SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ , [૫ ન હતું તેઓ મનમાં સમસમતા અને ગાધીજી પ્રત્યે જાહેરમાં નહિ તે ખાનગીમાં રોષ સેવતા અને ફેલાવતા. આવા લેકેમાં કેટલાક બુદ્ધિપટુ છતાં માત્ર સત્તાલુપ અને અસહિષ્ણુ લેકેને એક વર્ગ પહેલેથી જ હતો. ગાંધીજીની વધતી જતી વિશ્વપ્રિય પ્રવૃત્તિ અને દેશધ્ધારક પ્રવૃત્તિના તેજ સામે તેવા વર્ગનું બહુ ઓછા લેકે સાંભળતા. પણ ગાંધીજીને હિંદુવશેધક કાર્યક્રમ જેમ જેમ ઉગ્ર અને વિશાળ બનતે ગમે તેમ તેમ તે અસહિષ્ણુ વર્ગને ભોળા, અજ્ઞાની અને સ્વાર્થી લેકેને પિતાના તરફ આકર્ષવાની વધારે તક સાંપડતી ગઈ. મુસલમાનોની માગણીઓ વધતી ચાલી. ગાંધીજી તેમને કેરે ચેક આપવાની દીર્ધદષ્ટિ ભરેલી વાત કરે તે પેલે અસહિષ્ણુ વર્ગ હિંદુ લોકોને ઉશ્કેરે કે જુઓ, ગાંધીજી પિતાને હિંદુ કહેવડાવે છે, હિંદુ ધર્મના અનુયાયી હોવાની વાત કરે છે, ગીતાને અક્ષરસઃ આચરવાની વાત કરે છે, અને છતાંય આતતાયી મુસલમાનો સામે ભીરુ થઈ નમી પડે છે. સામાન્ય લેકે જેઓ લેવડદેવડમાં પાઈએ પાઈને હિસાબ ગણતા હોય અને જેઓનાં મન ઉપર આતતાયીને પ્રહાર કરીને જ ઠેકાણે લાવવાનો સંસ્કાર હોય તેઓ ગાંધીજીની દીર્ધદષ્ટિ ભરેલી ઉદારતાને અવળો અર્થ લે તે એ સ્વાભાવિક જ હતું. ગાંધીજીની દીર્ધદષ્ટિ એ હતી કે પહેલાં મારા ઘરનું શોધન થાય તો બીજાને શેધન માટે કહેવાનું કામ સરળ થાય, અને દુનિયામાં પણ પિતાની પ્રતિષ્ઠા વધે. જ્યાં લગી મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભા વચ્ચે રસાકસી ચાલી ત્યાં લગી પેલા અસહિષ્ણુ વગે દેશના ભોળા લોકોમાં એક જ જાતનું વિષ ફેલાવ્યું કે હિંદુ જાતિ અને હિંદુ ધર્મ ગાંધીજીના હાથે જોખમાય છે. દુર્ભાગ્યે દેશના ભાગલા પડ્યા અને એમાંથી અરસપરસ કાપાકાપીનો દાવાનળ પ્રગટ્યો. મુસ્લિમ લીગે તે ગાંધીજીને ઇસ્લામ અને મુસલમાનના શત્રુ તરીકે ગણાવ્યા જ હતા; પણ કટ્ટર હિંદુમહાસભાવાદીઓએ પણ તેમને હિન્દુ ધર્મના શત્રુ તરીકે ગણાવ્યા. જે લેકના મનમાં ગાંધીજી વિષે કુસંસ્કાર પિલાયો હતો તેમણે જ્યારે હિંદુ અને શીખોની કલ્લેઆમ જોઈ, સ્ત્રીઓનાં અપહરણો જોયાં, ત્યારે તે તેમને દઢ પ્રતીતિ થઈ ગઈ કે હિંદુ ધર્મ કે હિંદુજાતિનું રક્ષણ ગાંધીજીને હાથે થવાની વાત આકાશપુષ્પ જેવી છે. આ કામ તે હિંદુ મહાસભા જ કરી શકે અને તે જ બમણું બળથી લેવાની પ્રત્યે તેવા થઈ સામાની સાન ઠેકાણે લાવી શકે. કટ્ટર હિંદુ મહાસભાવાદીઓને આ મુદ્દો એટલે સરળ હતા કે તેને સમજવા કે સમજાવવામાં બહુ ચાતુર્યની જરૂર પડે તેમ હતું જ નહિ. કારણ કે લેકમાનસ પ્રથમથી જ પાશવવૃત્તિથી ઘડાયેલું હોય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy