SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧૪ ] દર્શન અને ચિંતન રાજસભામાં વિજય મેળવ્યો છે, તેમ જ તેવા વિજયના ઉલ્લાસમાં ખંડનમંડનાત્મક ગ્રન્થ લખી તેમાં જૈન તત્ત્વજ્ઞાનના મૂળ સિદ્ધાન્ત સ્યાદ્વાદની જયપતાકા પણ ફરકાવી છે, છતાં તેઓની સહજ પ્રશમવૃત્તિ અને સૂક્ષ્મ દષ્ટિએ તેઓને વસ્તુસ્થિતિનું ભાન પણ કરાવ્યું હોય તેમ પણ લાગે છે. તેઓને એ જાતિઅનુભવ થયેલો લાગે છે કે વાદોમાં વિજયેચ્છામૂલક વિદે, જેને વિતડા કે જલ્પ કહીએ છીએ તે, ઉભય પક્ષને હાનિકારક છે, અને વાદકથા કરવાનું જેટલું સામર્થ હોય અને તે કરવી જ હોય છે તે નિર્ણયની ઈચ્છાથી જ કરવી. વાદપ્રિય વિદ્વાનોના પરિહાસદારા વાદકથાની હેયતાનું જે સૂચન પિતાના પૂર્વજ અને શ્રદ્ધાસ્પદ આચાર્યો વાદદાત્રિશિકામાં કર્યું હતું તે જ સૂચનને અત્યંત સ્પષ્ટ શબ્દોમાં એક નાની કૃતિનું રૂપ આપી આચાર્ય હરિભ વાદપદ્ધતિ વિષે પિતાના વિચારે બતાવ્યા છે. આ આચાર્યો આઠ આઠ બ્લેક પ્રમાણ અષ્ટક એવાં બત્રીસ અષ્ટકનો એક ગ્રન્થ લખે છે, જેમાં અનેક પ્રકીર્ણ વિષય ઉપર ગંભીર અને સમભાવયુક્ત વિચાર પ્રકટ કર્યા છે. એમાં ૧૨મું અષ્ટક વાદ વિષય ઉપર છે, જેની અંદર વાદના શુષ્કવાદ, વિવાદ અને ધર્મવાદ એવા ત્રણ ભેદ પાડેલા છે. જોકે આ ત્રણ નામ નવાં છે પણ તે અક્ષપાદની કથા પદ્ધતિના વિતરડા, જલ્પ અને વાદના અનુક્રમે સૂચક છે. આ અષ્ટકમોના નામકરણ અને વર્ણનમાં વિશેષતા એ છે કે તે ઉપરથી વિદ્વત્સમાજની પરિસ્થિતિનું ચિત્ર માનસ સામે આબેહૂબ ખડું થાય છે. ત્રણે વાનું સ્વરૂપ, પરિણામ અને હેયોપાદેયતા અષ્ટકમાં આ પ્રમાણે છે : (૪) અત્યન્ત માની, ક્રર ચિત્તવાળા, ધર્મદેશી અને મૂઢ એવા પ્રતિવાદીની સાથે એક સાધુસ્વભાવવાળાને જે વાદ તે શુષ્કવાદ. (a) ભૌતિક લાભ અને ખ્યાતિની ઈચ્છા રાખનાર દરિદ્ર અને અનુદાર ચિત્તવાળા પ્રતિવાદીની સાથે જે છળજાતિપ્રધાન વાદ તે વિવાદ. (૪) પરલોકમાં માનનાર, કદાગ્રહ વિનાના અને સ્વશાસ્ત્રના તને બરાબર જાણનાર એવા બુદ્ધિમાન પ્રતિવાદી સાથે જે વાદ તે ધર્મવાદ. પરિણામ–(૪) શુષ્કવાદમાં વિજય અને પરાજય એ બંનેનું પરિણામ અનિષ્ટ જ છે. જે પ્રતિવાદી સમર્થ હોઈ તેનાથી વાદીને પરાજય મળે તે પરાજિતને નીચું જોવું પડે અને તેને લીધે તેના આખા સંપ્રદાયની લકે નિંદા કરે. જે પ્રતિવાદી પોતે જ હારે તે તે અલબત્ત અભિમાની અને દુષ્ટ સ્વભાવવાળો હોઈ જીતનારને કોઈ ને કોઈ ભયંકર આફતમાં નાખવાને પ્રયત્ન કરે અગર તે પોતે જ પરાજયને લીધે થનાર નિંદાના ભયથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy