SearchBrowseAboutContactDonate
Page Preview
Page 660
Loading...
Download File
Download File
Page Text
________________ આ ને આટલો આઘાત કેમ? [૧ર૧ પત્ર પ્રકાશન પૂરતું જ છે અને તેમાં પણ મુખ્યપણે પંડિત દરબારીલાલજી લખે છે.” મેં તેમને કહ્યું કે, “આટલો બધો માસિક ખર્ચ રાખવા છતાં કાંઈ કામ થતું ન હોય ને માત્ર સામયિક પત્ર જ અને તે પણ સામાન્ય કોટિનું ચાલુ રાખવું હોય તે બહેતર છે કે ઓફિસને ખર્ચ બંધ કરો ને જ્યાં ત્યાં કોન્ફરસની સ્કોલરશીપથી ભણી રહેલ યોગ્ય વિદ્યાર્થીઓ દ્વારા જ પત્ર પ્રકાશન ચાલુ રાખવું.” તેમને એ વાત ગમી. એટલે મને કહે કે ચાલો, તમે અમારા કાર્યકર્તાઓને સમજાવો. આ વખતે મેં જોયું કે ડોકટર સામાજિક ધનને ઉપયોગ જરા પણ નિરર્થક થાય એને સાંખી શક્તા નહિ. આ પછી મુંબઈમાં પર્યુષણ વ્યાખ્યાનમાળાનો યુગ આવ્યો. હું એ પ્રસંગે આવત. ડોકટર મેઘાણી વ્યાખ્યાનમાળા પ્રસંગે પિતાની અનુભવકથા કહે એવી હું માગણી કરતો, પણ તેઓ મને કહેતા કે, મારાથી એ વિષે બોલી શકાશે નહિ. હું મારું કામ લખીને તેમ જ પ્રત્યક્ષ બનતું કરીને પતાવીશ. ડોકટરની નિર્ભયતા અને ક્રાંતિકારી મનોવૃત્તિનો પર મને આગળ મળ્યો, ત્યારે હું તેમના પ્રત્યે પ્રથમથી વધારે આકર્ષાયે. ૧૯૭૩ ના ઉનાળામાં અજમેર મુકામે સ્થા. સાધુ સંમેલન હતું. તે વખતે તેમણે ત્યાં શિક્ષણસંમેલન પણ જેલું. હું પણ શિક્ષણસંમેલન નિમિત્તે ગયેલ. અજમેરમાં સ્થાનકવાસી સાધુ-સાધ્વીઓ બસ ઉપરાંત મળ્યાં હશે. લાખ ઉપરાંત સ્થાનકવાસીઓની ઠઠ ત્યાં જામેલી. સ્થાનકવાસી પરંપરાના પ્રતિષ્ઠિત વયોવૃદ્ધ ને વિદ્વાન કેટલાક પૂજે ને મુનિઓ હતા. સૌમાં પૂજ્ય જવાહરલાલજીનું સ્થાન ઊંચું ગણાતું. તેમના અનુયાયીઓ ઘણું અને સમૃદ્ધ, છતાં એ પૂજ્ય જવાહરલાલજી સામે ડો. મેઘાણીને બળવો કરવાને પ્રસંગ પ્રાપ્ત થશે. પૂજ્ય જવાહરલાલજીને મુનિ ચૌથલજી બન્ને એક જ પરંપરાના ને એમ છતાં બન્ને વચ્ચે હિંદુ-મુસલમાન જેટલું અંતર ને કડવાશ. આ અંતર ન સંધાય તો અન્નપાણું ન લેવાં એવા સંકલ્પથી મુનિ મિશ્રી લાલજીએ ઉપવાસ આદરેલા. લેકમાં ક્ષોભ જાગેલો. પૂજ્ય જવાહરલાલજી કેમે કરી નમતું આપે નહિ. ઉપવાસ કરનાર મરે તે તે જાણે પણ તેઓ તે કઈ પણ રીતે ચૌથમલજી સાથે માંડવાળ કરવા તૈયાર ન હતા. તેમના અનેક અનુયાયીઓએ તેમને સમજાવ્યા પણ બધું હવામાં. આવા કેઈ આઘાતથી સ્વ. દુર્લભજી ઝવેરી જવાહરલાલજીના ભક્ત છતાં તેમની સન્મુખ મૂર્ણિત થઈ ગયેલા. ડો. મેઘાણીને મિજાજ કાબૂમાં ન રહ્યો. આખા સ્થા. સમાજમાં આગેવાન ને ભાદાર ગણુતા એ પૂજ્ય સહ ડોટર મેઘાણીએ જે ઉગ્ર વલણ લીધું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy