SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦૮ ] દર્શન અને ચંતન પૂર્વ સહચર ગોશાલક અને પેાતાના જામાતા તથા શિષ્ય ક્ષત્રિયપુત્ર જમાલી દી તપસ્વી મહાવીર સામે વિરાધી ભાવે આવી ઊભા રહે છે. તેવી રીતે જ તથાગત ગૌતમ સામે તેના પેાતાના સાળા અને શિષ્ય દેવદત્ત તથા બ્રાહ્મણસ્વાભિમાની અબટ્ટુ વગેરે અનેક વિદ્વાને પ્રતિસ્પર્ધા કરે છે, પણ એ એ સદીના ઇતિહાસવાળા સાહિત્યમાં આવા દાખલા ગણ્યાગાંઠયા છે. મુખ્ય ભાગે તો તેમાં ટાળાબંધ માણસા આચાર્યો પાસે શિષ્યભાવે જ જાય છે અને કેટલાક પ્રતિસ્પર્ધીબુદ્ધિથી ગયેલા પણ છેવટે શિષ્યત્વ જ સ્વીકારે છે. તેથી એમ કહેવું જોઈ એ કે એ બે સદીના મહાપુરુષોએ વાતાવરણને એટલું નિર્દેળ કરી મૂકળ્યું હતું કે જનસમાજને સંસ્કારી વર્ગ પોતપોતાના સંસ્કાર પ્રમાણે કાં તે તત્ત્વચિંતા અને આત્મદર્શનને પ ંથે, કાં તેા ઉત્કટ તપ અને અહિંસાના પરમ ધમને પથે, કાં તે ચિત્તશુદ્ધિ અને સમાજસશોધનના પૃથે આપોઆપ વિચરતા. પરંતુ એ બે સદીને સુવર્ણયુગ જતાં જ પ્રાચીન અને નવીત અનેક સંપ્રદાયા નવનવે રૂપે અસ્તિત્વમાં આવ્યા. તેથી તેના વિસ્તાર અને રક્ષણનું કામ પાછળના અનુયાયીઓ ઉપર આવી પડયું. આ અનુયાયીઓ ગમે તેટલા પૌબશાલી હોય છતાં તેઓ પોતાના પૂર્વપુરુષની છાયામાં જ જીવે તેવા હતા. એટલે તે સર્વથા આપબળી તે ન હતા. આ કારણથી દરેકને સંપ્રદાયના વિસ્તાર અને રક્ષણ માટે પરાશ્રય જરૂરી હતા. રાજામેની, અમલદારોની, ધનવાનેાની અને બીજા પ્રભાવશાળી પુરુષાની મદદને લાભ લેવા કાઈ ન ચૂકતા. જેના પૂર્વ પુરુષો આત્મબળની પ્રબળ દૂકથી જ કોઈ પણ જાતની મદદ લેવા કદી રાજસભામાં નહિ ગયેલા, તેના અનુયાયીએ હવે પ્રતિસ્પર્ધી સંપ્રદાયને ખસેડવા અને પોતાના સપ્રદાયની વધારે પ્રતિષ્ઠા મેળવવા રાજસભામાં જતા નજરે પડે છે. અને વળી ફરી એકવાર દરેક સંપ્રદાયના વિદ્વાનામાં તથા આયાર્યોમાં ઓછાવત્તા પ્રમાણમાં વિજયતૃષ્ણાનુ મા આવેલું દેખાય છે. ચંદ્રગુપ્તની વિશેષ સહાનુભૂતિના લાભ જૈનાચાર્યોએ લીધા છે.૧૩ અશેાકની વિરક્તિનું પ્રતિબિંબ બૌદ્ધ સંપ્રદાયમાં વ્યક્ત થાય છે; અને બૌદ્ધ ભિકખુ સંપ્રદાયના પ્રસાર માટે તેના ઉપયોગ કરે છે. સંપ્રતિ રાજાની સેવા જૈન નિચ્ચન્હોની ઇચ્છાને અનુસરે છે. પુષ્યમિત્ર અને અગ્નિમિત્રની ભક્તિ બ્રાહ્મણાને ફરી તેજસ્વી બનાવે છે. એ બધું થાડેલણે અંશે પરાપેક્ષાનુ પરિણામ છે. ૧૩. જૈતાની શ્રુતપરંપરા પ્રમાણે. વિન્સેન્ટ સ્મીથ પણ આ પર પરાને અસ્વીકાર નથી કરતા. જુએ, અલી હિસ્ટ્રી ઓફ ઈન્ડીઆ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy