SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ કથાપદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૨૦૦ ખ્યાતિથી પ્રેરાઈ વિજયની લાલસાથી બીજા ઉપર આક્રમણ કરી વૈરભાવ અને વિરોધ વધારી મૂકે એ હાનિકારક પણ છે. એટલા માટે જલ્પ અને વિતાને ઉપયોગ કરવાનું કહ્યા છતાં તેની મર્યાદા મહર્ષિએ સૂચવી છે. * ૧૪. વખત સાથે વસ્તુસ્થિતિ કેવી બદલાય છે–પૂર્વવત સમયનાં સાહિત્યના અવલોકન ઉપરથી જણાય છે કે વિક્રમ પહેલાંના પાંચમા અને છઠ્ઠા એ બે સૈકાને વખત કાંઈક જુદું જ હતું. એમાં તત્વચિન્તા અને આત્મદર્શન, દીર્ધ તપસ્યા અને ત્યાગ, ચિતશોધન અને સામાજિક પરિષ્કારની ભાવનાઓથી ભરેલું શુભ્ર વાતાવરણ હતું. એ વાતાવરણને પ્રભાવે ભારતીય મનુષ્યોનાં હૃદયમાં દેવી વૃત્તિઓને વેગ મળ્યો હતો. શ્રદ્ધા અને મેધાની પ્રતિષ્ઠામાં તર્કવાદની (ખાસ કરી કુતર્કવાદની ) કિંમત ઘટી હતી. તેથી જ આપણે ઉપનિષદોના તત્વચિન્તનમાં અને બ્રહ્મદર્શનમાં ક્ષત્રિયવૃત્તિ પ્રવાહણ, અશ્વપતિ અને અજાતશત્રુ આદિની પાસે આરુણિ ગૌતમ, અને દત બાલાકિ જેવા અનેક બ્રાહ્મણવૃત્તિ અચાનમાની જનોને શિષ્યભાવે જતા જઈએ છીએ. જૈન આગમાં દીર્ધ તપસ્વી અને ત્યાગમૂર્તિ જ્ઞાતપુત્ર મહાવીર ક્ષત્રિય પાસે ઇન્દ્રભૂતિ આદિ અનેક બ્રાહ્મણોને પ્રતિસ્પર્ધી છેડી, શિષ્યત્વ સ્વીકારતા જોઈએ છીએ. તેમ જ પિટકામાં ધ્યાન પ્રજ્ઞાના પરમપૂજારી અને સામાજિક સમભાવના નિર્ભય સંચારક સિદ્ધાર્થ ગૌતમ પાસે ઉજ્જયિનીના પુરોહિતના પુત્ર મહાકાત્યાયન, વાસે, કૃષિ ભારદ્વાજ, વગેરેને પિતાનું માન ગાળી બુદ્ધ શરણં ગચ્છામિ, ધમ્મ શરણં ગચ્છામિ, સંઘ શરણં ગચ્છામિ બોલતા જોઈએ છીએ. આ ગુરુશિષ્યભાવનું વાતાવરણ તે વખતે કેટલું જામ્યું હતું તેની સાબિતી તે વખતની વસ્તુસ્થિતિ આલેખનારા સાહિત્યમાં મળે છે. ઉપનિષદોની, આગમોની અને પિટકાની વર્ણનશૈલી જ શ્રદ્ધા અને વિનયભાવથી પૂર્ણ છે. તેમાં જ્યાં જુઓ ત્યાં ગુરુશિષ્યભાવના સૂચક પ્રશ્નોતરને ક્રમે જ વસ્તુનું વર્ણન છે. ક્યારેય પણ એક વૃત્તિની પ્રધાનતાવાળા વાતાવરણમાં વિરોધી બીજી વૃત્તિને સમૂળગે ઉચ્છેદ તે નથી જ થ; માત્ર તેમાં ગૌણવ આવે છે. તેથી તેવા શ્રદ્ધા અને જિજ્ઞાસાવૃત્તિની પ્રધાનતાવાળા સમયમાં પણ તર્ક અને પરાજયેચ્છારૂપ વિરોધી વૃત્તિઓવાળા વિજિગીષ તે જ સાહિત્યમાં ક્યાંક ક્યાંક જોઈએ છીએ. જનકની સભાના પરિચિત વિલન બ્રહ્મનિષ યાજ્ઞવક્યને દક્ષિણ લઈ જતા જઈ અનેક પુરુષ વિદ્વાનની જેમ વાચકનવી વિદુષી પણ પ્રતિસ્પર્ધાથી પ્રેરાઈ તત્ર વાણીમાં પ્રશ્નો કરે છે. તપસ્યાકાળનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy