SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ કથાપદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૨૧૫ પ્રાણત્યાગ જેવું કાંઈક કરી બેસે. (લ) વિવાદમાં પણ વિજય અને પરાજય અને હાનિકારક છે. કારણ કે વિવાદ રાજસભા જેવાં પ્રસિદ્ધ સ્થળોમાં લાભ કે ખ્યાતિને અર્થે થતા હાવાથી જો તેમાં પરાજય થાય તે પ્રતિષ્ઠા જાય છે અને વિજય તા સત્યવાદીને તેવા છળ અને અસત્યપ્રધાન વાદમાં સત્યને માગે મળવા કઠણ છે. કદાચ સત્ય માર્ગે વિજય મળ્યો તેાયે તે વિજય ધાર્મિક વ્યક્તિને ન ગમે. કારણ, પેાતાના વિજયમાં સામાને પરાજય સમાયેલા છે અને સામાનેા પરાજય એટલે તેની પ્રતિષ્ઠા અથવા આજીવિકાના ઉચ્છેદ. આ રીતે પેાતાના વિજયનું સામા ઉપર થતું અનિષ્ટ પરિણામ ધાર્મિક વાદીને તે અસદ્ઘ થઈ જ પડે છે. (7) ધર્મવાદમાં વિજય અને પરાજય અને લાભદાયક હાય છે. જો વિજય થાય તો સામે પ્રતિવાદી ચાગ્ય હાવાને લીધે વિજેતાના ધમ સ્વીકારે છે અગર તેને ગુણગ્રાહી અને છે. અને જો પરાજય થાય તા પરાજિત વાદી યેાગ્ય હાવાને લીધે પેાતાને ભ્રમ સુધારી તત્ત્વજ્ઞાન મેળવે છે. આ પ્રકારનું પરિણામ હાવાથી ધર્મવાદ જ ઉપાય છે અને બાકીના ખે વાદો હેય છતાં કવચિત્ દેશકાલની દૃષ્ટિએ ઉપાદેય પણ છે. એટલું ધ્યાનમાં રાખવું જોઈ એ કે હિરભદ્રે જે ત્રણે પ્રકારના વાદોનાં પરિણામેનું ચિત્ર આલેખ્યું છે તે ધર્મશીલ અને સત્યવાદી વિદ્વાનને અનુલક્ષી આલેખેલું છે. તેઓ વિતšાતે શુષ્કવાદ એવું નામ આપી મિથ્યા બકવાદની કાટિમાં મૂકે છે. જપને વિવાદ કહી તેમાં થા કોષ સૂચવે છે અને વાદને ધર્મવાદ કહી તેની ઉપાદેયતા પ્રતિખેાધે છે. સાથે જ આ બધા વિચાર તેઓએ તપસ્વી ( ધર્મશીલ ) વાદીને અનુલક્ષી કરેલા હેાવાથી એમ સૂચવતા જણાય છે કે પહેલાંની લાંબા કાળથી ચાલતી અને જોશભેર વધતી વાદિવવાદની રુચિએ વિદ્વાનેામાં દ્વેષ અને કલહનાં બીજ ાપ્યાં હતાં અને તેને લીધે ધાર્મિક વિદ્વાનને સાંપ્રદાયિક જીવન શાંતપણે વ્યતીત કરવું બહુ જ ભારે થઈ પડયું હતું. વિદ્વાન થયા એટલે કાઈ પ્રતિવાદી સાથે વાદવિવાદમાં તે ન ઊતરે તે લેાકેા કાં ા તેને અશક્ત અને ભીરુ ગણતા અને કાં તે સાંપ્રદાયિક પ્રેમ વિનાનેા માનતા. આથી અનુયાયી લેાકેાની વૃત્તિ દરેક સંપ્રદાયમાં દૃઢ થઈ ગઈ હતી ( અદ્યાપિ એમ જ છે). તેને બદલવા આચાય હેરિભદ્ર જેવા પ્રશમપ્રિય તપસ્વીએ ધર્મવાદને પ્રશસી તેને મુખ્ય સ્થાન આપ્યું છે. સ્પષ્ટભાષી અને વિવેકી તે આચાયે ધર્મવાદને કય બતાવીને તેમાં કયા વિષાની ચર્ચા કરવી અને કયાની ન કરવી એનું નિરૂપણ તે આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy