SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬] દર્શન અને ચિંતન જ્યારે ગાંધીજીને તે આવા લાંબા કાળના રૂઢ માનસને સમજાવટ અને વિવેકથી સુધારવું હતું. ડૂબતે અને આપદગ્રસ્ત માણસ તૂટી જાય એવા તત્કાળસુલભ તણખલાનું અવલંબન લેતો હોય ત્યારે એને કાંઈક ખમી ખાઈ સંકટ સહી વધારે સ્થિર ઉપાયનું અવલંબન કરવા કહેવામાં આવે તે બહુ ઓછી સફળતા મળે છે. એટલે દેશના ભાગલા પડતાં જે જે કેમી દાવાનળ ભભૂકી ઉઠ્યો તેમાં હિંદુ તેમ જ શીખોને એક જ બચવાને ઉપાય જણાયે. ગાંધીજી એ ઉપાયનું અવલંબન કરવામાં લાંબે ગાળે બહુ જ અહિત જોઈ શક્યા. તેથી તેમણે હિન્દુ અને શીખેને એ બદલાની વૃત્તિ અજમાવતા પ્રથમ રોક્યા. આને લીધે જેમ જેમ મુસલમાને ગાંધીજીને પ્રશંસવા લાગ્યા તેમ તેમ હિન્દુઓ અને શીખે વધારે છેડાયા અને ખુલ્લેખુલ્લા પ્રચાર કરવા લાગ્યા કે જુઓ ! મુસલમાનો જ ગાંધીજીને પિતાના. હિતૈષી ગણે છે. જે મુસલમાનને હિતૈષી હોય તે તે હિન્દુદ્રોહી હોય જ. ઉશ્કેરણીજનક બન્ચે જતા નવનવા બનાવમાં બધે જ એકસરખી રીતે સાંત્વન આપવાનું અને સમજાવટ કરવાનું કામ ગાંધીજી માટે ઘણું અઘરું: હતું. છતાં તેમણે અનશન જેવા જલદ ઉપાયો અને રેડિ ઉપરનાં સર્વગમ્ય પ્રવચનો દ્વારા પિતાનું કામ જારી રાખ્યું અને બદલા લેવાની વૃતિ જે ભયંકર રૂપમાં હિંદુ તેમ જ શીખ ભાઈઓમાં ફાટી નીકળી હતી. તે કાંઈક અંશે કાબૂમાં લીધી. પણ આ વખતે પેલે અસહિષ્ણુ અને સત્તાલુપ વર્ગ લેકને આડે રસ્તે જ દોર્યો જતો અને ખુલ્લંખુલ્લા કહેતો કે ગાંધીજી તે અહિંસા દ્વારા છેવટે હિંદુઓ અને શીખોની જ કતલ કરાવી રહ્યા છે. જ્યારે ગાંધીજી વિરુદ્ધ લોકમાનસ ઠીક ઠીક પ્રમાણમાં કેળવાયું ત્યારે જે રૂઢિચુસ્ત અને નામધારી ધાર્મિકે પહેલેથી જ ગાંધીજીની વિરુદ્ધ હતા અને અત્યારલગી પિતપોતાના આંગણામાં જ રહી તેમને ભાંડતા તે બધા પેલા બુદ્ધિપટુ સત્તાલોલુપ વર્ગના ટેકેદાર થઈ ગયા. એ અસહિષ્ણુ વર્ગ હિંદુ જાગીરદારે અને રાજાઓને તેમની સત્તા જવાનો ભય. બતાવી અને પિતાદ્વારા તેમની સત્તા ચાલુ રહેવા આશા આપી હિંદુ ધર્મ અને જાતિના ઉદ્ધારને બહાને પિતાની તરફ વાળવા લાગ્યા, હિંદુવાભિમાની આચાર્યો અને મહંતોને તેમના પરંપરાગત ધર્મની રક્ષાની બાંહેધરી આપી પિતાનામાં મેળવવા લાગે, ચુસ્ત મૂડિવાદીઓને ભાવિ ભયમાંથી મુક્તિ આપવાની આશા દ્વારા પિતાનામાં મેળવવામાં સફળ થયો. પરિણામે એ ગાંધીજી વિરુદ્ધના ખૂની માનસમાં અનેક વર્ગોને સમાસ થતે ગયે, અને તે વર્ગ હિંદુપદ પાદશાહીનાં સ્વપ્ન પણ સેવવા લાગ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy