________________
૧ર૧૨ ]
દર્શન અને ચિંતન આ રીતે ત્રીજી કક્ષા પૂરી થાય. ત્યાર પછી સભામાં ચર્ચાનું હારજીત રૂપ પરિણામ પ્રકાશિત થાય.
નિગ્રહ સ્થાનને પ્રકાર–અજ્ઞાન, અનનુભાષણ અને અપ્રતિભા, એ ત્રણ નિગ્રહસ્થાન અનુષ્પગ્રાહ્ય એટલે ન બોલવાથી પ્રાપ્ત થાય તેવાં છે. અપ્રાપ્તકાળ, અર્થાન્તર, નિરર્થક, અપાર્થક એ ચાર નિગ્રહ-સ્થાન ઉમાનગ્રાહ્ય એટલે બેલતાં જ પકડાય તેવા છે. પ્રતિજ્ઞાહાનિ, પ્રતિજ્ઞાન્તર, પ્રતિજ્ઞાવિરોધ, પ્રતિજ્ઞાસંન્યાસ, હેવન્તર, અવિજ્ઞાતાર્થ, વિક્ષેપ, મતાનુજ્ઞા, ન્યૂન, અધિક, પુનરુક્ત, નિરનુયોજ્યાનુયોગ, અપસિદ્ધાન્ત એ તેર નિગ્રહસ્થાન ઉક્તગ્રાહ્ય એટલે બેલ્લામાંથી પકડાય તેવાં છે.
ઉપર કહેલ અનુક્તમ્રાહ્ય, ઉચ્ચમાનગ્રાહ્ય અને ઉક્તગ્રાહ્ય એ વીસ નિગ્રહસ્થાનનું વાદી ઉલ્કાવન કરી વાદી પ્રતિવાદીને અગર પ્રતિવાદી વાદીને પરાજિત કરી શકે. જ્યારે આ વીસમાંથી એક પણ નિગ્રહસ્થાનના ઉદ્ભાવનનો સંભવ ન હોય ત્યારે વાદી કે પ્રતિવાદી સામેના પક્ષને હેવાભાસનું ઉદ્દભાવન કરે. પર્યનોપેક્ષણ નિગ્રહસ્થાન તે વાદી કે પ્રતિવાદી દ્વારા ઉભાવિત થતું નથી, કારણ કે મધ્યસ્થ એવા સભ્યો વડે જ ઉભાવિત થઈ શકે છે.
વિભાગ ૨ નીલકણદીક્ષિતનું કલિવિડમ્બન. અપ્પદીક્ષિતના ભત્રીજા અને નારાયણ દીક્ષિતના પુત્ર નીલકદીક્ષિતે રહદયહારી અનેક શતકે લખ્યાં છે. જેમાં એક કલિવિડમ્બન શતક પણ છે. આ શતકમાં જ્યોતિષી, નૈમિત્તિક, વૈદ્ય, માંત્રિક, પડિત, ધનિક આદિને ખૂબ મનોરમ પરિહાસ કર્યો છે. તેમાં વાદીને પણ છેડ્યો નથી. એ વાદીને પરિહાસ જાણવા યોગ્ય હેવાથી નીચે આપ્યો છે :
न मेतव्यं न बोद्धव्यं न श्राव्यं वादिनो वचः । शटिति प्रतिवक्तव्यं समासु विजिगीषुभिः ॥ १ ॥ વિષ્ણુએ ડરવું નહિ, સમજવું નહિ, વાદીનું વચન સાંભળવું નહિ, અને જલદી જ સભામાં ઉત્તર આપી દે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org