________________
૧૨૦]
દર્શન અને ચિંતન તેમણે મને વેશ્યાજીવનની આસપાસ વીંટળાયેલ અનેકવિધ ગુંગળામણ વિષે એવા અનુભવો સંભળાવેલા કે હું સાંભળીને ઠરી જાતે. કેટકેટલી નાની ઉંમરની છોકરીઓ એ જાળમાં ફસાય છે, કેવડા નાના અને ગંદા મકાનમાં તે જીવન ગાળે છે, પાઉંટી, બ્રેડ ને ચા ઉપર મોટે ભાગે તે કેવી રીતે નભે છે, કેટલી નિર્લજજતાથી અનિચ્છાએ પણ તેમને રહેવું પડે છે અને ત્યાર પછી આ ગંદકીમાંથી નીકળવા ઘણીખરી બહેને કેટલી ઝંખના કરે છે અને છતાંય કોઈ રસ્તે મેળવી શકતી નથી અને તેમનો હાથ પકડનાર કોઈ વિશ્વાસી મળતું નથી–એ બધું જ્યારે ડોકટર કહેતા ત્યારે એમની કરણ આંસુ રૂપે ઊભરાતી.
ડોકટરને પિતાની ફરજને અંગે વ્યાપારીઓની દુકાને સીધા-સામાનમાં કાંઈ સેળભેળ છે કે નહિ તેની પરીક્ષા પણ કરવી પડતી. તેમણે એક વાર એવી પરીક્ષાને પરિણામે જે સેળભેળનાં અનિષ્ટ તો જોયેલાં તે મને કહ્યાં ત્યારે હું નવાઈ પામ્યો કે આવી જીવલેણ સેળભેળ ચાલવા છતાં પ્રજા જીવે છે કેવી રીતે ? વ્યાપારીઓ સજા ને દંડના ભયથી લાંચ આપી છટકી. જવા ઇચ્છે એ સમજી શકાય તેવું છે, પણ મેઘાણીને લાંચ કે બીજું કોઈ પ્રલોભન લલચાવી શકે તેમ ન હતું. એ તો છેવટે પિતાના અધિકારનો ઉપયોગ વ્યાપારીની વૃત્તિને સુધારવામાં જ કરતા.
- સ્ત્રીઓનાં દુઃખ પ્રત્યેની ઊંડી સંવેદનાએ તેમને વિધવાઓના ઉદ્ધારની દિશામાં પ્રેર્યા હતા. હું એમને ત્યાં હતા તે દરમ્યાન જ તેમણે બે ત્રણ અતિ સંકડામણમાં આવેલ બાળ-વિધવાઓને ઠેકાણે પાડી સંમાનભેર જીવન ગાળતી કરી હતી. એ બાળવિધવાઓ જૈન હતી ને તેમની ધન તેમ જ શીલ-સંપત્તિ તેમના નિકટનાં સગાંઓએ જોખમમાં મૂકી તેમને રખડતી કરી હતી. એ બાળવિધવાઓને માટે મરણ સિવાય બીજો કોઈ રસ્તો રહ્યો હોય તેમ લાગતું નહિ. તે વખતે ડો. મેઘાણીએ તેમને ઠેકાણે પાડી. આ વસ્તુ જાણી ત્યારે ડે. મેઘાણે પ્રત્યે હું વધારે આકર્ષાય; ને તેમના કહેવાથી તે વખતે હીરાબાગમાં થયેલ એક પુનર્લનમાં હું હાજર પણ રહેલે.
સુધારણા અંગેની બધી પ્રવૃત્તિઓમાં ટરની મનોવૃત્તિ ક્રાન્તિકારિણી હતી ને તે દયામૂલક હતી. ડે. મેઘાણી સ્થાનકવાસી જૈન પરંપરાના હતા; તિથી સ્થાનકવાસી જૈન કોન્ફરન્સમાં પણ કાંઈક રસ લેતા. તેમણે એકવાર કહ્યું કે, “ઓફિસનો ખર્ચ આટલે થાય છે ત્યારે કામ તો માત્ર સામયિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org