SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪] દર્શન અને ચિંતન શક્ય હોય, છતાં તેને સમજવા અને પચાવવા જેટલી માનવ-સમાજની ભૂમિકા તૈયાર ન હતી. ગાંધીજીએ સમાજના ખૂણેખૂણામાં પહોંચી લેકેની સદ્દબુદ્ધિ જાગૃત કરવા ભગીરથ પ્રયત્ન કર્યો. તેને પરિણામે લાખો માણસો એમનું કથન સમજવા તરફ અને એમનું જીવન ઓછેવત્તે અંશે જીવવા તરફ વળ્યા. પણ સમાજનો એક મોટો ભાગ એવો ને એવો જ રહ્યો, અને ગાંધીજીના નવજીવનમય સંદેશની તીવ્રતા અને વિશેષ પ્રચારની સાથે સાથે તે વધારે ને વધારે વધતો ગયો કે જે ગાંધીજીના સંદેશને ઝીલી ન શક્યો, એટલું જ નહિ પણ તેને એ સંદેશ સાવ ઘાતક તેમજ અવ્યવહારુ લાગે. જેઓ ગાંધીજીને નવજીવનસંદેશને શ્રદ્ધાપૂર્વક સાંભળતા અને યથાશક્તિ તે પ્રમાણે વર્તવા ઈચ્છતા તેઓના મનમાં પણ કેટલીકવાર ગાંધીજીના પારમાર્થિક સિદ્ધાંત વિશે શંકા ઊઠતી, અને પૂરતું સમાધાન ન થતું. એવો પણ વર્ગ વધતો ગયો કે જે ગાંધીજીને સાંભળવાનું જતું કરી શકે જ નહિ 'પણ મનમાં એક જ વાત પિષ્યા કરે કે એ તે સંત રહ્યા, વ્યવહારમાં એમની વાત ન ચાલે. પણ આથી એ વધારે મોટો વર્ગ તે એવો નિર્માણ તે ગયે કે જે ગાંધીજીના પારમાર્થિક સત્યના સિદ્ધાંતને તત્ત્વતઃ માનવા છતાં વ્યવહારમાં તેની તદ્દન અવગણનાપૂર્વક અવ્યવહારિતામાં જ માનતે. આ છેલ્લે વર્ગ એ જ ગાંધીજીના નવજીવનસંદેશ માટે ભયાનક હતે. ગાંધીજી પિતાને હિંદુ કહેતા અને હિંદુ ધર્મ આચરવાનો દાવો કરતા, પણ તેમને હિંદુ ધર્મ ઋતંભરા પ્રજ્ઞામાંથી ઉદ્ભવેલ અને પિવાયેલ હોવાથી એટલે બધો વિશાળ બન્યો હતો કે તે એક બાજુથી દુનિયાના સમગ્ર સાચા ધર્માનુયાયીઓને “ગાંધીજી અમારા જ ધર્મનો મર્મ સર્વત્ર સાચી રીતે પ્રગટ કરી રહ્યા છે” એમ માનવા લલચાવત, જ્યારે બીજી બાજુથી તે સાંકડા મનના રૂઢિચુસ્ત અને સ્વાર્થી ધાર્મિકેના મનમાં તે જરા પણ સ્થાન ન પામતે અને તેમને અનેક રીતે અકળાવી મૂકત. જગત કઈ દિશામાં ઘસડાઈ રહ્યું છે અને મૃત્યુના મહાગર્તમાં ખૂંચતું જાય છે એ સ્થિતિનું ભાન હોવાથી અને તે માટે નિર્દોષ તેમ જ સર્વ આચારી શકે તે ત્રાણ પાય લેકે સામે મૂકેલે હોવાથી દિવસે દિવસે ગાંધીજીને અનુસરનારા વચ્ચે જતા હતા. અને ઓછામાં ઓછું તેમની અસરકારક વાણી વાંચવા કે સાંભળવા માટે તે તલપાપડ થનારની સંખ્યા વચ્ચે જ જતી હતી. જૂની પેઢીના અને ઘડપણને કિનારે જઈ બેઠેલા લેકે પણ આ -વર્ગમાં આવતા જ જતા હતા. એટલે રૂઢિચુસ્ત અને વિરોધી માનસવાળા, જેમને પિતાને ધર્મ કે કેમના વાડા માટે પણ કશું સક્રિય કામ કરવાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy