________________
સોમાં છો પણ સૌથી જુવાન
[ ૧૩૫ થાય છે. મેં જોયું કે શ્રી મણિભાઈની ધગશ જૈન સમાજના સંકુચિત વાડાઓને ભેદી સંવાદી એકતા સ્થાપવાની છે. એ પણ જોયું કે તેમને અયોગ્ય તેમ જ બાળદીક્ષા બહુ ખટકે છે. ઊગતી પેઢીને સંસ્કારી, શિક્ષિત અને ઉદ્યોગી બનાવવાની પણ તેમની ધગશ જોઈ સ્ત્રીવર્ગ, ખાસ કરી વિધવા અને ઈતર પરાશ્રિત વર્ગ પ્રત્યે એમની મમતા જોઈ. ચાલુ ફિરકાવાર જન સંસ્થાઓમાં ઉદાર તત્ત્વ દાખલ કરવાની ભાવના જોઈ, વગેરે વગેરે કેટલાંય ઉદાત્ત તને મને સાક્ષાત્કાર છે, અને સાથે એ પણ જોયું કે તેઓ જે વિચાર બાંધે છે તેને અમલમાં મૂકવા માટે પણ તેઓ બધું જ કરી છૂટે છે ત્યારે તેમના પ્રત્યે અનન્ય આદર બંધાયે. અને મનમાં થયું કે “સંયુક્ત જૈન વિદ્યાથીગૃહની કલ્પના જેને કેટલાંય વર્ષો અગાઉ આવેલી, અને જેણે મૂર્ત પણ કરેલી તે શ્રી મણિભાઈ ખરેખર પહેલેથી જ ક્રાન્તિકારી તત્ત્વ ધરાવનાર છે.
શ્રી મણિભાઈ દેખીતી રીતે કામ જૈન સમાજને લક્ષી કરતા, પણ રાષ્ટ્રીયતા અને માનવતા તેમના હાડમાં હતી. તેથી કોઈ પણ શુભ પ્રવૃત્તિને બનતો કે આપ અને પિતાની જાતના શ્રીગણેશ કરવા એ તેમનો મૂળમંત્ર. “પ્રબુદ્ધ જૈન ચલાવવું હોય, વ્યાખ્યાનમાળા વિકસાવવી હોય, અયોગ્ય દીક્ષાવિરોધી હિલચાલ શરૂ કરવી હોય, વિદ્યાથીઓને કે વિદ્યાર્થિનીઓને ભણવામાં મદદ કરવી હોય, સંસ્થામાં તેમને ગોઠવવાં હોય, નવાસવા આવેલ ધંધાથીને ધંધે ચડાવવો હોય કે કોઈને ચાલતા ધંધામાં ટેકે આપવો હોય, એમ અનેક ક્ષેત્રે શ્રી મણિભાઈને પહેલ કરતાં જોયા છે. તેથી જ તેમના પ્રત્યે સુધારક કે રૂઢિચુસ્ત સહુને એકસરખો આદર જોવામાં આવે છે. “સંયુક્ત જૈન વિદ્યાથીગૃહને તેમને છેલ્લે મનોરથ આટલી હદે સફળ થશે તેની પાછળ આ જ ભૂમિકા રહી છે.
શ્રી મણિભાઈ રૂઢિ અને સંકુચિતતા સામે ઊકળી ઊઠતા. બેલે ત્યારે એમ લાગે કે રોષે ભરાયા છે પણ દિલમાં ડંખ મેં નથી જે. એક રીતે તેમનામાં ગુણદર્શન મુખ્ય હતું. ખાસ દેષ દેખાય તો ત્યાં તટસ્થ, પણ મનમાં ડંખવૃત્તિ ન પિશે. જેઓ તેમને જાણે છે તેમને તે કહેવાની જરૂર નથી કે તેઓ કેટલા નમ્ર હતા. વચગાળામાં તેમની આર્થિક સ્થિતિ નબળી પડેલી પણ વળી ઊજળા દિવસ આવ્યા અને તેઓએ જાતે જઈ પિતાના લેણદારને જગાડી ચૂકતે લેણું આપી દીધું. ઘણું લેણુદારના વારસો એવા હતા કે જેઓ આ લહેણું વિષે કાંઈ જાણતા જ નહીં. પગ મણિભાઈએ જાના ચોપડા કઢાવી પાઈએ પાઈ ચકવી. હું સમજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org