________________
સ્મૃતિ પટ
[૧૨ લાલબાગના ઉપાશ્રયમાં શ્રી વિજયવલ્લભસૂરિની સમક્ષ શ્રી મોતીભાઈ એક સુપ્રસિદ્ધ આચાર્યને ઉદ્દેશી કાંઈક કહેતા હતા, તેમાં મેં એક વાક્ય એ સાંભળ્યું કે “તેઓની શૈલી ઉછેદક છે.” જો કે તે આચાર્યશ્રી તેમના માનીતા હતા, કદાચ કુલગુરુ પણ કહેવાય; છતાં ઉપરના તેલ શબ્દ ઉપરથી અને એટલે વિચાર થયો કે, મેંતીભાઈનું વલણ વિધાયક લાગે છે. મારા ઉપર પડેલી આ પ્રાથમિક છાપ ત્યારબાદના પાંત્રીસ વર્ષ જેટલા ગાળાના ઉતરોત્તર વધતા જતા પરિચયથી મને સાચી લાગી છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના થયા પછી તેમની સાથેનો સીધે નહીં તો પારસ્પરિક પરિચય પણ વધતો ચાલ્યો. અલબત્ત, તે પહેલાં તેમનાં કેટલાંક લખાણો મેં સાંભળેલાં, જેમાં શ્રી આનન્દઘનનાં પદોના વિવેચનનું પ્રાસ્તાવિક, જૈન દૃષ્ટિએ યોગ, સિદ્ધર્ષિની પ્રસ્તાવના એ મુખ્ય ગણાય. વિદ્યાલયમાં તત્વજ્ઞાન અને ધર્મના અધ્યાપક તરીકે પં. વ્રજલાલજી નિયુક્ત થયા હતા, જે મારા ચિરસાથી અને અંગત મિત્ર પણ હતા. વિદ્યાલયના કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓ અને બીજા કેટલાક ઉપર પણ વ્રજલાલજીના અધ્યાપનને બહુ જ સારો પ્રભાવ પડેલે ને વિદ્યાલયનું તત્ત્વજ્ઞાન-ધર્મનું શિક્ષણ રસપ્રદ પણ બનેલું.
વખત જતાં એ રસ અને શ્રદ્ધામાં ઓટ આવી. શ્રી. મેહનલાલ દેસાઈ જ નહીં પણ મોતીભાઈ સુદ્ધાં મને મળે ત્યારે એક જ વાત કહે કે–હવે વ્રજલાલજી ઠીક કામ કરતા નથી; તમે બીજો કોઈ અધ્યાપક બતાવે. મારે માટે આ સ્થિતિ ધર્મસંકટ જેવી હતી. એક બાજુ ચિરકાલીન અંગત મિત્રની પ્રતિષ્ઠા અને સ્થિતિને પ્રશ્ન, અને બીજી બાજુ વિદ્યાલયના. સાર્વજનિક શૈક્ષણિક હિતાહિતને પ્રશ્ન. મારી મૂંઝવણ દૂર થઈ નહીં, અને અવારનવાર મોતીભાઈ આદિની માગણી પણ મટી નહીં. આમ લગભગ ૬-૭ વર્ષ વીત્યાં હશે. દરમ્યાન કેટલાંક પ્રબળ કારણસર મેં મારું વલણ વિદ્યાલયને પક્ષે જ વાળ્યું, અને સ્પષ્ટ નિર્ણય કરી મિત્ર વ્રજલાલજીને કહી દીધું કે-હવે આ ગાડું આ રીતે લાંબે વખત નહીં ચાલે. તમે કાં તે સને પ્રથમની જેમ સંતોષ આપ, નહીં તો છૂટા થાઓ. અન્યથા હું બીજો અધ્યાપક સૂચવીશ. ઘણું કરી ૧૯૭૧ કે ત્યારબાદ થોડા સમયમાં જ પં. દરબારીલાલને લઈ હું મોતીભાઈની ઓફિસમાં ગયે. જરાપણ નનનચ કર્યા સિવાય મોતીભાઈએ દરબારીલાલજી માટેની મારી માગણી કે શરત મંજૂર કરીને કહ્યું કે-તમે પગાર છૂટથી ભાગી શકે. આ સાંભળી મારું મન વિશેષ આકર્ષાયું. અમે તો કહી દીધું કે, આથી વધારે પૈસાની
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org