________________
અ.
[ ૧૩
પણ તેમાં વિહિત શસ્ત્રદ્રારા દુષ્ટ દમનમાં નહિ માને. તે કુરાન ને આદર કરશે પણ કાઈ ને કાર નહિ માને. તે બાઈબલને પ્રેમધમ સ્વીકારશે પણ ધર્માંતરને સાવ અનાવશ્યક સમજશે. તે સાંખ્ય, જૈન અને બૌદ્ધોના ત્યાગને અપનાવશે પણુ જગતરૂપ મિથિલા કે માનવરૂપ મિથિલા દુઃખા ગ્નિથી દાઝી કે ખળી રહી હોય ત્યારે મહાભારત અને બૌદ્ધ જાતકના વિદેહજનકની પેઠે અગર તો જૈનેના નિમરાજર્ષિની પેઠે મારુ કશું જ ખળતું નથી ' એમ કહી એ મળતી મિથિલાને છેડી એકાન્ત અરણ્યવાસમાં નહિ જાય.
જૈન વલણથી જુદી અહિંસા
કેટલાકા એમ ધારે છે કે ગાંધીજીના નિરામિષ ભાજનને આગ્રહે એ એક જૈન સાધુ પાસેથી લીધેલ પ્રતિજ્ઞાનું પરિણામ છે અને તેમને અહિંસા વિષેના પાકા વિચાર શ્રીમદ્ રાયચંદની સાખતનું પરિણામ છે. તેથી ગાંધીજીના જીવનપથ મુખ્યપણે જૈન ધર્મ પ્રધાન છે. હું એ પ્રતિજ્ઞા અને સસની હકીકત કબૂલ રાખું છું, પણ , તેમ છતાં એમ માનું છું કે ગાંધીજીનું અહિંસાપ્રધાન વલણ એ અહિંસાના જૈન વલણથી જુદું જ છે. માંસત્યાગની પ્રતિજ્ઞા આપનાર કે લેવડાવનાર આજે જીવિત હોય તો તેઓ ગાંધીજીના નિરામિષ ભાજનના આગ્રહથી પ્રસન્ન જરૂર થાય પણ સાથે જ ગાંધીજીને એમ માનતા જુએ કે ગાય અને ભેંસ વગેરે પશુનુ દૂધ તેમનાં વાછરડાં કે પાડાંના મોઢેથી છીનવી પી જવું એ સ્પષ્ટ હિ'સા જ છે, તે તેઓ જરૂર એમ કહે કે આવી તે કાંઈ અહિંસા હાય ! શ્રીમદ્ રાયચંદ જીવિત હોય અને ગાંધીજીને અશસ્ત્રપ્રતિકાર કરતા જુએ તે સાચે જ તે પ્રસન્ન થાય, પણ જો તે ગાંધીજીને એવું આચરણ કરતા, માનતા કે મનાવતા જુએ કે જ્યારે કાઈ પશુ મરવાના અસહ્ય સોંકટમાં હાય, ખચાલ્યું અચે તેમ ન હેાય ત્યારે તેને ઇંજેકશન વગેરેથી પ્રાણમુક્ત કરવામાં પણ પ્રેમધમ અને અહિંસા સમાયેલ છે તે તેએ ગાંધીજીની માન્યતા અને આચરણને કદી જૈન-અહિંસા તો નહિ જ કહે. તે જ રીતે શ્રીમદ રાયચંદ હડકાયા કૂતરાને મારવાના વલણનું અગર ખેતીવાડીના નાશ કરનાર વાંદરાઓના વિનાશના વલણનું સામાજિક અહિંસાની દષ્ટિએ સમર્થન કરતા ગાંધીજીને ભાગ્યે જ જૈન–અહિ'સાના પોષક માને. ગાંધીજીના જીવનમાં સંયમ અને તપનું બહુ ઊંચું સ્થાન છે. જે જૈન ધર્મનાં ખાસ અંગ ગણાય છે. અનેકવિધ કડક નિયમાને પચાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org