SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪] ન અને ચિ'તન ગયેલ અને લાંખા ઉપવાસેાની હારમાળામાં નામ કાઢનાર ગાંધીજીના સંયમ અને તપને જૈન સંયમ કે તપરૂપે ભાગ્યે જ કાઈ માનશે. કાઈ પણ જૈન ત્યાગી સાધુ કરતાં બ્રહ્મચર્યનું સર્વદેશીય મૂલ્યાંકન વધારે કરવા છતાં જ્યારે ગાંધીજી કાઈનાં લગ્ન જાતે જ કરાવી નવદંપતીને આશીર્વાદ આપતા હશે, અગર તો કાઈ વિધવાને સૌભાગ્યનું તિલક કરાવતા હો કે કાઈના છૂટાખેડામાં સંમતિ આપતા હશે, ત્યારે હું ધારું છું કે ભાગ્યે જ કાઈ એવા જૈન હશે જે ગાંધીજીના બ્રહ્મચર્યને પૂર્ણ બ્રહ્મચર્ય માનવા તૈયાર હાય. ગાંધીજી ગમે તેટલા લાંબા ઉપવાસેા કરે પણ તે લીથુનું પાણી લે અગર તો તે ઉપવાસા આત્મશુદ્ધિ ઉપરાંત સામાજિક શુદ્ધિ અને રાજકીય પ્રગતિનું પણ અંગ છે એમ સાચા દિલથી માને-મનાવે ત્યારે એમના એ કિંમતી ઉપવાસાને પણ જૈને ભાગ્યે જ જૈનતપ કહેશે. અહિંસા અને સયમ તત્ત્વા પરંપરાગત જૈન ધર્મના ઉદાર દષ્ટિએ અભ્યાસ કરનાર પણ કાઈ વિચારક જ્યારે ગાંધીજીના જીવનધમ વિષે મુક્ત મને વિચાર કરે છે ત્યારે તે એટલું સત્ય સ્વીકારી લે છે કે ગાંધીજીના જીવનવ્યવહાર અહિંસા અને સયમનાં તત્ત્વો ઉપર પ્રતિષ્ઠિત છે અને પ્રામાણિકપણે જૈન ધર્મને આચરરનાર ભૂતકાલીન કે વર્તમાનકાલીન પુરુષોને આચાર-વ્યવહાર પણ અહિંસા સંયમમૂલક છે. આ રીતે તે તે વિચારક એમ માની જ લે છે કે જૈન ધર્મનાં પ્રાણભૂત અહિંસા, સંયમ અને તપ ગાંધીજીના જીવનમાં કામ કરી રહ્યાં છે. પણ આથી આગળ વધી જ્યારે તે વિચારક વિગતોને વિચાર કરે છે ત્યારે તેને ખરેખરી મૂંઝવણ ઊભી થાય છે. ગાંધીજીની અનેકમુખી પ્રવૃત્તિમાં તે જે રીતે અહિંસાના અમલ થતા જુએ છે, અને ઘણીવાર પરસ્પર વિરુદ્ધ દેખાય એવાં વિધાને તેમ જ આચરણા અહિંસાને નામે થતાં તે ગાંધીજીના જીવનમાં નિહાળી જૈન પરંપરામાં પ્રથમ માન્ય થયેલી અને અત્યારે પણ મનાતી આચરણાઓ સાથે સરખાવે છે ત્યારે તેનું ઉદ્દાર ચિત્ત પણ પ્રામાણિકપણે એવી શંકા કર્યા વિના રહી શકતું નથી કે જો સિદ્ધાંતરૂપે અહિંસા અને સયમનું તત્ત્વ એક જ હાય તો તે યથા ત્યાગી હાય એવા જૈનના જીવનમાં અને ગાંધીજીના જીવનમાં તદ્દન વિરાધીપણે કામ કેવી રીતે કરી શકે? વિચારકનો આ પ્રશ્ન નિરાધાર નથી. પણ જો એના સાચા ઉત્તર મેળવવા હાય તા આપણે કાંઈક વિશેષ ઊંડાણમાં ઊતરવું પડશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy