________________
મારે પંજાબને પ્રવાસ
[૨૦૯ અને દારૂ વગેરે કેફી ચીજો પીવાનું પરિણામ શિક્ષણ સાથે જ વધ્યું છે અને વધતું જાય છે. ત્યાં જાટની પુષ્કળ વસ્તી છે, પણ તેઓ કાઠિયાવાડના ગિરાસદારોની પેઠે વ્યસનમાં અને કોર્ટમાં ખુવાર થઈ ગયા છે.
અમે બડેદ રહેશને ઊતર્યા. બડદ એ એક કસબ છે. ત્યાં પ્રમાણમાં જૈનેની વસ્તી સારી છે. ત્યાંના કોઈ પણ જૈને જ છે. તેમાંયે દિગંબર સંપ્રદાય મોટો છે. એ લેકેની એક હાઈસ્કૂલ ચાલે છે. બડેદની ભાગોળમાં થઈ બિનલી જવા નીકળ્યા ત્યારે એક બાજુ એ હાઈકુલના મેદાનમાં વિદ્યાર્થીઓનું સંગીત દૂરથી સંભળાયું. એ સંગીતની ઢબ ઉપરથી જ એ દિગંબરની કઈ સંસ્થા હોવાનું મેં કપેલું. જે પાછળથી સાચું પડયું. એ વખતે ત્યાં કોઈ ઉત્સવ ઊજવાતો હતો. એ હાઈસ્કૂલ ત્યાંના એક જમીનદાર દિગંબર ગૃહસ્થ ચલાવે છે. થોડીક સરકારી ગ્રાન્ટ બાદ કરતાં બાકીનો બધે ખર્ચ તે જ પૂરો પાડે છે. એને જ અંગે એક ઐડિગ પણ છે, જેમાં માત્ર જૈન વિદ્યાથીઓ જ રહે છે.
વિલાસ માટે વાનપ્રસ્થ એક તરફ વિદ્યાપ્રેમી ગૃહસ્થની સન્માર્ગે ઉદારતા અને બીજી તરફ વિલાસવી જમીનદારને દુર્બસની પાછળ સર્વસ્વ ત્યાગ એ બન્ને મને એક જ સાથે આ પ્રવાસમાં અનુભવાયાં. એક મોટી આવકવાળે દિગંબર જમીનદાર જેને બાળબચ્ચાં નથી અને ધારે તો બે ત્રણ હાઈસ્કૂલ સ્વતંત્ર ચલાવી શકે તેને પણ તે તરફ જ જે. એનું કામ નવી નવી તરાણીઓ શોધવાનું અને તેને અંગે આવશ્યક વ્યસનો કે ખટપટો સેવવાનું સાંભળ્યું ત્યારે જાતિ અને ધર્મમાં દાખલ થયેલ વિષનું ખરું ભાન થયું. લગભગ વીસ વર્ષ પહેલાં આરા શહેર (બિહાર) ગયેલ ત્યારે એક સંસ્કૃત વિદ્યાના અભ્યાસી દિગંબર વિદ્યાથીને મિત્રભાવે પરિચય થયેલ. એ વ્યક્તિ એક મોટા જમીનદારનો પુત્ર છે. તેણે કોઈ વાર પોતાના વતનમાં આવવા મને કહેલું. અચાનક મેરઠ જિલ્લા તરફ આવવાનું બનવાથી, એવી ધનાઢય સ્થિતિમાં પણ ખાસ કરીને તેના સંસ્કૃત વિદ્યાના રસને લીધે મળવાનું મન થયું. પણ પૂછપરછ કરતાં તેની વિષમ સ્થિતિ કાને પડી. આજે તો એણે સંસ્કૃત વિદ્યાનાં પિથાં ફેંકી દીધાં છે, બીજાં પણ સામાજિક કે ધાર્મિક કામેથી વાનપ્રસ્થ મેળવ્યું છે, અને હવે તે તેમણે વિલાસ માટે જ સંન્યાસ લીધો હાઈ બધી સંપત્તિ બરબાદ કરવા માંડી છે. આ વ્યક્તિ
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org