SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮] દર્શન અને ચિંતન પિતાને જ ખભે આવેલ જવાબદારીનું પૂર્ણ ભાન થતું જાય છે. જે મુસલમાન ભાઈઓને ગાંધીજી પિતાનું ઘર સુધાર્યા બાદ દૂર બેઠા કે પાકીસ્તાનમાં જઈ સમજાવવાના હતા તે મુસલમાનોમાં પણ એ ભાન બળવત્તર થતું જાય છે કે ગાંધીજી જે કહેતા તે જ સાચું છે અને મુસ્લિમ લીગ જે ધમધતાને નામે ઉશ્કેરતી હતી તેમાં કશું જ તથ્ય નથી. આ રીતે જોવા જઈએ તે ગાંધીજીનું જીવન જેટલું મહત્વ અને કલ્યાણકારી હતું તેટલું જ તેમનું મૃત્યુ પણ મહત અને કલ્યાણકારી છે એ વિષે શંકા નથી. ગાંધીજી ગુરુત્વાકર્ષણના નિયમ જેવા હતા. તેમણે આખું જીવન પરસ્પર વિરોધી એવાં વિવિધ બળાને એક જ ઉદ્દેશની સિદ્ધિ માટે સાંકળી રાખવામાં અસાધારણ સફળતા મેળવી છે. રાજાઓ, મઠધારીઓ, મૂડીવાદીઓ અને ઉચ્ચસ્વાભિમાની વર્ગ ઉપર સામ્યવાદનું જે સંહારકારી મોજે વેગપૂર્વક આવી રહ્યું હતું તેને અહિંસાના પૂરદ્વારા નિવારવા અને એ મજાનું પ્રાણદાયક તત્વ માત્ર પ્રતિષ્ઠિત કરવા ગાંધીજીએ પિતાની કાર્યસાધનાધારા છેલ્લી ઘડી સુધી પ્રયત્ન કર્યો. તેઓ સૌને નિર્ભય બનાવવા જ મથતા અને જે જે ભયનાં કારણે જે જે વર્ગ સેવ હોય તે તે વર્ગને તે ભયનાં કારણે જ ફેંકી દેવા સમજાવતા. રાજાઓને ટ્રસ્ટી થઈ રાજ્ય કરવા કહેતા, તિ મૂડીવાદી તથા ઉદ્યોગપતિઓને પણ ટ્રસ્ટી થઈ લેકહિત અર્થે ઉદ્યોગધંધે વિકસાવવા કહેતા. દરેક ધર્મપંથના દીવામાં તેજ ન હતું, કારણ કે તેમાં તેલ અને બત્તી જ ખૂટી ગયાં હતાં. ગાંધીજીએ પોતાનાં આચરણ દ્વારા દરેક ધર્મપંથના દીવામાં તેલ–બરી પૂરવાનું કામ કર્યું અને સમજદાર દરેક ધાર્મિક એમ માનતે થયો કે અમારે પંથ પણ સજીવ છે અને તેમાં પણ કાંઈક રહસ્ય છે. સવર્ણ જાતિગત ઉચ્ચતાના અભિમાનને લીધે અંદરોઅંદર ન સાંધી શકાય એવા ખંડમાં વહેંચાઈ ગયા હતા, અને દલિતવર્ગ તે માનવતાની ટિમાં રહ્યો જ ન હતું. ગાંધીજીએ વર્ણ ધર્મ એવો આચર્યો કે જેથી એક બાજુ સવર્ણાભિમાનીઓનું ઉચ્ચસ્વાભિમાન સ્વયમેવ ગળવા લાગ્યું અને બીજી બાજુ દલિતવર્ગની લેહી સાથે એકરસ થઈ ગયેલ દૈન્ય–વૃત્તિ નિર્મૂળ થતી ચાલી. એક તરફથી ઊર્ધ્વરેહણ અને બીજી તરફથી નિમ્નાવોહણ એ બને ક્રિયાએ દેશમાં વર્ણધર્મને નવું સ્વરૂપ આપ્યું. જે જાતિગત ઉચ્ચનીચભાવનું હજાર વર્ષ થયાં જડ ઘાલી બેઠેલ વિષક્ષ બુદ્ધ, મહાવીર કબીર, નાનક કે દયાનન્દ આદિ દ્વારા નિર્મૂળ થઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy