SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧૬ ] દન અને ચિંતન ધવાદ અષ્ટકમાં કરેલું છે. તે સંયમ અને ચારિત્રને જીવનની મુખ્ય વસ્તુ માનતા હેાવાથી કહે છે કે ધર્મવાદમાં પણ પ્રમાણ વગેરે અનુપયોગી વિષયા ઉપર વાદ ન કરવુા. માત્ર સયમનાં તત્ત્વા ઉપર ધર્મવાદ કરવેા. હરિભદ્ર પછી દેવસૂરિનું નામ આવે છે. તે વાદીના વિશેષણથી પ્રસિદ્ધ છે. તેઓએ પણ રાજસભામાં શાસ્ત્ર કર્યો છે અને જયલાભ કર્યો છે. સિદ્ધરાજની સભામાં લઘુવયરક હેમચંદ્રાચાર્યને મદદમાં રાખી તેઓએ કુમુચંદ્ર નામના દિગમ્બરાચાય સાથે વાદ કર્યાંનું અને તેમાં વિજય મેળવ્યાનું વર્ણન શ્વેતામ્બર સાહિત્યમાં છે. આ વિજયલાભ પછી તેઓએ એક મહાન ગ્રંથ લખ્યો છે. પરિમાણમાં તેની ખરાબરી કરનાર સંસ્કૃત દર્શનસાહિત્યમાં બીજો કાઈ ગ્રન્થ રચાયા હોય તેવું મારી જાણમાં નથી. વાદી દેવસૂરિને એ, સ્યાદ્વાદરત્નાકર નામની વ્યાખ્યા સહિત પ્રમાણનયતત્ત્વાલોકાલંકાર નામને ગ્રન્થ આઠ પરિચ્છેદમાં વહેંચાયેલા છે. તેમાં આઠમા પરિચ્છેદ કેવળ વાદને લગતા છે અને તેમાં વાદને લગતા વિષયાનું અત્યન્ત સ્પષ્ટ અને મનેાર્જક વન છે. તે વાદકથાના ઇતિહાસ જાણવા ઇચ્છનારનું ખાસ ધ્યાન ખેચે તેવા છે. તેમાં વાદી, પ્રતિવાદી, સભ્યા અને સભાપતિ એ ચાર અંગાનું સાંગાપાંગ વર્ણન છે. વાદી અને પ્રતિવાદીના ભેદ–પ્રભેદ કરી તેમાં સાળ પ્રકાર બતાવવામાં આવ્યા છે. અને તેમાં કઈ કઈ જાતના વાદીના કઈ કઈ જાતના પ્રતિવાદી સાથે વાદ સંભવી શકે અને કઈ જાતના સાથે ન જ સંભવી શકે એ બતાવવામાં આવ્યું છે. તેમાં બતાવેલા વાદી અને પ્રતિવાદીના કુલ સોળ પ્રકારોમાં ફક્ત ખાર પ્રકારોમાં જ અરસપરસ વાદકથા સંભવી શકે તેમ જણાવ્યું છે. વાદી અને પ્રતિવાદી એ ખતે વાદકથાના પ્રાણ હાઈ તેઓનુ શું શું કવ્યુ છે તે જણાવ્યું છે. સાથે જ સભ્યો વિના વાદકથા ન ચાલતી હાવાથી તેઓ કેવા પ્રકારની ચેાગ્યતાવાળા હોવા જોઈએ અને તેનું સભ્ય તરીકે શું કર્તવ્ય છે તે ખતાવ્યું છે. કાઈ પણ વાદકથા સભામાં જ ચાલે અને સભા । નાયક વિના ન જ હાય તેથી તેમાં શક્તિવાળા સભાપતિ હાવા જોઈએ અને તેનુ સભાપતિ તરીકે શું કવ્યું છે એ પણ તેઓએ વર્ણવ્યું છે. આ રીતે વાદકથાનાં ચાર અંગેા, તેઓનુ સ્વરૂપ અને કવ્ય એ બધુ ખુલાસાવાર બતાવ્યા બાદ છેવટે વાદકથાની નર્યોદા પણ બતાવવામાં આવી છે. વાદે વિજય અને નિણૅય તેની ઇચ્છાથી થાય છે અને એ બધાની કાલમર્યાદા સમાન ન જ હોઇ શકે તેટલા માટે વિવેકપૂર્વક દરેક જાતના વાદની જુદી જુદી કાલમર્યાદા નોંધી છે. આ રીતે જેમ આજકાલ સામાજિક અને રાજકીય વિષયોની નિયમબદ્ધ ચર્ચા થવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy