SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્રાજચંદ્ર ’~એક સમાલાચના [ ses એ વિચાર જૈન સમાજમાં ખાસ કરી જિનકલ્પ ભાવનાને લીધે આવ્યા છે. એ બાબત શ્રીમદે આ નેધમાં ખૂબ પ્રકાશ પાડયો છે, અને પૂર્ણ અનેકાંતદૃષ્ટિ ગૃહસ્થ—સાધુ અન્ને માટે ઘટાવી છે, જે વાસ્તવિક છે. ઔષધ બનાવવામાં કે લેવામાં પાપષ્ટિ હોય તે તેનું ફળ પણ ઔષધની અસરની પેઠે અનિવાર્ય છે, એ વસ્તુ માર્મિક રીતે ચર્ચા છે. ઔષધ દ્વારા રોગનું શમન કેમ થાય ? કારણ કે રાગનું કારણ તા કર્મ છે, અને તે હોય ત્યાં સુધી ખાદ્ય ઔષધ, શુ કરે ? એ કર્માંદૃષ્ટિના વિચારને સરસ જવાબ આપ્યા છે. આ લખાણમાં એમણે ત્રણ અંશે। સ્પર્ધા લાગે છે ઃ ૧. રાગ ક્રજનિત છે તે તે કમ ચાલુ હાય ત્યાં લગી ઔષધોપચાર શા કામના ? એક: એ પ્રશ્ન છે. ૨. રાગજનક કમ ઔષધનિવ જાતિનું છે કે અન્ય પ્રકારનુ એ માલૂમ ન હોવા છતાં ઔષધની કડાકૂટમાં શા માટે ઊતરવું ?—ખાસ કરીને ધાર્મિ ક ગૃહસ્થ અને ત્યાગીઓએ—એ ખાજો પ્રશ્ન. ૩. ઔષધ કરીએ તેાય પુનઃ : કુખ્ધ થવાના જ, કારણ, ઔષધ બનાવવામાં અને લેવામાં સેવાયેલ પાપત્તિ નિષ્ફળ નથી જ. તે પછી રાગ નિવારીને પણ નવા રાગનું ખીજ નાખવા જેવું થયું. એને શે। ખુલાસા ? એ ત્રીજો પ્રશ્ન. આ ત્રણે પ્રશ્નો એમણે કમશાસ્ત્રની દૃષ્ટિથી ચર્ચા છે. ઔષધ અને વેદનીયક નિવૃત્તિ વચ્ચે સબંધ દર્શાવતાં તથા કબંધ અને ત્રિપાકની વિચારણા કરતાં એમણે જૈન કર્મશાસ્ત્રનું મૌલિક ચિંતન વ્યક્ત કર્યું છે. વ્યાખ્યાનસાર ’ (૭૫૩) આખા જૈન તત્ત્વજ્ઞાનની રુચિવાળા બધાએ વાંચવા જેવા છે. એ વાંચતાં એમ લાગે છે કે એમણે સમ્યક્ત્વ પાર્ક અનુભવ્યું ન હોય તો એ વિશે આટલી સ્પષ્ટતાથી અને વારંવાર કહી ન શકે. તેઓ જ્યારે એ વિશે કહે છે, ત્યારે માત્ર સ્થૂલ સ્વરૂપ નથી કહેતા. એમના એ સારમાં વણા પ્રસિદ્ધ દાખલાઓ આકર્ષક રીતે આવે છે. કેવળજ્ઞાનની કયારેક પ્રથમ નવી રીતે કરવા ધારેલ વ્યાખ્યા એમણે આમાં સૂચવી હાય એમ લાગે છે, જે જૈન પર પરામાં એક નવું પ્રસ્થાન અને નવીન વિચારણા ઉપસ્થિત કરે છે. એમાં વિરતિ—અવિરતિ અને પાપક્રિયાની નિવૃત્તિ –અનિવૃત્તિના સબંધમાં માર્મિક વિચાર છે.× એમના ઉપર જે ક્રિયાલાપના આક્ષેપ થતા, તેના ખુલાસો એમણે પાતે જ આમાં સ્પષ્ટ કર્યો છે, જે તેમની સત્યપ્રિયતા અને નિખાલસતા સૂચવે છે. * આ પુસ્તકમાં જુએ પાન ૧૨૯, × જુઓ આ ગ્રંથ પાન ૧૧૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy