SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦૬ ] દર્શોન અને ચિંતન વિજિગીષુભાવે ` જરૂર પ્રયોગ કરવે. આનું સમર્થાંન કરતાં તે એક મજેદાર દાખલા આપે છે. તે કહે છે કે કાંટાઓ જાતે અનિષ્ટ હાઈ હેય છે. છતાં વાવેલ ખીજની, અને અકરાની રક્ષા કરવા વાડ દ્વારા કાંટાને પણ ઉપયોગ થાય છે.૧૨ આ દાખલામાં બીજાકુરની રક્ષા કરનાર કાંટાની વાડ સાથે તત્ત્વનિશ્ચયની રક્ષા કરનાર જ પવિતણ્ડા – કથાની સરખામણી મહર્ષિની સમનકુશળતા સૂચવે છે. મહર્ષિ એમ સૂચવતા જણાય છે કે પ્રૌઢ દશાએ પહેાંચેલાં અને દૃઢમૂલ થયેલાં વૃક્ષા માટે કાંઈ કાંટાની વાડની જરૂર નથી હાતી. તેવુ વૃક્ષ તે પેાતાનાં ઊંડાં મૂળને ખળે જ કેવળ પશુએથી નહિ પણ વાયુ અને મેધના ભયંકર ઝપાટાથી સુધ્ધાં સુરક્ષિત છે. તેવી રીતે એને દૃઢ અને ઊંડા તત્ત્વનિશ્ચય થયેલા હોય છે તેઓ કાઈ પણ વિરોધીના ગમે તેવા આક્રમણથી ડગતા જ નથી એટલે તેને જ૫ કે વિતણ્ડાની મદ લેવાની જરૂર નથી. પણ એવા તત્ત્વનિશ્ચયવાળા ગણ્યાગાંડ્યા હોય છે. સામાન્ય જનસમુદાય તે હમેશાં અમુક સંપ્રદાય પ્રમાણે તત્ત્વનિશ્ચય સ્વીકાર્યો છતાં ડગમગતી જ સ્થિતિમાં હોય છે, અને તેથી તેઓને તત્ત્વનિશ્ચય માત્ર અંકુર જેવા કામળ અને અસ્થિર હોય છે. એટલે સંપ્રદાયના તેવા લાકાતે સ્થિર રાખવા ખાતર જરૂપ અને વિતણ્ડાકથા આવશ્યક છે અને તે રીતે તે મેાક્ષનું અંગ પણ છે. જપ અને વિતણ્ણાના ઉપયોગની મહર્ષિની આ સૂચના એક બાજુ વિદ્યામાં મનુષ્યરવભાવ પ્રમાણે ઉત્પન્ન થતી અતિ વિદ્યાસ્પર્ધા અને તજન્ય દુષ્પરિણામેા ઉપર અંકુશ મૂકે છે અને બીજી બાજુએ તત્કાલીન તથા પૂર્વકાલીન વિદ્વાનાની વિદ્યાગેછી અને સાંપ્રદાયિક આવેશમાંથી ચડસાચડસી કેવી થતી હાવી જોઈ એ એ તરફ લક્ષ ખેંચે છે. મહર્ષિ જાણે છે કે સંપત્તિ અને સંતતિની મમતા તો મનુષ્ય અને ઇતર પ્રાણી વચ્ચે એક સરખી સમાન છે જ; પણ મનુષ્યની વિશેષતા તેના વિચારની મમતામાં છે. મનુષ્ય જે વિચાર ( પછી તે ગમે તેવા હાય ) ખાંધે અગર સ્વીકારે છે, તેમાં અહત્વનો દૃઢ આરેાપ થતાં તે તેને એકાએક છેડતા નથી. અને ધણીવાર તે સૌંપત્તિ, સંતતિ અને પોતાને ભાગે પણ તે પોતાના વિચારને વળગી રહે છે. મનુષ્યની આ વિશેષતાને લીધે જ સંપ્રદાયા બંધાય છે અને વિચારપરિવતન માટે મારામારી અને કાપાકાપી વિદ્વાન સુધ્ધાંમાં થાય છે. આવી સ્થિતિમાં જેમ તત્ત્વનિશ્ચયનું રક્ષણ આવશ્યક છે તેમ કેવળ લાભ અને ૧૨. ન્યા. સૂ. અ. ૪, આ. ૨, ૩, ૪૭-૪૮. ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy