SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૨૧૩ ૧૬. છેલ્લે યુગ–વિજ્યવૃત્તિની પ્રધાનતાનું તવ મધ્યવર્તી અને ઉત્તરવર્તી એ બંને સમયના વિદ્વાનોમાં સમાન હોવા છતાં તેનું સાહિત્ય અમુક લક્ષણથી ખાસ જુદું પડે છે. મધ્યવર્તી સમયનું સાહિત્ય ખંડનમંડન પદ્ધતિથી ઊભરાય છે ખરું પણ તેમાં પ્રતિવાદીનું ખંડન કરતાં ભાષામાં એટલી કટુતા નથી આવી જેટલી ઉત્તરવર્તી સમયના સાહિત્યમાં આવી છે. તેમ જ તે મધ્યવતી સાહિત્યના લખાણમાં ભાષાને પ્રસાદ અને અર્થનું ગાંભીર્ય હોય છે, જ્યારે ઉત્તરવર્તી સમયના સાહિત્યમાં શાબ્દિક ચમત્કાર વધતો ગયો છે. અને પરિણામે ઘણું ગ્રન્થમાં અર્થહીન શાબ્દિક પાંડિત્યને લીધે શુષ્કતા આવી ગઈ છે. ઉત્તરવર્તી સમયના સાહિત્યમાં પણ મધ્યવતી સમયની પેઠે વાદપદ્ધતિ વિષે સૌથી પહેલાં જૈન સાહિત્ય જ ધ્યાન ખેંચે છે. તેનું કારણ એ છે કેપ્રસ્તુત વિષયને લગતું બૌદ્ધ સાહિત્ય તે આ સમયમાં અહીં રચાયું જણાતું નથી. બ્રાહ્મણ સાહિત્ય પુષ્કળ રચાયું છે ખરું, પણ તે મેટે ભાગે અક્ષપદ ગૌતમનાં કથા પદ્ધતિવિષયક સૂત્રોની વ્યાખ્યા અને વૃત્તિરૂપે હેઈ નવી પરિસ્થિતિ ઉપર વિશેષ પ્રકાશ પાડતું નથી; જ્યારે જૈન સાહિત્યમાં વાદપદ્ધતિવિષયક કેટલીક ખાસ કૃતિઓ એવી છે કે જેનાથી એ વિષયમાં ઉત્પન્ન થયેલી પરિસ્થિતિ ઉપર થોડે પણ નવીન પ્રકાશ પડે છે. - આ સમયમાં મુખ્ય ચાર આચાર્યોએ વાદપદ્ધતિ વિષે લખ્યું છે : (૧). હરિભદ્રસૂરિ, (૨) વાદી દેવસૂરિ, (૩) હેમચંદ્રસૂરિ અને (૪) વાચક યશવિજય. વાચક થશેવિજયની કૃતિઓ-કાત્રિશિકાઓ-સ્વતંત્ર હોવા છતાં વસ્તુદષ્ટિએ તેને હરિભદ્રની કૃતિની સ્પષ્ટ અને વિસ્તૃત વ્યાખ્યા જ કહેવી જોઈએ. તેથી નવીનતાની દષ્ટિએ અહીં પ્રથમના ત્રણ આચાર્યોની કૃતિઓને જ વિચાર કરે પ્રાપ્ત થાય છે. - આચાર્ય હરિભદ્ર વિક્રમની નવમી શતાબ્દીના વિદ્વાન હતા. તેઓ પૂર્વાશ્રમમાં વૈદિક વિદ્વાન હતા. જોકે નિવૃત્તિપ્રધાન શ્રામણ દીક્ષા લેવાને લીધે તેઓની વૃત્તિ પ્રશમરસાભિમુખ હતી, છતાં પૂર્વાશ્રમમાં વૈદિક વિદ્વાન તરીકેને વિદ્યાગોષ્ઠીને વ્યાયામ અને વિજયવૃત્તિના આંદોલનવાળા સ્પર્ધાશીલ સંપ્રદાયના વાતાવરણને લીધે તેઓમાં વિજયેચ્છા પણ ઉદ્ભવેલી. જોકે અનિવાર્ય પ્રસંગ આવતાં તેઓ વાદના અખાડામાં ઊતર્યા પણ છે અને ર સમયની દૃષ્ટિએ હરિભદ્રસૂરીને છેલ્લા યુગમાં મૂક્યા છે. પણ પ્રાસાદિક શૈલી અને અર્થગાંભીર્યની દૃષ્ટિએ તેમને મધ્યયુગના ગણવા જોઈએ. સં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy