SearchBrowseAboutContactDonate
Page Preview
Page 747
Loading...
Download File
Download File
Page Text
________________ રહ૮ દર્શન અને ચિંતન મુલાકાત કરવાની હતી. અલબત્ત, એ પંડિત બહુ સારા વિદ્વાન છે પણ તે વામમાગી અને પોતાના સિદ્ધાન્ત વિશે તેટલા જ પાકા અને નિશ્ચિત છે. તેઓ સ્પષ્ટ કહે છે કે માંસ અને મદ્ય વેદમાં ન હોવાનું કહેવું એ વેદ અને સનાતન ધર્મનું તદ્દન અજ્ઞાન સૂચવે છે. અલબત્ત, અમૃતસરમાં સંસ્કૃત વિદ્યાને કંઈક સારે પ્રચાર કહેવાય. જો કે આજકાલના શિક્ષણમાં જીવનેપયોગી તત્ત્વ અને ઉપયોગીતાવાદને સ્થાન નથી. શિક્ષણ માત્ર મૌખિક અને મુખ્ય ભાગે વિવાદની દિશામાં પ્રેરનારું હોય છે, છતાં વિદ્યાથીઓ અને પંડિતની સંખ્યા સારી છે. શીખોની વસ્તી અહીં ખૂબ હોય એ સ્વાભાવિક છે; કારણ કે એ શીખોનું મુખ્ય ધામ છે. ગમે તે શીખ અહીં સરદાર જ કહેવાય છે. અને “સરદાર' સંબોધન રસ્તામાં ઘણીવાર સંભળાય છે. અહીં પણ કદાવર, અને બળવાન શરીર જોવા મળે છે. મારા ઉતારાની નજીકમાં એક સાધુમાગઓને ઉપાશ્રમ હતો. તેને ચોથે માળે સાધુઓ રહેતા. ત્યાં લગભગ પોણોસો વરસના એક વૃદ્ધ તપસ્વી સાધુ હતા. મેં તેને કેટલાક પ્રશ્નો કર્યા. તેઓના ઉત્તરમાં સત્ય કરતાં સાંપ્રદાયિકતા અને સમભાવ કરતાં ઝનૂન વિશેષ હતાં. એ પંજાબી પ્રકૃતિનું પ્રતિબિંબ મને ત્યાં પણ જણાયું બિનેલી અને બાદ અમૃતસરથી સહરાનપુર થઈ મેરઠ જિલ્લાના એક બિનોલી ગામમાં જવાનું હતું. ત્યાં જતાં ખાસ વિશેષતા ફળોની અને સ્થળોની અનુભવાઈ ફળમાં ખાસ કરીને ઉકાટ હતાં. આ ફળ મોટા બોર જેવું હોય છે અને ગરમીમાં થાય છે. તે ખટુમધુરું, સ્વાદિષ્ટ તથા પુષ્ટિકારક હોય છે. એ ફળો ત્યાં એટલાં બધાં પાકે છે કે આ તરફ જેમ નાગપુરી સંતરાં પ્રસિદ્ધ છે તેમ ત્યાં સહરાનપુરી લુકાટ પ્રસિદ્ધ છે. શેરડી પણ તેટલી જ થાય છે. ઘણાં વર્ષ પહેલાં એકવાર મારા મિત્રે મને કહેલું કે સહરાનપુરનું બજાર કાળા રંગનું છે. કારણું, ત્યાં શેરડીને લીધે ચોમેર માખીઓ છવાયેલી હોય છે. આ ઉપરાંત આંબાનો પાક પણ પુષ્કળ છે. આ પ્રદેશ ગંગાયમુનાની મધ્ય છે. ત્યાં જ્યાં જુઓ ત્યાં નહેર માલૂમ પડે છે. નહેર હોવાને લીધે વરસાદની ખાસ જરૂર રહેતી નથી. અનેક જાતની પેદાશ છતાં ત્યાંના લેકેમાં કંગાલિયત તેટલી જ છે. અંદરોઅંદર લડવાનું, કેટે ચડવાનું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy