SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય. [૭૧ બીજી ગાંધીજીની ટીકા કરતા. કેટલીકવાર તેઓ એ ટીકા બહુ સખતપણે પણ કરતા. ગાંધીજી ઉપવાસ અને બીજા દેહદમને ઉપર જે ભાર મૂકે છે. તેને કૌશાંબીજી બુદ્ધિની દષ્ટિએ નિહાળી અયોગ્ય લેખતા. અને તેથી ઘણું વાર કહેતા કે, ગાંધીજીમાં જે ત્યાગ, જે અહિંસાવૃત્તિ છે તેની સાથે આવા તપને કઈ મેળ નથી. કૌશાંબીજી આ ટીકા સૌની સમક્ષ પણ કરતા.. જેઓ ગાંધીજીના પ્રત્યેક વ્યવહાર અને વિચારને અક્ષરશઃ માનતા અને અનુસરતા તેઓ કેટલીકવાર ગાંધીજીની ટીકાથી કૌશાંબીજી પ્રત્યે અકળાતા પણ ખરા, છતાં સૌમાં કૌશાંબીઝની નિષ્ઠા અને પ્રમાણિકતા વિષે એકસરખી શ્રદ્ધા જોઈ શકાતી. દરેક એમ સમજતો કે કૌશાંબીજી માને છે તેમ કહે છે અને કોઈની શેહમાં લેશ પણ આવે તેવા નથી. દરેક જણ એમ સમજતો કે કૌશાંબીજને બુદ્ધિથી સમજાવી શકાય, પણ દબાણ કે લાલચથી નહિ. ગાંધીજી દ્વારા પ્રાર્થના ઉપર જે ભાર અપાતો અને ગીતાનું જે અનન્ય મહત્ત્વ અંકાતું તેની સામે કૌશાંબીજી અનેક દલીલે સાથે મનોરંજક ટીકા કરતા.. કઈ બચાવમાં ઊતર્યો કે એનું આવી બન્યું. તે વખતે કૌશાંબીજીની પ્રજ્ઞા અને દલીલ શક્તિને પ્રવાહ કેવો વહેતે એ તે ત્યાં હાજર હોય તે જ સમજી. શકે. કૌશાંબીજી માત્ર અન્ય સંપ્રદાય કે ધર્મોના જ ટીકાકાર ન હતા. તેઓ બૈદ્ધ હોવા છતાં બૈદ્ધ-પરંપરાની ત્રુટીઓની પૂર્ણપણે ટીકા કરતા. જેણે તેમનું “અહિંસા આણિ સંસ્કૃતિ” પુસ્તક વાંચ્યું છે તે જોઈ શકશે કે કૌશાંબીજી વહે અને ધાર્મિક દર્ભના કેટલા વિરોધી હતા. આ પુસ્તક તેમણે કાશીમાં લખેલું અને મને આખું ભરાડીમાં જ સંભળાવેલું. કાશીવિદ્યાપીઠના પ્રાણ શ્રી શિવપ્રસાદ ગુપ્તા તેમને બહુ માનતા. ગુપ્તાજીએ કહેલું કે તમારું પુસ્તક હું હિન્દીમાં છપાવીશ, પણ કૌશાંબીજી મને હમેશા કહેતા. કે કપિઝટર કે અનુવાદક, વિક્રેતા કે બીજા કોઈ જે હિન્દુ હશે અને વેદ-- પુરાણ સંસ્કૃતિને માનત હશે તે મારું ખૂન ન કરે તે હું પાડ માનીશ. અને બન્યું પણ તેમ જ. લગભગ ૧૨ વર્ષ વીતી ગયાં, એને ગુપ્તાજીએ કરાવેલ હિન્દી અનુવાદ પણ તૈયાર પડ્યો છે, છતાં હજી લગી એને છાપનાર કઈ મળ્યું નથી. જે એમાં વેદ-પુરાણ તેમ જ ગીતાની સ્પષ્ટ સમાલોચના વાંચે છે તે જ છાપવા કે પ્રકાશિત કરવાની હિંમત કરી શકતા નથી. છેલ્લે છેલ્લે ૧૯૪૬ના જુલાઈમાં તેઓ જ્યારે સરયૂતટે દેહરીધાટ ઉપર અનશન લેવા ગયા ત્યારે મને એ હિન્દી અનુવાદ સેંપી શ્રી નાથુરામ પ્રેમીઓને મોકલવાનું કહી ગયા. એમને વિશ્વાસ હતો કે પ્રેમીજી નિર્ભય અને વફાદાર છે, તેથી તેઓ અવસર આવ્યું છાપતાં કે છપાવતાં પાછા નહિ પડે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy