈ અને પરસેવે રેબઝેબ થયેલી જાતિઓને પંજાબનું પ્રાકૃતિક આશ્વાસન ન મળ્યું હોત અને ભારવાડનાં વેરાને સાંપડ્યાં હોત તો કદાચ હિંદુસ્તાનમાં આટલી વિદેશી જાતિઓનું મિશ્રણ જ ન થયું હોત. ૩ અસહકાર પહેલાંની અને પછીની સ્થિતિ અસહકાર પહેલાં પંજાબમાં જે કટ્ટરતા, ધમધતા હતી તે આજે કાંઈક ઓસરી છે. પાંચ વર્ષ પહેલાં પંજાબમાં દાખલ થનાર કોઈને કહે કે “હું પંડિત છું ” તે એવું સાંભળનાર એમ જરૂર પૂછતો કે, “તમે કયા સંપ્રદાયના છે અને ક્યાં શાસ્ત્રાર્થ માટે જાઓ છો ?” આજે એ સ્થિતિ મોળી પડી છે. હજુ એટલું અવશ્ય અને કદાચ વધારે પ્રમાણમાં છે કે જે હિંદુ પંડિત હોય તો તેને એમ પૂછે કે તમે હિંદુ સંગઠનમાં માને છો કે નહિ ? પાંચ વર્ષ પહેલાં આર્યસમાજ, સનાતન, જૈન, શીખ, મુસલમાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy