SearchBrowseAboutContactDonate
Page Preview
Page 661
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨] દર્શન અને ચિંતન તે જોઈ ત્યાં હાજર રહેનાર કોઈને પણ તેમના પ્રત્યે સન્માન થયા વગર રહે તેમ ન હતું. સાધુ કે પૂજ્યપણુંનો કઈ પણ ભય મનમાં સેવ્યા સિવાય તેમણે પૂજ્ય જવાહરલાલજીને ચોખે ચોખું સંભળાવી દીધું કે “તમે પિતાના તરફથી માંડવાળ કરવા માટે નમતું આપવા તૈયાર ન હો તો અમે શ્રાવકે તમને બધા સાધુઓને આ જ મકાનમાં પૂરીશું ને બારણું બંધ કરીશું. જ્યાં લગી તમે અંદરોઅંદર ફેંસલે નહિ કરે ત્યાં લગી અમે તમને બહાર આવવા દેવાના નથી.” ડો. મેઘાણી અને તેમના જેવા બીજાની આ ધમકીએ તત્કાળ પૂરતું કાંઈક કામ કર્યું, પણ તો મેઘાણીની નિર્ભયતાની વાત કરું છું. બહુ વિરલ ગૃહસ્થો કે શ્રાવકે એવા હોય છે કે, જેઓ અને પ્રસંગે કોઈ સાધુ કે પૂજીને સામસામ આટલી નિર્ભયતાથી સંભળાવી શકે. - ડો. મેઘાણીનાં લખાણો ખાસ કરીને વાર્તાઓ “પ્રબુદ્ધ જૈનમાં પ્રસિદ્ધ થતી. તેમની વાર્તાલેખનની કળા કેટલી સિદ્ધહસ્ત હતી એ તો તેના વાંચનાર જાણે જ છે. છેલ્લે ૧૯૪૬ના માર્ચના અંત સુધી અમે મુંબઈમાં મળ્યા. અને જ્યારે મળીએ ત્યારે સામાજિક અનુભવો ને તેમનાં લખાણો વિષે જ ચર્ચા કરીએ. છેલ્લે તેમની એક અસાધારણ ઉદારતા અને નિખાલસતાની નોંધ લેવી યોગ્ય ધારું છું. એમણે “પ્રબુદ્ધ જૈન' માટે એક લેખ લખેલે.. પરમાનંદભાઈ તો રહ્યા કઠણુ પરીક્ષક, એમણે એ લેખ પસંદ તે કર્યો, પણ એના પૂર્વભાગ વિષે કહ્યું કે, આ લખાણ સાચું હોય તેય એની. પાછળ ઐતિહાસિક ભૂમિકા ન હોય તે એ ભાગ કાઢી નાખવો જોઈએ.. ડેકટરે મહેનતપૂર્વક લખેલું એટલે સ્વાભાવિક રીતે જ એ ભાગ લેખમાં રહે તે તેમને પસંદ પડે. છેવટે એમ કહ્યું કે મારી સમ્મતિ લેવી. ડોકટર પિતાના એક મિત્ર સાથે આવ્યા અને મને લેખ સંભળાવ્યો. મેં કહ્યું કે એકંદર આ લેખ સારે છે અને તેમાં વર્તમાનકાળ ને ભવિષ્યત વિષેના વિચારો ને વિધાન સાચાં હોવા ઉપરાંત ચોટદાર પણ છે. પણ ભૂતકાળને લગતો પૂર્વભાગ એવો સચોટ નથી. પણ ડોકટરે મારી પાસેથી જાણ્યું કે એ ભાગ પણ વદષ્ટિએ તે સાચે જ છે એટલે તેમને મારું સમર્થન પ્રાપ્ત થયું; પણ પરમાનંદભાઈ એમ ડોકટરને કે મને છેડે તેમ ન હતું. છેવટે અમે બધા ફરી મળ્યા; આ વખતે એ પૂર્વભાગ રાખો કે કાઢવો–એની જે મધુર પણ ઉગ્ર ચર્ચા ચાલી તે આજે પણ મારા કાનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy