SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય [૨૭ આ સ્થિતિએ જ કેંગ્રેસ વિરોધી ષડ્રયંત્ર રચાવ્યું અને મેંગ્રેસને તેમ જ દેશને વર્તમાન સ્થિતિએ પહોંચાડનાર મહાન જીવનને ખતમ કરવાને સંકલ્પ પિષ્યો, જેનું ગેસે તે એક પ્રતીક માત્ર છે. " ગાંધીજી ગેડસેને હાથે વીંધાયા એમ કહેવા કરતાં એમ કહેવું વધારે સાચું છે કે ગાંધીજીની ઉત્તરેતર વિકસતી અને શુદ્ધ થતી જતી અહિંસાને ન પચાવી શકનાર માનસે જ ગાંધીજીની હિંસા કરાવવામાં ભાગ ભજવ્યો. પણ ગાંધીજી જે સાચે જ અહિંસક હતા અને તેમની પ્રજ્ઞા એક માત્ર સત્યને જ ધારણ કરતી હતી અને જીરવતી હતી તે તેમની હિંસા શક્ય જ નથી. ઊલટું એમણે આચરેલી અહિંસા અને સેવેલી સત્યપ્રજ્ઞા એ બંને જે નાનકડાશા સ્થૂળદેહ પૂરતી મર્યાદિત હતી તે અનેક મુખે વિસ્તરી છે. જે લેકે ગાંધીજીની અહિંસા અને સત્યંભરા પ્રજ્ઞાને પૂરી રીતે નહતા. સમજતા તેઓ પણ હવે વધારે તાલાવેલી સાથે તેને સમજવા મથી રહ્યા લાગે છે. આથી જ તે અનેક માણસો જે કોઈના ભરમાવ્યા આડે રસ્તે દેરાયા હતા તે ટપટપ પાછા સીધે રસ્તે આવવા લાગ્યા છે અને ગોડસેના પ્રેરક માનસને હૃદયથી નિંદી રહ્યા છે. પુનર્જન્મ વ્યકિતગત છે કે સામાજિક હે, બન્ને રીતે તેને અર્થ એક તે છે કે કેઈપણ સંકલ્પ વૃથા જ નથી જગાંધીજીને વજસંકલ્પ તે વ્યર્થ જઈ જ ન શકે. સેક્રેટિસ અને ક્રાઈસ્ટના સંકલ્પ તેમના જીવન પછી વધારે વેગવાન અને વધારે દમૂળ થયા છે એ જાણીતું છે. ગાંધીજીનું મૃત્યુ એ પામર જંતુનું મૃત્યુ નથી. એ મૃત્યુએ માણસજાતને શોકાતુર કરી છે. તેનો અર્થ એ છે, કે તેને પિતાનું અંતર નિરખવા અંતર્મુખ કરી છે. અને છેવટે ગાંધીજી ઈચ્છતા હતા પણ શું? તે તે હમેશાં એક જ વાત કહેતા કે તમે પિતાનું અંતર તપાસ અને પિતાની જાતને પ્રથમ સુધારે. જીવનમાં તેમણે પિતાનો સંદેશ જેટલા પ્રમાણમાં ફેલાવ્યું તે કરતાં તેમણે પિતાના મૃત્યુથી પિતાને સંદેશો વધારે ફેલાવ્યો છે અને તે આગળ વધારે ને વધારે ફેલાશે એમાં લેશ પણ શંકા નથી. એમ તે આ દેશના તખ્તા ઉપર આવ્યા પછી ગાંધીજીએ બહુ મટે સેવકવર્ગ ઊભો કર્યો છે. કોઈ પણ પ્રાંત, કઈ પણ જિલ્લે કે કોઈ પણ તાલુકે લે તે ત્યાં ગાંધીજીની દેરવણ પ્રમાણે કામ કરનાર ઓછાવત્તા મળી જ આવવાના. આવા કાર્યકરોમાં અનેક જણ તે વિભૂતિ જેવા પણું. છે. તેમના મૃત્યુથી આવા વર્ગમાં મેટે ઉમેરે થશે એટલું જ નહિ પણ તે વર્ગ વધારે શુદ્ધ થઈ કાર્યબળ મેળવશે, કારણ કે હવે તે વર્ગને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy