________________
સ્મૃતિપટ
[૧૨૭ કામ સાહિત્ય-સંપાદનનું. જે ઍફેસર અને પંડિત નિયુક્ત થાય તે અનુકૂળતા પ્રમાણે જૈન સાહિત્યનું આધુનિક દૃષ્ટિએ સંપાદન કરે અને તે તે વિષય પરત્વે અંગ્રેજી, ગુજરાતી અને હિન્દીમાં યથાસંભવ પ્રસ્તાવના આદિ પણ લખે. એ દૃષ્ટિએ કે કોઈ પણ યુનિવર્સિટી કે કોઈ પણ કોલેજના પાઠ્યક્રમમાં તે સંપાદન ઉપયોગી થઈ શકે. જેવી રીતે જર્મન અને અન્ય પાશ્ચાત્ય વિદ્વાનોએ કરેલા ભારતીય સંપાદન પ્રતિષ્ઠા પામ્યાં છે તેથી પણ વધારે સારી રીતે આ દિશામાં વિદ્યાલય કામ કરવાની ગોઠવણ કરે. ત્રીજું કામ મારી દૃષ્ટિએ એ છે કે, વિશિષ્ટ વિશિષ્ટ ગ્રંથના પ્રમાણભૂત અને સંશોધનાત્મક ભાષાંતર કરાવી વિદ્યાલય પ્રસિદ્ધ કરે.
શ્રી મોતીભાઈને ઘણીવાર આવેશમાં એમ પણ કહેતા કે–તમે તો કાંઈ કરતા નથી; માત્ર ધાર્મિક લેકનાં મન રીઝવવા ને પૈસા મેળવવા ધર્મવર્ગ ચલાવો છે એટલું જ. છતાં તેઓ કદી મારા પ્રત્યે તપ્યા નહિ, મીઠાશથી ઘટતે જવાબ વાળતા, અને હસતાં હસતાં ક્યારેક એમ પણ કહેતા કે–તમે વિદ્યાલયમાં આવે તે બધું અમે કરીશું, ઈત્યાદિ.
૧૯૪૩ના અંતમાં મેં તેમને લખેલું યાદ છે કે હવે હું કાશી છોડવાને છું; મુંબઈ તે આવવાને છું જ. કોન્ફરન્સ કે વિદ્યાલય જેવી સંસ્થાઓ મારા વિષય પરત્વે મારો ઉપયોગ કરી શકે, ઈત્યાદિ. પણ આવી મતલબનું લખ્યું તે પહેલાં એક પ્રસંગ અતિ મધુર બની ગયે ને આજે પણ તેની ખુમારી તાજી છે. હું કાશીથી મુંબઈ આવેલો. મારી સાથે શ્રી નથમલજી ટાંટિયા એમ. એ-કે જે હમણાં જૈન તત્ત્વજ્ઞાન લઈ ડી. લીટ. થયા છે તેહતા. અમે બન્ને વલી ઉપર આવેલ ભારતીય વિદ્યાભવનના મકાનમાં ઊતરવાના હતા. મેં પ્રથમથી જ. આની સૂચના શ્રી. મોતીભાઈને આપેલી. અમે વલમાં રાત્રે લગભગ દસેક વાગે સૂવાની તૈયારીમાં હતા ત્યાં તો શ્રી મોતીભાઈ આવી ચડ્યા. આટલે બધે દૂર, આટલું મોડે, અત્યારે કેમ? સવારે મળત,-એમ પૂછયું, ત્યારે તેમણે કહ્યું કે હું અત્યારે જ તમને લેવા આવ્યો છું. નીકળે તો બે કલાક પહેલાં, પણ વચ્ચે કયાંય ગાડી કે વાહનને વેગ મળે નહીં એટલે રખડપટ્ટીમાં મેડું થયું. અમે ઘણું કરી સવારે જવાની વાત કહીને તેમને વિદાય તો કર્યો. પણ મારા મન ઉપર ચિરસ્મરણીય છાપ એ રહી ગઈ કે શ્રી મેતીભાઈને જૈન સાહિત્ય, તત્ત્વજ્ઞાન અને ધર્મ વિષેની જે લગની છે તે ઉપર ઉપરની નથી. તેમના પ્રત્યે મારું વલણ વધારે આદરશીલ બન્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org